બિહારના સમસ્તીપુર જિલ્લાના વારિસનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લખનપટ્ટી ગામના વોર્ડ-8માંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. અહીં દલિતવાસમાં ભીષણ આગ લાગી હતી અને 50 થી વધુ ઘરો બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે સ્થાનિક લોકો પોતાના ઘરનો સામાન પણ બચાવી શક્યા નહીં. આગની આ ઘટનામાં 2 પશુઓના મોત થયા હતા.
આગમાં લાખોની મિલકત બળીને ખાક થઈ ગઈ
દેવેન્દ્ર પાસવાન નામના દલિત યુવકના ઘરે આગ લાગી હતી. જ્યાંથી ભારે પવનને કારણે નજીકના ઘરોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આગની માહિતી મળતાં જ વારિસનગર પોલીસ સ્ટેશનની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આગ એટલી ભયંકર હતી કે એક પણ ફાયર એન્જિન તેને ઓલવી શક્યું નહોતું. એ પછી જિલ્લા વહીવટીતંત્રે મોટા ફાયર ફાઈટરો મોકલ્યા, જેમણે કલાકોની મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં લાખો રૂપિયાની મિલકત બળીને ખાખ થઈ ગઈ હતી.
આગમાં બે પશુઓના મોત
આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટના ગ્રામજનો માટે મોટા આઘાત સમાન છે. આગમાં બે પશુઓના મોત થયા, જેના કારણે અસરગ્રસ્ત પરિવારોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
#Samastipur के लखन पट्टी गाँव में लगी भीषण आग, 50 से ज्यादा घर जले.. करीब दो घंटे बाद आग पर पाया गया काबू.#Bihar #BiharNews pic.twitter.com/APhv0sqFnI
— News18 Jharkhand (@News18Jharkhand) February 7, 2025
ગામલોકો કહે છે કે જો વહીવટીતંત્રે સમયસર મોટું ફાયર એન્જિન મોકલ્યું હોત તો નુકસાન ઘટાડી શકાયું હોત.
દલિત પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર
આગની આ ઘટના બાદ અસરગ્રસ્ત દલિત પરિવારોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. વહીવટીતંત્રે કહ્યું છે કે રાહત કાર્ય શરૂ થશે, પરંતુ હાલ ગ્રામજનોને ખાણીપીણીના સામાન અને કામચલાઉ આશ્રયની જરૂર છે. સ્થાનિક વહીવટીતંત્ર કહી રહ્યું છે કે તે ટૂંક સમયમાં પુનર્વસનના પ્રયાસો શરૂ કરશે. આ ઘટનાએ માત્ર ઘરો જ નહીં પરંતુ અનેક પરિવારોના સપનાઓ પણ ચકનાચૂર કરી નાખ્યા છે.
આ પણ વાંચો: ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા