દલિત સમાજમાંથી આવતા જસ્ટિસ બી.આર. ગવઈ (Justice B R Gavai) ને ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ 14 મે, 2025 ના રોજ પદ સંભાળશે. તેઓ વર્તમાન ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જે 13 મે ના રોજ નિવૃત્ત થશે. આ ઘટના ઐતિહાસિક બની રહેશે. કેમ કે, જસ્ટિસ બી.આર. ગવઈ પૂર્વ મુખ્ય ન્યાયધીશ કે.જી. બાલકૃષ્ણન બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનનાર માત્ર બીજા દલિત મુખ્ય ન્યાયધીશ હશે. આ ઘટના દેશમાં દલિત સમાજના વધતા પ્રભુત્વને પણ દર્શાવે છે.
૨૪ નવેમ્બર, ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલા જસ્ટિસ ગવઈ(Justice B R Gavai) સામાજિક કાર્યકર, ભૂતપૂર્વ સાંસદ અને બિહાર તથા કેરળના ભૂતપૂર્વ રાજ્યપાલ રહેલા આર.એસ. ગવઈના પુત્ર છે. ૧૯૮૫માં વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તેમણે બોમ્બે હાઈકોર્ટમાં બંધારણીય અને વહીવટી કાયદાની પ્રેક્ટિસ કરી, નાગપુર અને અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનો, અમરાવતી યુનિવર્સિટી અને SICOM અને DCVL જેવી સરકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૯૨ થી તેમણે નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે સેવા આપી અને વર્ષ ૨૦૦૦ સુધીમાં તેઓ સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર બન્યા.
Chief Justice of India Sanjiv Khanna has written to the Union Law Ministry recommending Justice B R Gavai, as the next Chief Justice of India. CJI Khanna is set to demit office on May 13,2025. Justice Gavai will be the 52nd Chief Justice of India #CJI #SupremeCourt pic.twitter.com/OFGE0w7piA
— Bar and Bench (@barandbench) April 16, 2025
જસ્ટિસ ગવઈ(Justice B R Gavai)ની ન્યાયિક કારકિર્દી ૧૪ નવેમ્બર ૨૦૦૩ના રોજ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે શરૂ થઈ હતી અને ૧૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ તેઓ કાયમી જજ બન્યા હતા. તેમણે મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજીમાં કેસની સુનાવણી કરી હતી. ૨૪ મે ૨૦૧૯ના રોજ તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી. કોલેજિયમે તેમની નિમણૂક માટે તેમની વરિષ્ઠતા, પ્રામાણિકતા અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વની જરૂરિયાતને આધાર તરીકે ગણાવી હતી.
આ પણ વાંચો: 12,000 કમાતા દલિત યુવકને 36 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી
જો કે જસ્ટિસ ગવઈ(Justice B R Gavai) એ જે ચૂકાદાઓમાં યોગદાન આપ્યું છે તેમાંના કેટલાક વિવાદાસ્પદ રહ્યાં છે. જેમાં 2016ની નોટબંધીને સમર્થન આપવા અને 2023માં કલમ 370 નાબૂદ કરવાના ચુકાદાઓનો સમાવેશ થાય છે. હાલમાં જ તેમણે એસસી.એસટી અનામતમાં પેટા વર્ગીકરણ અને ક્રીમીલેયર દાખલ કરવાને સમર્થન આપતો ચૂકાદો આપ્યો હતો, જેની દેશભરમાં ભારે ટીકા થઈ હતી.
VIDEO | Delhi: Justice Bhushan Ramkrishna Gavai pays tribute to Dr. B.R. Ambedkar on his birth anniversary at the Supreme Court. Here’s what he said:
“The nation is always grateful to Dr. Ambedkar because of the Constitution framed by him and his colleagues. India is strong,… pic.twitter.com/UC4n7Z245Y
— Press Trust of India (@PTI_News) April 14, 2025
જો કે તેમણે આપેલા કેટલાક ચૂકાદાઓ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા લોકોની શ્રદ્ધાને ટકાવી રાખે તેવા છે. જેમ કે, ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરવામાં અને વકીલ પ્રશાંત ભૂષણ સામેના અવમાનના કેસમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ અને મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી, નાગપુરના કુલપતિ તરીકે તેમણે કાનૂની પ્રવેશ અને શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું.
માર્ચ 2025 માં કેન્યાની સુપ્રીમ કોર્ટમાં બોલતા તેમણે ન્યાય વિતરણમાં ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂક્યો અને લાઇવસ્ટ્રીમ કાર્યવાહીમાંથી ખોટી માહિતીના ભય સામે ચેતવણી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શપથ ગ્રહણ સાથે જસ્ટિસ ગવઈ CJI ની ભૂમિકા સંભાળશે અને 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્તિ સુધી સેવા આપશે.
આ પણ વાંચો: ભારતમાં સત્તાધારીઓ કેમ ‘સમ્રાટ અશોક’ થી અંતર જાળવે છે?