કૉંગ્રેસના ધારાસભ્યોએ હાથકડી પહેરી: ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયું છે અને એ સાથે જ અપેક્ષા મુજબ અમેરિકાથી હાથકડી પહેરાવી અપમાનજનક સ્થિતિમાં ગુજરાતીઓ સહિતના ભારતીયોને deportકરવાનો મુદ્દો ગાજ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવો કર્યા હતા. જેમાં ધારાસભ્યોએ હાથમાં હાથકડી અને ગળામાં સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ ‘ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન’ના નારા લગાવ્યા હતાં.
વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હઠકડીનો વિરોધ કર્યો હતો.
अमेरिका से भारतीयों को अमानवीय तरीके से जंजीरों और बेड़ियों में जकड़कर भारत भेजा गया।
देश और देशवासियों का अपमान होता रहा, लेकिन नरेंद्र मोदी खामोश रहे। वे ट्रंप से इसके खिलाफ सवाल पूछने की हिम्मत तक नहीं जुटा पाए।
CLP लीडर @AmitChavdaINC जी के साथ कांग्रेस विधायकों ने… pic.twitter.com/qaX8zHR5OV
— Congress (@INCIndia) February 19, 2025
ઉલ્લેખનીય છે કે, અમેરિકાથી પરત લાવવામાં આવેલાં ગુજરાતના ગેરકાયદે અપ્રવાસીઓને 17 ફેબ્રુઆરીએ અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ રવિવારે 112 ગેરકાયદે અપ્રવાસીઓનું ત્રીજુ વિમાન અમૃતસર એરપોર્ટ ઉતર્યું હતું. અગાઉ 5 ફેબ્રુઆરીએ ગેરકાયદે રૂપે અમેરિકામાં પ્રવેશ કરનાર ભારતીયોનું પહેલું ગ્રુપ અમેરિકાના વાયુસેનાના વિમાનમાં પંજાબના અમૃતસરમાં પહોંચ્યું હતું. આ પહેલાં શનિવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આશ્વાસન આપ્યું હતું કે, ‘પરત મોકલવામાં આવેલાં લોકો સાથે પંજાબમાં યોગ્ય વ્યવહાર કરવામાં આવશે અને તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રહેતા પોતાના નાગરિકોને પરત લાવવાની ભારતની ઈચ્છા વ્યક્ત કરી રાષ્ટ્ર પ્રમુખ સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘જે લોકો બીજા દેશોમાં ગેરકાયદે રહે છે, તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, અમે હંમેશા કહ્યું કે, જે લોકો ગેરકાયદે અમેરિકામાં રહે છે અને ખરેખર તે ભારતીય નાગરિક છે, તો એવા લોકોને પરત લાવવા માટે અમે તૈયાર છીએ.’ જો કે, તેમનું આત્મ સન્માન જળવાયું ન હોવાનું કહીને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેણે ગુજરાતના વિકાસ મોડેલ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યાં