‘તમે પહેલગામના હિંદુઓને માર્યા છે, હું તમારી ડિલિવરી નહીં કરાવું…’

ડોક્ટરે મુસ્લિમ પ્રસુતાને કહ્યું, "તમે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા. તમને પણ મારી નાખવા જોઈએ. જેથી તમને ખબર પડે કે તે કેવું લાગે છે."
Pahalgam Jaunpur news

જાતિવાદ માટે કુખ્યાત યુપીમાં એક મુસ્લિમ મહિલાની ડિલિવરી કરાવવાનો સરકારી હોસ્પિટલના ડોક્ટરે ઈનકાર કરી દેતા હોબાળો મચી ગયો છે. ઉત્તર પ્રદેશના જૌનપુરની ગર્ભવતી મુસ્લિમ મહિલાએ આરોપ લગાવ્યો છે કે જિલ્લા હોસ્પિટલના એક ડૉક્ટરે તે મુસ્લિમ હોવાથી તેની પ્રસુતી કરાવવાનો ઈનકાર કરી દીધો હતો.

ધ ઓબ્ઝર્વર પોસ્ટના અહેવાલ મુજબ શમા પરવીન નામની મહિલાએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે, “ડોક્ટરે કહ્યું હતું કે તે મુસ્લિમ દર્દીઓની સારવાર કરશે નહીં. મને સવારે 9 વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવી હતી, પરંતુ મારી પ્રસુતિ કરાવવામાં આવી નહોતી. હું પથારીમાં પડી રહી, પરંતુ ડૉક્ટરે મારી સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો અને બીજા લોકોને પણ કહ્યું હતું કે મને ઓપરેશન થિયેટરમાં ન મોકલો.”

પરવીને ડૉક્ટરને કહ્યું કે તે ભેદભાવ કરી રહી છે. છતાં ડોક્ટરે તેની વાત સાંભળી નહોતી. પરવીનના પતિ અરમાને પણ આ વાતનું સમર્થન કર્યું હતું. તેણે દાવો કર્યો કે ડૉક્ટરે માત્ર તેની પત્ની જ નહીં પરંતુ તે દિવસે હોસ્પિટલમાં આવેલી બીજી મુસ્લિમ મહિલાની પણ સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો.

અરમાને કહ્યું કે, “તેમણે બધા દર્દીઓની તપાસ કરી, પરંતુ જ્યારે મારી પત્ની અને બીજી મુસ્લિમ મહિલાનો વારો આવ્યો, ત્યારે તેઓએ ના પાડી દીધી.”

પરિવારે હોસ્પિટલ સ્ટાફ પર સાંપ્રદાયિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને ડૉક્ટર સામે કાર્યવાહીની માંગ કરી છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં, કોલકાતાના એક ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમણે સાત મહિનાની ગર્ભવતી મહિલાની ધાર્મિક ઓળખના આધારે સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરની સરકારી શાળામાં મુસ્લિમ બાળકો ગરબે ઘૂમ્યાં

મીડિયા રિપોર્ટ મુજબ, ગર્ભવતી મહિલાએ ડૉ. ચંપાકલી સરકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમણે કથિત રીતે તેનું અપમાન કર્યું હતું અને તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન, ડૉક્ટરે મહિલાને સારવાર માટે મસ્જિદ અથવા મદરેસામાં જવાનું કહ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે તેઓ આતંકવાદ સાથે સંકળાયેલા છે. તેમણે કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં આશરે 26 લોકોના મોત થયા હતા.

ડૉ. ચંપાકલી સરકારે કથિત રીતે તેમને કહ્યું હતું કે, “તમે લોકોએ પહેલગામમાં નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા. તમને પણ મારી નાખવા જોઈએ. તમારા પતિને હિન્દુઓ દ્વારા મારી નાખવા જોઈએ જેથી તમને ખબર પડે કે તે કેવું લાગે છે.”

આ ફોન વાતચીત ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી હતી, જે ઝડપથી વાયરલ થઈ રહી હતી અને ઇન્ટરનેટ વપરાશકર્તાઓ દ્વારા તેની તીવ્ર ટીકા કરવામાં આવી હતી.

દરમિયાન, ડૉ. ચંપાકલી સરકારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણીએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા હતા. તેણીએ દાવો કર્યો હતો કે ઓડિયોમાં ચેડાં કરવામાં આવ્યા છે. વીડિયોમાં, તેણીએ કહ્યું, “મારી 30 વર્ષની તબીબી કારકિર્દીમાં, મેં ક્યારેય ધાર્મિક ઓળખના આધારે ભેદભાવ કર્યો નથી. હું મારા બધા દર્દીઓને સમાન પ્રાથમિકતા આપું છું. મારી નજરમાં જાતિ, ધર્મ અને નસ્લનું કોઈ મહત્વ નથી. હું દર્દીઓ સાથે ન્યાયી અને નૈતિક રીતે વર્તવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. કેટલાક લોકોને મારી સાથે વાંધો હતો. મેં આ કન્ટેન્ટ શેર કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.”

ડૉ. ચંપાકલી સરકાર જે હોસ્પિટલમાં કામ કરે છે તેના અધિકારીઓએ પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે અને ઓડિયો ક્લિપને હટાવવાની વિનંતી કરી છે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x