પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.
mauganj gadara village violence

mauganj gadara village violence: મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લાના ગડરા ગામમાં એક બ્રાહ્મણ યુવકના મોત બાદ પોલીસની કથિત એકતરફી કાર્યવાહીના ડરથી ગામના 187 જેટલા દલિત-આદિવાસીઓ ગુમ થઈ ગયા છે. તેમના ઘરે બાંધેલા પશુઓ તરસે મરી રહ્યાં છે. તેમના ઘર જેમના તેમ પડ્યાં છે, જમીનો પણ જેમતેમ પડી છે. પોલીસના ખૌફને કારણે દલિત-આદિવાસીઓના વાસ ખાલી થઈ ગયા છે. ગામમાં સન્નાટો છે.

મામલો શું છે?

મામલો મઉગંજના ગડરા ગામનો છે. માર્ચ 2025માં અહીં એક આદિવાસી યુવક અશોક કોલનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પણ આદિવાસી સમાજનું માનવું હતું કે અશોકનો અકસ્માત નથી થયો પરંતુ હત્યા થઈ છે અને તેમાં સ્થાનિક યુવક સની દ્વિવેદીનો હાથ છે. જો કે પોલીસે અશોક કોલના મોતને અકસ્માત માનીને સની દ્વિવેદીને ક્લિન ચીટ આપી દીધી હતી. આ નિર્ણયથી આદિવાસી સમાજને સંતોષ નહોતો. તેનું માનવું હતું કે, પોલીસે મામલાને ગંભીરતાથી નથી લીધો.

આ પણ વાંચોઃ ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?

૧૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ, હોળી દરમિયાન આ જૂની દુશ્મનાવટે હિંસક સ્વરૂપ ધારણ કરતા આદિવાસી સમાજના કેટલાક લોકોએ સની દ્વિવેદીને બંધક બનાવીને એક રૂમમાં બંધ કરી કથિત રીતે માર મારતા તેનું મોત થયું હતું. સનીના પરિવારે પોલીસને જાણ કરી અને શાહપુર પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંદીપ ભારતીય અને ASI રામચરણ ગૌતમના નેતૃત્વમાં પોલીસે સનીના મૃતદેહનો કબજો લેવા અને આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન પોલીસ પર હુમલો થયો હતો. જેમાં ASI રામચરણ ગૌતમનું મોત થયું હતું, અને અન્ય એક અધિકારી કુમારે લાલ પણિકા સહિત અન્ય ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત

mauganj gadara village violence

વહીવટીતંત્રનું કહેવું છે કે પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા અને બંધકને છોડાવવા ગઈ હતી, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ. હુમલા બાદ 40 થી વધુ દલિત-આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ગામમાં કલમ 163 (અગાઉ કલમ 144) લાગુ કરવામાં આવી હતી અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. ત્યારથી આ ઘટના બાદ સતત પોલીસ દલિત-આદિવાસીઓ પર કાર્યવાહી કરી રહી હોવાનો આક્ષેપ લાગ્યો છે. હિંસા બાદ ૧૮૭ આદિવાસી-દલિતો ગુમ થયા છે. પોલીસ કાર્યવાહીના ડરથી લોકો ગામ છોડીને ચાલ્યા ગયા છે.

આ પણ વાંચોઃ આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી માર્યો, પેન્ટમાં કીડીઓ નાખી

