સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત આ ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 તાલુકાની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. જાણો કઈ ટીમ વિજેતા થઈ અને કેવો માહોલ રહ્યો.
dr babasaheb ambedkar ekta cup cricket tournament

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા ’ડો.બાબા સાહેબ આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ’નું હાલમાં જ સમાપન થયું હતું. સી.યુ. શાહ સ્પોર્ટસ કલબ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના પ્રાચાર્ય ડો. સી. ટી. ટુડીયા, સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગરના ઓફીસર ડી. બી. સોલંકી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં

dr babasaheb ambedkar ekta cup cricket tournament 1

આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાની ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ફાઈનલ મેચ લીંબડી અને ચોટીલાની ટીમો વચ્ચે રમાઇ હતી. જેમાં પ્રથમ બેટીંગ કરતાં ચોટીલાની ટીમે ૭ ઓવરમાં ૭૦ રન બનાવ્યા હતા. રનચેજ કરવા ઉતરેલી લીંબડીની ટીમ ૫૫ રન જ બનાવી શકતા ચોટીલાની ટીમ વિજેતા બની હતી. કાર્યક્રમ દરમિયાન સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરની સહાયતાથી નેત્રરોગ નિદાન કેમ્પ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.

dr babasaheb ambedkar ekta cup cricket tournament

આ તકે શ્રેષ્ઠ અધ્યાપક સન્માન – અચલા એવોર્ડથી સન્માનિત અધ્યાપક ડો. સી.ટી. ટુંડીયાનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ કન્વીનર દીપક પરમાર – સ્માઇલી બોયને સંગઠન દ્વારા ‘આઈકોનિક મેમ્બર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટમાં કલેકટરેલખતરની ટીમ તરફથી રમી જિલ્લાની તમામ ટીમોને પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા ટીમને ડો. નિકુંજ અમીન – સી. યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

dr babasaheb ambedkar ekta cup cricket tournament 3

આ સફળ આયોજન બદલ સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ પ્રમુખ અશોક જાદવ, મહામંત્રી ટી. જી. મકવાણાએ તમામ તાલુકા સંગઠન ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(અહેવાલ કુસુમબેન ડાભી-સુરેન્દ્રનગર)

આ પણ વાંચો: દલિત પરિવાર પર ટોળાંનો હુમલો, સાત લોકો ગંભીર રીતે ઘાયલ

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Chatur dulera
Chatur dulera
3 months ago

Good work

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x