મધરાતે ડો.આંબેડકરની પ્રતિમા ચોરાઈ, બીજી લગાવી એ પણ ચોરાઈ

મનુવાદી અસામાજિક તત્વો ગામમાં લાગેલી ડો.આંબેડકરની પ્રતિમાને ઉખાડીને લઈ ગયા. ગ્રામ પંચાયતે બીજી પ્રતિમા લગાવી, તો તે પણ ચોરી ગયા
dr ambedkars statue stolen

મધ્યપ્રદેશ હાલ દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાને લઈને ચર્ચામાં છે. એકબાજુ ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં બ્રાહ્મણ વકીલો ડો.આંબેડકરની પ્રતિમા લગાવવાનો વિરોધ કરી રહ્યાં છે, જેની સામે દેશભરના બહુજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હવે અહીંના એક ગામમાં લાગેલી ડો.આંબેડકરની પ્રતિમાને મનુવાદી તત્વો બે વાર ઉખાડીને લઈ જતા હોબાળો મચી ગયો છે.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના જેતપુરા ગામની ઘટના

ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લાની છે. અહીંના એક ગામમાં અસામાજિક તત્વો ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને બે વાર ઉખાડીને લઈ ગયા હતા. આ ઘટના ગઈકાલે સાંજે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા જેતપુરા ગામમાં બની હતી. પ્રતિમા ચોરી થવાની ઘટના નજીકના મકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે હોબાળો થતો અટકાવવા માટે ગ્રામ પંચાયતના સભ્યોએ તાત્કાલિક નવી પ્રતિમા સ્થાપિત કરી, પરંતુ મનુવાદી તત્વો એક જ રાતમાં તેને પણ ઉખાડીને લઈ ગયા હતા.

આ પણ વાંચો: એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો

ભીમ આર્મીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ભીમ આર્મીના સભ્યોએ વિરોધ કર્યો. તેમણે બાબા સાહેબ આંબેડકરના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને પ્રતિમા ચોરી જનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. હવે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે પ્રતિમા ચોરવામાં આવી હતી. ઇન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકના જેતપુરા ગામમાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જેને અસામાજિક તત્વો ચોરી ગયા હતા. ચોરીની આ ઘટના નજીકના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ગ્રામ પંચાયતે બીજી પ્રતિમા સ્થાપિત કરી

ગામમાં શાંતિ જાળવવા માટે જેતપુરા ગ્રામ પંચાયતના સભ્યોએ તાત્કાલિક બીજી પ્રતિમા સ્થાપિત કરી હતી, પરંતુ થોડા કલાકોમાં તે પણ ચોરાઈ ગઈ હતી. ડો.આંબેડકરની પ્રતિમા વારંવાર ચોરાઈ થવાથી બહુજન સમાજના લોકોમાં રોષ છે. ભીમ આર્મીના કાર્યકરોએ આ ઘટનાનો વિરોધ કર્યો છે. તેમણે ‘જય ભીમ’ના નારા લગાવી પ્રતિમા ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આંબેડકરનું અપમાન કરવાનું કાવતરું

ભીમ આર્મીના સભ્ય જગદીશ દાવરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ ડૉ. આંબેડકરનું અપમાન કરવાનું કાવતરું છે અને ડૉ. આંબેડકરના સમર્થકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે. વિરોધના સમાચાર ફેલાતાં જ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો પરિસ્થિતિને સંભાળવા માટે ત્યાં પહોંચી ગઈ.

ત્રીજી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી

સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનિલ શર્માએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં નવી પ્રતિમા ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હાલ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. શર્માએ જણાવ્યું હતું કે મૂર્તિ ચોરી જનારાઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પકડાયા બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x