અસામાજિક તત્વોએ રાત્રે Dr. Ambedkar ની પ્રતિમા ખંડિત કરી

મોડી રાત્રે અસામાજિક તત્વો Dr. Ambedkar ની પ્રતિમાને ખંડિત કરીને જતા રહ્યા. સવારે ઘટનાનો ખ્યાલ આવતા દલિત સમાજે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો.
Dr. Ambedkar's statue vandalized

14મી એપ્રિલ નજીક આવી રહી છે અને તેની સાથે મનુવાદી તત્વો ડો.આંબેડકર(Dr.Ambedkar)ની પ્રતિમાઓને ખંડિત (Statue Vandalized) કરીને દલિત-બહુજન સમાજના સ્વાભિમાન પર ઘા કરવા લાગ્યા છે. આવી જ વધુ એક ઘટના બની છે તેમાં પાર્કમાં સ્થાપિત કરેલી ડો.આંબેડકરની પ્રતિમાને કેટલાક અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી હતી.

ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ની છે. અહીંના અમરોહા(Amroha)માં કેટલાક અસામાજિક તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. જેને કારણે દલિત સમાજમાં ભારે ગુસ્સો છે. આ ઘટનાનો દલિતોએ રસ્તા પર ઉતરીને ભારે વિરોધ કર્યો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં

મામલો શું હતો?
ઉત્તર પ્રદેશના અમરોહામાં કેટલાક અજાણ્યા તત્વોએ ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમામાં તોડફોડ કરી હતી. આ સમાચાર ફેલાતાં જ દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને વિરોધ શરૂ કરી દીધો. અમરોહાના હસનપુર વિસ્તારની આ ઘટના છે. અહીં ડૉ. આંબેડકરની પ્રતિમા તોડવાને કારણે દલિતોમાં ગુસ્સો છે. બુધવારે સાંજે ભીમા ઠીકરી ગામમાં બિજૌરા લિંક રોડ પર સ્થિત પાર્કમાં સ્થાપિત પ્રતિમા ક્ષતિગ્રસ્ત મળી આવી હતી. એ પછી દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો.

ઘટનાની માહિતી મળતા જ નજીકના ઘણા ગામડાઓમાંથી દલિત સમાજના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને આરોપીઓની ધરપકડની માંગણી સાથે જોરશોરથી પ્રદર્શન કર્યું. સ્થાનિક લોકોનો આરોપ છે કે બદમાશોએ પહેલા પણ ઘણી વખત બાબાસાહેબનું બોર્ડ તોડી નાખ્યું છે.

આ પણ વાંચોઃ દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી

પોલીસ ઘટનાસ્થળે પહોંચી
પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. માહિતી મળતાં જ ડાયલ 112 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. બાદમાં વિસ્તાર અધિકારી પણ પોલીસ ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા. પોલીસ અધિકારીઓએ દલિત સમાજના લોકોને ખાતરી આપી છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

દલિત સમાજના નેતાઓએ ચેતવણી આપી છે કે જો આરોપીઓ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ વિરોધ કરશે. તેમણે વહીવટીતંત્ર પાસે એવી પણ માંગણી કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે. દલિત સમાજે કહ્યું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે. આ વિરોધ પ્રદર્શનમાં આસપાસના અનેક ગામોના દલિત સમાજના લોકો પણ જોડાયા હતા.

આ પણ વાંચોઃ આ હોસ્પિટલની દરેક દિવાલ પર ડૉ. આંબેડકરનો ફોટો લાગેલો છે

આ ઘટના સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અને તણાવને ઉજાગર કરે છે. ડૉ. ભીમરાવ આંબેડકર દલિત સમાજ માટે એક આદર્શ છે અને તેમની પ્રતિમાની તોડફોડ કરવી એ દલિત સમાજ માટે અપમાનજનક છે. આ ઘટના દેશમાં સામાજિક ન્યાય અને સમાનતા માટે ચાલી રહેલા સંઘર્ષને પણ પ્રતિબિંબિત કરે છે. હાલ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને થોડા દિવસ પછી ડૉ.આંબેડકરની જન્મજયંતિનો દિવસ 14મી એપ્રિલ આવવાની તૈયારી છે. ત્યારે આ પ્રકારની ઘટનાએ ફરી એકવાર કોમી વૈમનસ્ય ફેલાવવાનું કાવતરું જણાય છે.

આ પણ વાંચોઃ દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x