PM MODIના મતવિસ્તારમાં દલિતોએ જાતે રસ્તો બનાવવો પડ્યો

Dalit News: PM MODIના મતવિસ્તાર વારાણસીમાં તંત્રે રસ્તો ન બનાવતા દલિતોએ ફંડ ભેગું કરી જાતે રસ્તો બનાવ્યો.
PM Modis constituency Varanasi

Dalit News: PM MODI વિકાસની મસમોટી વાતો કરે છે, પરંતુ તેમના ખુદના મતવિસ્તારમાં દલિત વિસ્તારમાં અનેક રજૂઆતો પછી પણ રસ્તો ન બનતા દલિત સમાજના લોકોએ ફંડ એકઠું કરી જાતે રસ્તો બનાવવાની નોબત આવી છે. સવાલ એ થાય કે, વિકાસપુરૂષ તરીકે પોતાને પ્રોજેક્ટ કરતા પીએમ મોદીના મતવિસ્તારમાં જ લોકોની આવી દયનિય સ્થિતિ હોય, તો અન્ય વિસ્તારોમાં તો કેવી પરિસ્થિતિ હશે?

PM Modis constituency Varanasi

વારાણસીના ફુલવારિયા વિસ્તારના વોર્ડ નંબર 3 ના દલિતોએ પોતાના રસ્તા પોતે જ બનાવવાની નોબત આવી છે. રહેવાસીઓનું કહેવું છે કે વારંવારની ફરિયાદો છતાં, વહીવટી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે તેમણે એકઠું કરીને જાતે જ રસ્તો બનાવવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: સુંદર બાળકને જોતા જ મારી નાખતી સાયકો કિલર પકડાઈ

PM Modis constituency Varanasi

મુખ્ય રસ્તો પૂરમાં નાશ પામ્યો પછી બન્યો જ નહીં

સ્થાનિકોના મતે, આ રસ્તો ફુલવારિયા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ 3 માં દલિત વસાહતનો મુખ્ય માર્ગ છે. સપ્ટેમ્બરમાં આવેલા પૂર દરમિયાન આ રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો, જેના કારણે મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. બાળકો, વૃદ્ધો અને દર્દીઓને રોજિંદા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને અરજીઓ કરાઈ હતી

સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓએ તેમના કાઉન્સિલરથી લઈને મંત્રી, ધારાસભ્ય, સાંસદ, ભાજપના નેતાઓ અને મ્યુનિસિપલ અધિકારીઓ સુધી દરેકને રસ્તાના સમારકામ માટે વારંવાર અપીલ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની પણ મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ મહિનાઓ પછી પણ, રસ્તાના બાંધકામ કે સમારકામનું કોઈ કામ શરૂ થયું નથી.

PM Modis constituency Varanasi

આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદ થઈ

લોકો મજબૂરીમાં પગલું ઉઠાવ્યું

સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તાર દલિતોનો હોવાથી ઉપેક્ષાનો ભોગ બન્યો છે. અધિકારીઓ અમારી ફરિયાદો પર કશું ધ્યાન આપતા નથી. અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ. એટલે જ અંતે દાન એકઠું કરીને પહેલા પૂલ બનાવ્યો છે અને હવે અમારી વસાહત સુધીનો રસ્તો પણ કામ કરીને જાતે જ બનાવી રહ્યા છીએ, જેથી દરરોજની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે.

PM Modis constituency Varanasi

વારાણસીના તંત્ર સામે સવાલો ઉઠ્યાં

સ્થાનિક નાગરિકોની આ પહેલથી મહાનગરપાલિકા અને જનપ્રતિનિધિઓની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. લોકો કહે છે કે જો સમયસર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હોત, તો તેમને તેમના મર્યાદિત સંસાધનો સાથે આ કામ કરવું પડ્યું ન હોત. હાલમાં, સ્થાનિકો પોતાના શ્રમ અને સહકારથી રસ્તાનું નિર્માણ કરી રહ્યા છે. પરંતુ હજુ પણ તેઓ વહીવટીતંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: સરકારે ન સાંભળતા 24 ગામના આદિવાસીઓએ જાતે 3 કિમીનો રસ્તો બનાવ્યો

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x