અલ્હાબાદ હાઈકોર્ટેના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ એક વિચિત્ર ચૂકાદો આપતા કહ્યું છે કે, “કોઈ યુવતીના સ્તન પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું અને તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કરવો, તે બળાત્કાર કે બળાત્કારના પ્રયાસનો આરોપ લગાવવા માટે પુરતા નથી. જજ સાહેબના આ ચૂકાદાથી ભારે હોબાળો મચી ગયો છે અને વિવાદ ઉભો થયો છે. અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાની બેંચે એ રીતે ‘ગુનાની તૈયારી’ અને ‘ખરેખર ગુનો કરવાના પ્રયાસ’ વચ્ચેનું અંતર બતાવવા પ્રયાસ કર્યો હતો.
આ કેસમાં હાઈકોર્ટે બે આરોપીઓ સામે નીચલી અદાલત દ્વારા લાદવામાં આવેલા આરોપોમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો. મીડિયા રિપોર્ટ મુજબ આરોપીઓના નામ પવન અને આકાશ છે. કાસગંજની એક કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર) અને POCSO અધિનિયમની કલમ 18 હેઠળ નોંધાયેલા કેસમાં સમન્સ પાઠવ્યું હતું.
બંને પર સગીરા પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ હતો. પીડિતાને કેટલાક રાહદારીઓએ બચાવી લીધી, જેના કારણે આરોપીઓને સ્થળ પરથી ભાગવાની ફરજ પડી હતી. આ ઘટના 2021 ની છે. આરોપીએ સગીરાને લિફ્ટ આપી હતી. એ પછી આરોપીઓએ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાની પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી.
હાઈકોર્ટે શું કહ્યું?
આરોપીઓએ નીચલી કોર્ટના સમન્સને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે IPCની કલમ 376 હેઠળ કોઈ ગુનો કર્યો નથી. તેમણે કહ્યું કે તેમની સામેની ફરિયાદને ગંભીરતાથી લેવી જોઈએ. પરંતુ ગુનાઓ IPC ની કલમ 354 અને 354 (B) (નિર્વસ્ત્ર કરવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) અને POCSO કાયદાની સંબંધિત જોગવાઈઓની મર્યાદાની આગળના નથી.
હાઈકોર્ટ પણ આ વાત સાથે સંમત થઈ. ૧૭ માર્ચ, ૨૦૨૫ ના રોજના આદેશમાં, ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાએ કહ્યું,
“બળાત્કારના પ્રયાસનો આરોપ લગાવવા માટે, તે સાબિત કરવું આવશ્યક છે કે તે તૈયારીના તબક્કાથી આગળ વધ્યો હતો. ગુનો કરવાની તૈયારી અને વાસ્તવિક પ્રયાસ વચ્ચે તફાવત છે.”
इलाहाबाद हाई कोर्ट का एक ऑर्डर आया:
“पीड़िता के कपड़े फाड़ना, निजी अंगों को हाथ लगाना रेप या रेप की कोशिश नहीं”
इससे लोग आक्रोशित हैं – तो चलिए यह पढ़िए👇
▪️पवन और आकाश ने 11 वर्षीय पीड़िता के निजी अंगों को हाथ लगाया
▪️आकाश ने उस बच्ची के पायजामे का नाड़ा तोड़ दिया
▪️फिर… pic.twitter.com/xcY5QAK6vk
— Supriya Shrinate (@SupriyaShrinate) March 20, 2025
કોર્ટે કહ્યું કે આરોપી આકાશ સામે આરોપ એ હતો કે તેણે પીડિતાનું નાડું નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો અને તેના પાયજામાનું નાડું તોડી નાખ્યું.
કોર્ટે કહ્યું, “સાક્ષીઓએ એવું કહ્યું નથી કે આરોપીના આ કૃત્યના કારણે પીડિતા નિર્વસ્ત્ર થઈ ગઈ કે તેના કપડાં ઉતરી ગયા હતા. એવો કોઈ આરોપ નથી કે આરોપીએ પીડિતા પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.”
ત્યારબાદ કોર્ટે નિર્દેશ આપ્યો કે આરોપીઓ પર IPC ની કલમ 354 (B) અને POCSO એક્ટની કલમ 9 અને 10 (વધુ ગંભીર જાતીય હુમલો) હેઠળ કાર્યવાહી કરવામાં આવે. જો કે, જજના આ ચૂકાદાથી સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો છે અને લોકો આ ચૂકાદાની ટીકા કરી રહ્યાં છે.
આ પણ વાંચો: ‘તું તો દલિત છે’ કહી જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડનું અપમાન
*રામ મનોહર નારાયણ મિશ્રા શું આ જ્જ સાહેબ
શ્રીરામના પરમ ભક્ત છે? કેમકે તેઓનું પ્રથમ નામ
“પ્રવિત્ર” શબ્દ “રામ” થી થાય છે, તો આ વિચિત્ર આદેશ સંદર્ભે કટ્ટરવાદી શ્રીરામ ભક્તોએ કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ? જયભીમ જય સંવિધાન જય ભારત…!