કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

મનુવાદીઓએ બુદ્ધને વિષ્ણનો અવતાર ગણાવ્યા, તેમના ઉપદેશોનું બ્રાહ્મણીકરણ કર્યું. જાણો બીજી કઈ ચાલાકીથી તેમણે બુદ્ધ અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું.
Buddha

ગૌતમ બુદ્ધે જાતિ વ્યવસ્થા અને બ્રાહ્મણવાદી વર્ચસ્વને ખુલ્લેઆમ પડકાર્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જન્મથી શ્રેષ્ઠ કે નિમ્ન નથી હોતી પરંતુ તેના કાર્યો અને આચરણ તેની ઓળખ નક્કી કરે છે. બુદ્ધના આ વિચારો દલિત, શુદ્ર અને બહુજન સમાજ માટે સામાજિક ક્રાંતિનો સંદેશ હતા અને એજ મનુવાદીઓને ખટકતું હતું.

ગૌતમ બુદ્ધ, જેમનું સાચું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું, તેઓ એક મહાન દાર્શનિક, સમાજ સુધારક અને બૌદ્ધ ધર્મના પ્રવર્તક હતા. તેમનો જન્મ ઈ.સ.પૂર્વે 563માં લુંબિની (હાલ નેપાળ)માં એક ક્ષત્રિય રાજકુમાર તરીકે થયો હતો. પરંતુ શાહી વૈભવને પાછળ છોડીને તેમણે જીવનના સત્યની શોધ કરી. વર્ષોની તપસ્યા અને ધ્યાન પછી તેમને બોધગયા ખાતે બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ ‘બુદ્ધ’ (જાગૃત) બન્યા. પરંતુ શાહી વૈભવને પાછળ છોડીને, તેમણે જીવનના સત્યની શોધ કરી. વર્ષોની તપસ્યા અને ધ્યાન પછી, તેમને બોધગયા ખાતે બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ “બુદ્ધ” (જાગૃત) બન્યા.
તેમણે સમાજમાં પ્રવર્તતી જાતિ વ્યવસ્થા, અંધશ્રદ્ધા અને ભેદભાવનો વિરોધ કર્યો અને લોકોને અહિંસા, કરુણા, સમતા અને પ્રજ્ઞાનો માર્ગ બતાવ્યો. તેમનો ધમ્મ (ધર્મ) અન્યાય સામે સંઘર્ષ અને જ્ઞાનનો માર્ગ શીખવે છે.

Buddha ના પ્રસિદ્ધ ઉપદેશો

બુદ્ધમ શરણમ ગચ્છામી (હું બુદ્ધના શરણમાં જાઉ છું)
ધમ્મમ સરણમ ગચ્છામી (હું ધર્મના શરણમાં જાઉ છું)
સંઘમ શરણમ ગચ્છામી (હું સંઘના શરણમાં જાઉ છું)

તેમના ઉપદેશો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે અને જાતિવિહીન, સમાનતાવાદી સમાજનો પાયો નાખે છે.
બુદ્ધના જાતિ વિરોધી વિચારોનું મહત્વ

Buddha

ગૌતમ બુદ્ધે જાતિ વ્યવસ્થા અને બ્રાહ્મણવાદી વર્ચસ્વને ખુલ્લેઆમ પડકાર્યો. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જન્મથી શ્રેષ્ઠ કે નિન્મ નથી હોતી પરંતુ તેના કાર્યો અને આચરણ તેની ઓળખ નક્કી કરે છે. બુદ્ધના આ વિચારો દલિત, શુદ્ર અને બહુજન સમાજ માટે સામાજિક ક્રાંતિનો સંદેશ હતા. પરંતુ સમય જતાં બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ બુદ્ધના વિચારોને વિકૃત કર્યા અને બૌદ્ધ ધર્મને નબળો પાડવા માટે કાવતરાં રચ્યા.

