મહાબોધિ મુક્તિ આંદોલનનો મુદ્દો બિહાર વિધાનસભામાં ગુંજ્યો

મહાબોધિ મુક્તિ આંદોલનને લઈને આરજેડીના ધારાસભ્ય સતીશ કુમારે બિહાર વિધાનસભામાં ધારદાર ભાષણ કરી બોધ ગયા બૌદ્ધોને સોંપી દેવાની તરફેણ કરી છે.
satish kumar das MLA RJD

મહાબોધિ મુક્તિ આંદોલન(Mahabodhi Mukti Andolan)ને આજકાલ કરતા એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જો કે મુખ્યધારાનું મીડિયા હજુ પણ તેને કવરેજ આપતું ન હોવાથી આખો મામલો માત્ર બહુજન યુટ્યુબરો અને સ્વતંત્ર પત્રકારો જ ઉઠાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં આરજેડી(RJD)ના ધારાસભ્ય (MLA) સતીશ કુમારે (satish kumar das)બિહાર વિધાનસભા(Bihar Assembly)માં બૌદ્ધ સમાજની માંગણી ઉઠાવી અને બીટી એક્ટ નાબૂદ કરવાની હિમાયત કરી છે. સતીશ કુમારના નિવેદન બાદ બિહાર વિધાનસભામાં હોબાળો થયો હતો, જ્યારે તેમણે રામ મંદિરમાં પણ બૌદ્ધ, મુસ્લિમ અને જૈનોને અધિકાર આપવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ Mahabodhi Mukti Andolan ના સમર્થનમાં બોટાદમાં રેલી નીકળી

બોધગયા મહાવિહારને બ્રાહ્મણોથી મુક્ત કરાવવાની ચળવળ વેગ પકડી રહી છે. આ મુદ્દો ૭ માર્ચે બિહાર વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભામાં રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય સતીશ કુમાર દાસે બીટી એક્ટ રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે ન માત્ર આ મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો, પરંતુ અનેક અણિયાળા સવાલો પણ ઉઠાવ્યા, જેનાથી હિન્દુ ધર્મના ઠેકેદારોને બરાબરના મરચાં લાગ્યા છે.

બિહારની મકદુમપુર વિધાનસભાના ધારાસભ્ય સતીશ કુમારે બિહાર વિધાનસભામાં બૌદ્ધ સમાજની માંગણી ઉઠાવી બીટી એક્ટ નાબૂદ કરવાની હિમાયત કરી અને કલમ 26 હેઠળ બૌદ્ધોને ધાર્મિક સ્વતંત્રતા આપવાની હિમાયત કરી. આ દરમિયાન સતીશ કુમારના નિવેદન બાદ બિહાર વિધાનસભામાં હોબાળો થયો હતો, જ્યારે તેમણે રામ મંદિરમાં પણ બૌદ્ધ, મુસ્લિમ અને જૈનોને અધિકાર આપવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ Bodhi Gaya માં બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન, અનેકની તબિયત લથડી

બિહાર વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવાયા બાદ હવે બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ મુદ્દે આરજેડીના ધારાસભ્યોએ ભાજપ અને જેડીયુને ઘેરવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિ એવી છે કે બોધગયા મહાવિહારને સંપૂર્ણપણે બૌદ્ધોને સોંપવાની વિશ્વભરમાંથી ઉઠતી માંગનો મુદ્દો હવે નીતિશ કુમાર અને ભાજપ માટે ગળામાંનું હાડકું બની ગયો છે. ૧૦ માર્ચે દિલ્હીમાં બીજા બજેટ સત્રની શરૂઆત થયા પછી સંસદમાં પણ આ મુદ્દો ગુંજશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x