કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજો વચ્ચે ગોળીબાર, એકનું મોત

Nityanand Rai Nephew Murder: બંને વચ્ચે નળના પાણીને લઈને ઝઘડો થયો હતો. એ પછી જયજીતે વિશ્વજીત પર ગોળીબાર કરતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસ તપાસ શરૂ.
nityanand_rai_nephew

Nityanand Rai Nephew Murder: બિહારના ભાગલપુરમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના ભાણેજની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મૃતકના ભાઈ પર હત્યાનો આરોપ છે. નિત્યાનંદ રાયના બે ભાણેજો, વિશ્વજીત અને જયજીત વચ્ચે વિવાદ થયો હતો. બબાલ વધતી ગઈ અને ગોળીબાર થયો. આ ઘટનામાં વિશ્વજીતનું મોત થયું છે. દરમિયાનગીરી કરવા આવેલી મૃતકની માતા હિના દેવીના હાથમાં પણ ગોળી વાગી છે. ઉપરાંત નિત્યાનંદ રાયનો બીજો ભાણેજ પણ ઘાયલ થયો છે. બંને ભાગલપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મામલો નવગછિયાના પરબત્તા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જગતપુરમાં નળના પાણીને લઈને બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે ઝઘડા પછી જયજીતે ગોળીબાર કર્યો હતો. જેમાં વિશ્વજીતનું મોત થઈ ગયું હતું. હાલ વિશ્વજીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

સ્થાનિક ગ્રામજન પ્રદીપ કુમારે કહ્યું, અમે બહાર હતા. અમને અન્ય લોકો પાસેથી માહિતી મળી. આ પરિવાર ખૂબ જ સારો છે. ભાઈઓ વચ્ચે નળના પાણીને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ ગોળીબાર થયો હતો.

બંને એક જ ઘરમાં રહેતા હતા

નવગછિયાના એસપી પ્રેરણા કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, સવારે અમને માહિતી મળી કે પરબત્તા પોલીસ સ્ટેશનના જગતપુરમાં બે ભાઈઓએ એકબીજા પર ગોળીબાર કર્યો છે. એ પછી, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. માહિતી મળતા જ SDPO પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, એક ઘાયલ વ્યક્તિનું મોત થયું છે અને બાકીના લોકો સારવાર હેઠળ છે.

નવગછિયાના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક ખોખું અને એક ગોળી મળી આવી છે. મૃતક વિશ્વજીત યાદવ અને જયજીત યાદવ બંને એક જ ઘરમાં સાથે રહેતા હતા. વિશ્વજીત મોટો ભાઈ હતો અને જયજીત નાનો હતો. બંને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

આ પણ વાંચોઃ ભાજપ શાસિત નગરપાલિકાના દલિત અધ્યક્ષે આત્મહત્યાની ધમકી આપી

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x