આ પણ વાંચો: ઓશો રજનીશ પર દલિત-બહુજન સમાજ પુનર્વિચાર કરે

ભારતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના ઇતિહાસ અને તેમના મહાપુરુષોના વિચારો સાથે ચેડાં કરવા અને તેને વિકૃત કરીને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેની શરૂઆત ભગવાન ગૌતમ બુદ્ધ અને તેમના વિચારો સાથે છેડછાડથી થઈ હતી. તેમના વિચારો અને તેમના ઇતિહાસને વિકૃત કરવાના પ્રયાસો આજે પણ ચાલુ છે. બુદ્ધ અને તેમના વિચારોને કેવી રીતે વિકૃત કરાયા તે વિસ્તારથી સમજીએ.

બુદ્ધને વિષ્ણુનો અવતાર ગણાવાયા

બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે જાહેર કરવું એ હિન્દુકરણનું સૌથી મોટું કાવતરું હતું. બુદ્ધને મનુવાદી ‘દશાવતાર’ માં સમાવેશ કરીને તેમની મૂળ ઓળખને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આના દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે બુદ્ધ કોઈ અલગ ક્રાંતિકારી નહોતા પરંતુ વેદ અને સનાતન ધર્મનો એક ભાગ હતા. ‘મનુસ્મૃતિ’માં બુદ્ધને ‘વેદોમાં માનતા ન હોય તેવા મૂઢ’ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

બૌદ્ધ મઠો અને સાધુઓ પર હુમલા

ગુપ્તકાળ (ચોથી-છઠ્ઠી સદી) માં બ્રાહ્મણ ધર્મ પુનઃસ્થાપિત થયો અને બૌદ્ધ ધર્મને આયોજનબદ્ધ રીતે નાબૂદ કરવામાં આવ્યો.Buddha મઠો પર હુમલા કરવામાં આવ્યા, ભિખ્ખુઓની હત્યા કરવામાં આવી અને બૌદ્ધ શૈક્ષણિક કેન્દ્રોનો નાશ કરવામાં આવ્યો. નાલંદા અને તક્ષશિલા જેવા બૌદ્ધ શૈક્ષણિક કેન્દ્રોને સનાતની તાકાતોએ સળગાવી દીધી હતી.

મૂર્તિપૂજા અને કર્મકાંડમાં સમાવેશ

બુદ્ધે મૂર્તિપૂજા અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો હતો પરંતુ બાદમાં બૌદ્ધ ધર્મમાં તેને ઘુસાડી દેવામાં આવ્યા. બ્રાહ્મણોએ બૌદ્ધ મંદિરોમાં યજ્ઞ, હવન અને ધાર્મિક વિધિઓ કરવાનું શરૂ કર્યું, જેના કારણે બૌદ્ધ ધર્મ તેની મૂળ ક્રાંતિકારી વિચારધારાથી ભટકી ગયો. બુદ્ધના ઉપદેશોને સરળ જીવનશૈલીમાંથી દૂર કરીને ધાર્મિક વિધિઓ સાથે જોડવામાં આવ્યા.

જાતિ વિરોધી વિચારોનું દમન

બુદ્ધે કહ્યું: “ન જાતિ બ્રાહ્મણો હોતિ, ન જાતિ હોતી બ્રાહ્મણો”, એટલે કે જન્મથી કોઈ બ્રાહ્મણ કે શુદ્ર નથી. પરંતુ બુદ્ધના આ વિચારોનો ક્યારેય હિન્દુ ગ્રંથોમાં પ્રચાર કરવામાં આવ્યો ન હતો. તેના બદલે એવું જૂઠાણું ફેલાવવામાં આવ્યું કે બુદ્ધે પણ જાતિ વ્યવસ્થા સ્વીકારી હતી જ્યારે તેમનું આખું જીવન તેની સામે સંઘર્ષમાં વિત્યું હતું. બુદ્ધની સામે મનુવાદીઓનો આ સંઘર્ષ આજેય સતત ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં દેશની પહેલી અનુસૂચિત જાતિ સમાજની બેંક શરૂ થઈ

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x