12,000 કમાતા દલિત યુવકને 36 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી

ઈડરના રતનપુર ગામના દલિત યુવક જીતેશ મકવાણાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 36 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ ફટકારતા પરિવારની મૂંઝવણનો પાર નથી.
dalit ider case

ઈન્કમ ટેક્સ વિભાગ વિશે સામાન્ય માણસમાં એવી છાપ છે કે તેને કોણ કેટલું કમાય છે, કોની પાસે કેટલું બેનામી નાણું છે સહિત તમામ બાબતોની ખબર હોય છે. પણ આ જ ઈન્કમ ટેક્સ વિભાગ જ્યારે નિર્દોષ લોકોને હેરાન કરવા માંડે ત્યારે લોકોમાં તેની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા હોય છે.

સામાન્ય રીતે આઈટી વિભાગ GST તેમજ CGST ટેક્સ મોટી આર્થિક આવક ધરાવતા લોકો પાસેથી વસૂલ કરતો હોય છે. જોકે સાબરકાંઠાના ઈડરના એક દલિત યુવકને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 36 કરોડનો બાકી ટેકસ ભરી જવાની નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે યુવક ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000ની સહાય મેળવી અમદાવાદમાં સામાન્ય ખાનગી કંપનીમાં રૂ. 12,000 પ્રતિ માસે નોકરી કરે છે. એવામાં તેને રૂ. 36 કરોડનો ટેકસ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. આ મામલે પરિવારજનો એ ઇડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે. જોકે હજુ સુધી પરિવારને કોઈપણ પ્રકારની રાહત ન મળતા ગરીબ આ પરિવાર ચિંતામાં મૂકાયો છે.

ઈડરના રતનપુરનો યુવક અમદાવાદમાં નોકરી કરે છે

મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના રતનપુર ગામનો દલિત સમાજમાંથી આવતો યુવક જીતેશ મકવાણા પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે રહે છે. જોકે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેને રૂપિયા 36 કરોડની બાકી ટેક્સની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. જીતેશ મકવાણા પોતે અમદાવાદમાં એક સામાન્ય કંપનીમાં પટાવાળા તરીકે નોકરી કરીને મહિને રૂ. 12 હજાર કમાઈને પરિવારનું ભરણપોષણ કરે છે.

આ પણ વાંચો:  દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં

dalit ider case

એવામાં તેને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 તેમજ 2021-22માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે સમગ્ર પરિવાર માથે જાણે કે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલના તબક્કે પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે. પણ સ્થિતિ જેમની તેમ છે.

જિતેશનું હાલનું બેંક બેલેન્સ માત્ર 12 રૂ. છે

સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં બાકી રહેલી ટેક્સની રકમ ન ચુકવાતા વિવિધ નોટિસ ફટકારતું હોય છે. તેમજ જે તે વ્યક્તિ સામે કાયદાકીય પગલા પણ ભરાતા હોય છે. જોકે જીતેશ મકવાણાનું હાલમાં બેલેન્સ માત્ર 12 રૂપિયા છે. તેમજ ભૂતકાળમાં ટેક્સ આપવાની જેટલી રકમ પણ આજદિન સુધી એકઠી કરી શક્યો નથી. એવી સ્થિતિમાં તેને અધધધ.. 36 કરોડનો ટેક્સ ચૂકવવાની નોટિસ મળતા તેનું જીવવું હરામ થઈ ગયું છે. સામાન્ય આ પરિવાર જ્યારથી નોટિસ મળી છે ત્યારથી શાંતિથી ખાઈ-પી કે ઉંઘી શકતો નથી.

6 સભ્યોના પરિવારની ઉંઘ હરામ થઈ ગઈ

આ પરિવાર દિવસ દરમિયાન રૂ. 200થી 350 સુધીની છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવે છે. જીતેશના પિતા હયાત નથી. તેના વિધવા માતા, પત્ની બે સંતાનો, અને બહેન સહિત છ લોકોના પરિવારનું ગુજરાન તેના પર ચાલે છે.

dalit ider case

તે અમદાવાદની એક કંપનીમાં રૂ. 12 હજારમાં પટાવાળાની નોકરી કરે છે. તેની પત્ની ઘરકામ કરે છે.

કોઈએ ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ તો નથી કર્યો ને?

આ નોટિસ મળતા હિતેશ માને છે કે તેના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કોઈએ ખોટી રીતે તેના નામે રૂપિયાનો વ્યવહાર કર્યો હોઈ શકે છે. જોકે ચાર દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ માતા, બહેન, પત્ની સહિતના તેના પરિવારજનોની આંખોમાંથી આંસુ વરસી રહ્યાં છે. તેમજ યોગ્ય ન્યાય માટે પરિવાર સરકારી તંત્ર સહિત સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યો છે.

dalit ider case

ઈન્કમ ટેક્સ વિભાગ પણ શંકાના દાયરામાં

જિતેશ ઇન્દિરા ગાંધી આવાસ યોજનાનો લાભ લઈને પોતાનું ઘર માંડ ઉભું કરી શક્યો છે. તેની આવક પણ એટલી નથી કે ઈન્કમ ટેક્સ ભરી શકે. એવામાં અચાનક તેને રૂ. 36 કરોડ ભરવાની નોટિસ મળતા સમગ્ર ઈન્કમ ટેક્સ વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં આમ પણ હાલ લેભાગુ તત્વોને મોકળું મેદાન મળી ગયું છે, ચોતરફ નકલીઓની બોલબાલા છે, ત્યારે જીતેશના કેસમાં પણ કોઈ ચાલાક કૌભાંડીનો હાથ છે કે પછી શરતચૂકથી આવું થયું છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: 14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x