તથાગત ગૌતમ બુદ્ધને જે સ્થળે ગ્નાન પ્રાપ્ત થયું હતું તે બોધિગયા છેલ્લા કેટલાક દિવસોથી દેશ અને દુનિયાભરમાં વસતા બુદ્ધિષ્ઠોનું ધ્યાન કેન્દ્રિત કરીને બેઠું છે. મહાબોધિ મહાવિહારનું સંચાલન બૌદ્ધ સમાજને બદલે મનુવાદીઓના હાથમાં છે અને તેઓ વારંવાર બુદ્ધને મનુવાદી ઈશ્વરમાં પલોટવા માટેની ચેષ્ટાઓ કરતા હોવાથી આ મુદ્દો ગરમાયો છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ લાંબા સમયથી માગણી કરી રહ્યા છે કે આ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળનું સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધોને સોંપવામાં આવે. તેના માટે બૌદ્ધ સમાજ છેલ્લા ઘણાં દિવસોથી બિહાર સ્થિત બોધિયગામાં ભૂખ હડતાળ પર બેઠો છે. જેનાથી અકળાયેલી બિહાર સરકારે મધરાતે આંદોલનકારીઓને ત્યાંથી હટાવી દીધા હતા. જો કે હવે આંદોલન વધુ તેજ બન્યું છે અને દેશભરમાંથી તેને સમર્થન મળી રહ્યું છે.
મહાબોધિ મુક્તિ આંદોલન(mahabodhi mukti andolan)ના ટેકામાં હવે ગુજરાત દલિત પેન્થર (Gujarat Dalit Panthers) પણ મેદાનમાં ઉતર્યું છે અને ધરણાં પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. ગુજરાત દલિત પેન્થરના પ્રમુખ રાહુલ પરમારે જણાવ્યા પ્રમાણે, મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં તા. 22 માર્ચ 2025ને શનિવારના રોજ બપોરે 2.00 થી સાંજના 6.00 વાગ્યા દરમિયાન અમદાવાદના સારંગપુર સ્થિત ડો.આંબેડકરની પ્રતિમા પાસે વિશાળ ધરણાં પ્રદર્શન યોજાશે. જેમાં દલિત પેન્થરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાબોધિની મુક્તિ અને બીટી એક્ટને રદ કરવાની માંગને સમર્થન આપશે.
મહાબોધિ મુક્તિ આંદોલનના ટેકામાં ગુજરાત દલિત પેન્થર દ્વારા અમદાવાદ ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું છે. પેન્થરના અધ્યક્ષ રાહુલ પરમારે આ બાબતે જાણકારી આપી છે.#mahabodhi_freedom_movement #BTact1949_Repeal #dalit_panther_Gujarat #Ahmedabad #mahabodhi_mukti_andolan pic.twitter.com/aCtLh4Ia6z
— khabar Antar (@Khabarantar01) March 20, 2025
દલિત પેન્થર ગુજરાતના પ્રમુખ રાહુલ પરમારે જણાવ્યું હતું કે, મહાબોધિ બૌદ્ધ ભિક્ષુઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક પવિત્ર સ્થળ છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ ગણાતા આ સ્થળ પર મનુવાદી તાકાતોએ કબ્જો જમાવી દીધો છે અને તેઓ બુદ્ધના વારસાને ખતમ કરીને ત્યાં મનુવાદી ઈશ્વરોને સ્થાપિત કરવા માંગે છે. સરકારે અહીં બીટી એક્ટ લાગુ કરીને બોધિવિહારના વહીવટમાં મનુવાદીઓને બેસાડી દીધા છે. જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. છેલ્લાં એક મહિનાથી બૌદ્ધ ભિક્ષુઓ, અનુયાયીઓ બોધિગયાની મુક્તિ માટે અને બીટી એક્ટને રદ કરવા માટે આંદોલન કરી રહ્યાં છે પણ સરકાર તેમનું કશું સાંભળી રહી નથી. જેથી બહેરાં તંત્રના કાન ખોલવા માટે દલિત પેન્થર દ્વારા ધરણાંનું આયોજન કરાયું છે.
અમારી સ્પષ્ટ માંગે છે કે, બોધિગયા બૌદ્ધ વિહારનો સંપૂર્ણ વહીવટ બૌદ્દોનો સોંપી દેવામાં આવે છે અને વિવાદાસ્પદ બીટી એક્ટને રદ કરવામાં આવે. સરકાર મનુવાદીઓને અહીં બેસાડી અમને અમારા જ વિહારથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. જે લોકો અમને તેમના મંદિરોમાં પ્રવેશવા નથી દેતા તેઓ અમારા બૌદ્ધ વિહાર પર કબ્જો જમાવીને બેસી ગયા છે. આ અન્યાયપૂર્ણ કૃત્ય વિરુદ્દ અવાજ ઉઠાવવો જરૂરી છે. તેથી આ ધરણાં-પ્રદર્શનનું આયોજન કરાયું છે. અમે સમસ્ત બહુજન સમાજને તેમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ
આ પણ વાંચો: ભાજપ ઈદ નિમિત્તે 32 લાખ મુસ્લિમોને સૌગાત-એ-મોદી કીટ વહેંચશે