દેશભરમાં જે રીતે આંબેડકરી વિચારધારાનો પ્રસાર અને પ્રભાવ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, તે જ રીતે અસામાજિક બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવી તેમના વિચારોને નષ્ટ કરવાનો બાલિશ પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ પંજાબ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ડો.આંબેડકરની પ્રતિમાઓને અસામાજિક તત્વો દ્વારા તોડવામાં આવી છે.
આવો જ વધુ એક બનાવ મધ્યપ્રદેશમાં બન્યો છે, જ્યાં તોફાની તત્વોએ મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાને તોડી નાખી(Dr. Ambedkar’s statue vandalised). જેના કારણે સ્થાનિક દલિત સમાજ ભારે રોષે ભરાયો છે અને રસ્તા પર ઉતરી આવ્યો હતો. ગુસ્સે ભરાયેલા દલિતોએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ કૃત્ય સામે કડક કાર્યવાહી કરવા હાકલ કરી છે. આ ઘટનાએ ગામના સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડ્યું છે અને હવે દલિત સમાજ તરફથી આ મુદ્દા પર કડક કાર્યવાહી કરવાની માંગ જોર પકડી રહી છે.
મામલો શું છે?
જૌરા (Jaura)વિસ્તારના ગુર્જા પુરા (gurjapura) ગામમાં મોડી રાત્રે અજાણ્યા લોકોએ ડૉ.આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. સવારે જ્યારે ગામલોકોએ આ જોયું ત્યારે આખું ગામ ગુસ્સે થઈ ગયું. મોટી સંખ્યામાં ગ્રામજનો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ગ્રામજનોએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા અને નવી પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી.
આ પણ વાંચોઃ આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં
▶️असामाजिक तत्वों ने तोड़ी अंबेडकर की मूर्ति।
▶️आक्रोशित दलित समुदाय के लोगों ने किया हंगामा… #MPNews | #MadhyaPradesh | @MPPoliceDeptt | @PROJSMorena pic.twitter.com/6WaVMLPxNb— IBC24 News (@IBC24News) February 26, 2025
પરિસ્થિતિ બગડતી જોઈને, પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને જૌરાના એસડીઓપી નીતિન બઘેલ, પોલીસ સ્ટેશનના પ્રભારી ઉદય ભાન યાદવ, જૌરાના એસડીએમ અને તહસીલદાર ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલો થાળે પડ્યો. ઘટના બાદથી ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઘટનાની માહિતી મળતાં, એસડીઓપી નીતિન બઘેલ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગ્રામજનોને શાંત પાડ્યા અને ગુનેગારોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાનું આશ્વાસન આપ્યું. ગામલોકો હવે ત્યાં બાબા સાહેબની નવી પ્રતિમા સ્થાપિત કરશે.
આ પણ વાંચોઃ 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?
સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ સમાજમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું હોઈ શકે છે, જેને સફળ થવા દેવામાં આવશે નહીં. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ આરોપીઓની ઓળખ કરવા માટે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસી રહી છે.
દલિત સમુદાયે વિનંતી કરી છે કે પોલીસે ગુનેગારોની ઝડપથી ઓળખ કરીને તેમની ધરપકડ કરવી જોઈએ અને કાયદા મુજબ કડક સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. બીજી તરફ, દલિત સમુદાયે ડૉ. આંબેડકરની પ્રતિમાઓની સુરક્ષા વધારવાની માંગ કરી છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને. આ ઘટના બાદ ભીમ આર્મીના કાર્યકરોએ ડો.આંબેડકરની પ્રતિમા નવેસરથી સ્થાપિત કરી છે જેનું અનાવરણ થોડા દિવસમાં કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી
कल गांव गुर्जा पूरा जौरा जिला मुरैना में कुछ असामाजिक लोगों द्वारा बाबा साहब डॉ अम्बेडकर जी की प्रतिमा को तोड़ दिया गया था भीम आर्मी भारत एकता मिशन के द्वारा प्रतिमा को स्थापित कर दिया गया है जिसका भव्य अनावरण 09/03/2025 को किया जायेगा #jaybhim pic.twitter.com/3WfHd25IUa
— Neeraj Chandsoriya (@NeerajChansoriy) February 27, 2025
દલિત સમાજે વિનંતી કરી છે કે તોડફોડ કરાયેલ પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. આ ઉપરાંત, કેટલીક જગ્યાએ, આંબેડકરવાદીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસેથી SIT ની રચના કરીને આ મામલાની તપાસ કરવાની અપેક્ષા રાખી છે. તેમણે મૂર્તિ તોડનાર વ્યક્તિને ધરપકડ કરીને જેલમાં મોકલવાની માંગ કરી છે અને તેને દેશદ્રોહી જાહેર કરવાની પણ વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પંજાબ અને અલીગઢમાં પણ આવી જ ઘટના બની હતી જ્યાં એક યુવક ખુલ્લેઆમ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની પ્રતિમા તોડતો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના પરભણીમાં પણ આવી જ રીતે બાબાસાહેબની પ્રતિમાને નુકસાન કરાતા સ્થિતિ હિંસક બની ગઈ હતી. વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ કેટલાક તોફાની તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા હતા અને નુકસાન પહોંચાડ્યું હતું. આ રીતે દેશભરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડી સતત દલિતોનો રોષ સળગતો રાખવામાં આવી રહ્યો છે, જેથી સત્તાધારીઓ ઈચ્છે ત્યારે તેનો રાજકીય ફાયદો ઉઠાવી શકે.
આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?