આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી માર્યો, પેન્ટમાં કીડીઓ નાખી

આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી કેટલાક લોકોએ તેને માર મારી તેના પેન્ટમાં લાલ કીડીઓ નાખી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Tribal boy

કર્ણાટકના દાવણગેરે જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક આદિવાસી કિશોરને કેટલાક લોકોએ ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો અને તેના આંતરવસ્ત્રો અને ગુપ્તાંગમાં લાલ કીડીઓ છોડી મૂકી હતી. કીડીઓના ચટકાં ભરવાથી કિશોર રાડો પાડી ઉઠ્યો હતો અને તેને માર મારનાર લોકોએ તેનો પિશાચી આનંદ લીધો હતો. આ આખી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એ પછી લોકોએ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો શરૂ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ઘટના કર્ણાટકના ચન્નાગિરી તાલુકાના નલ્લુર નજીકના અસ્તપનહલ્લી ગામના હક્કી-પિક્કી આદિવાસી સમાજ સાથે જોડાયેલી છે. અહીં એક આદિવાસી કિશોર પર કેટલાક લોકોએ ચોરીનો આરોપ મૂક્યો હતો અને સજા તરીકે તેને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતની વધતી વસ્તી વચ્ચે ઘટતો Fertility Rates શું સૂચવે છે?

આ ઘટના થોડા દિવસો પહેલા બની હતી, પરંતુ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો મોટાપાયે શેર થયા પછી તે લોકોના ધ્યાન પર આવ્યો હતો. વીડિયોમાં છોકરાને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યાંનું જોઈ શકાય છે. ક્રૂરતાની હદ તો ત્યારે થઈ જ્યારે હુમલાખોરોએ કિશોરના ગુપ્તાંગ પર લાલ કીડીઓ મૂકી દીધી. જેના કારણે કિશોર યાતનાથી રાડો પાડી ઉઠ્યો હતો.

સભ્ય સમાજે કિશોર પર કરવામાં આવેલા અમાનવીય વર્તન પર ફિટકાર વરસાવ્યો છે. દાવણગેરેના પોલીસ અધિક્ષક ઉમા પ્રશાંતે ચન્નાગિરી પોલીસને ગામની મુલાકાત લેવા અને વિગતવાર માહિતી એકત્રિત કરવા નિર્દેશ આપ્યો છે. હવે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને પોલીસે આ ક્રૂર કૃત્ય માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.

પોલીસ અધિકારીઓ આ વીડિયો કેવી રીતે સામે આવ્યો તેની પણ તપાસ કરી રહ્યા છે અને લોકોને આ વીડિયો વધુ શેર ન કરવા વિનંતી કરી રહ્યા છે, કારણ કે તેમાં એક સગીરનો સમાવેશ થાય છે અને તે પીડિત કિશોરને વધારે આઘાત પહોંચાડી શકે છે. આ ઘટનાની ન માત્ર કર્ણાટકમાં પરંતુ દેશભરમાં નિંદા થઈ રહી છે. પોલીસ તપાસમાં હુમલાખોરો કિશોરની જ સમાજના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: રામ નવમીએ જોખમી સ્ટંટ કરતી વખતે યુવકને આગ લાગી ગઈ

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x