BSP એ સીબીઆઈ તપાસની માંગ કરી

આ મામલે બહુજન સમાજ પાર્ટી(BSP) કાયમની જેમ દલિત-આદિવાસીઓના સમર્થનમાં બહાર આવી છે. બસપાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. હાલ ગડરા ગામમાં રાજકીય માહોલ તંગ અને ગરમ છે. હિંસાની ઘટના બાદ ૧૮૭ આદિવાસી-દલિતો ગુમ છે. ઘરોને તાળા લાગી ગયા છે અને તેમના ગાય-ભેંસ અને બકરીઓની હાલત ગંભીર બની રહી છે. ઉનાળામાં ખોરાક અને પાણીની અછતને કારણે આ મૂંગા પ્રાણીઓની હાલત વધુ ખરાબ થઈ રહી છે. હિંસાની ઘટના બાદ પોલીસની કથિત એકતરફી કાર્યવાહીના ડરથી દલિત-આદિવાસીઓ ગામ છોડીને ચાલ્યા ગયા છે. આ મામલે બહુજન સમાજ પાર્ટીના નેતાઓ સક્રિય થઈ ગયા છે. તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે. નેતાઓનું કહેવું છે કે પોલીસ અને વહીવટીતંત્રના ડરને કારણે લોકો આગળ આવી રહ્યા નથી અને આવશે પણ નહીં. પ્રદેશ ધારાસભ્ય અને મઉગંજના એસપીનો દાવો છે કે જો પોતાના ઘર અને ગામ છોડી ગયેલા લોકો પાછા ફરે તો પોલીસ તેમને સંપૂર્ણ સહયોગ આપશે. પણ લોકોને તેમના પર તસુભાર પણ વિશ્વાસ નથી.

આ પણ વાંચોઃ Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ

mauganj gadara village violence BSP raily
બસપા કાર્યકરોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું (Image-DB)
4 એપ્રિલે ત્રણ આદિવાસીઓના મોત થયા હતા

મૌગંજ જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગડરા ગામમાં હિંસાની આગ હજુ સુધી ઓલવાઈ નથી અને 4 એપ્રિલે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ આદિવાસીઓના મોત બાદ આ મામલે રાજકારણ તેજ બન્યું છે. ગામની સ્થિતિ એવી છે કે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ આ ગામને લઈને રાજ્યમાં રાજકીય વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે. ગામમાં કલમ ૧૬૩ અમલમાં છે. ચારે બાજુ પોલીસની નજર છે. આવી સ્થિતિમાં, 50 થી વધુ દલિત-આદિવાસીઓના ઘરોને તાળા લાગી ગયા છે અને આ ઘટના પછી ૧૮૭ લોકો ગુમ છે. કેટલાક લોકો પોતાના ઘર અને ગામ છોડીને ગુમ થઈ ગયા છે. તેમના ઢોર અને બકરાની હાલત ખરાબ છે. આવી સ્થિતિમાં, ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓએ બકરા અને ગાયોની સેવા કરવી પડે છે.

આ પણ વાંચોઃ દલિત યુવકને પોલીસ પકડી ગઈ, બે દિવસ પછી સીધી લાશ મળી

સ્થાનિક દલિત-આદિવાસીઓનું માનીએ તો, સની દ્રિવેદીની હત્યા પછી થયેલી પોલીસ કાર્યવાહીમાં લોકોને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો હતો કે તે જોયા અને સાંભળ્યા પછી લોકો ગામ છોડીને ભાગી ગયા છે. જે લોકો ગામ ન છોડી શક્યા તેઓ અંદરને અંદર ગુંગળાઈને મરી રહ્યાં છે.

આદિવાસી પરિવારના ત્રણ લોકોના મોત થયા

આ ગામમાં પહેલી ઘટના બન્યા પછી તરત જ પોલીસે સમગ્ર કેસમાં ત્રણ ડઝનથી વધુ લોકોને આરોપી બનાવ્યા છે. આરોપીઓની ધરપકડ અને અટકાયત પછી પોલીસ અને વહીવટીતંત્રે તેમની સાથે જે રીતે વર્તન કર્યું છે, તેનાથી માત્ર ગામના લોકો જ નહીં પરંતુ તેમના નજીકના સંબંધીઓ પણ હેરાન-પરેશાન થયા છે. એનું જ કારણ છે કે 4 એપ્રિલે શંકાસ્પદ સંજોગોમાં બંધ ઘરમાંથી આદિવાસી પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા એ પછી પ્રાદેશિક નેતાઓ અને બસપા નેતાઓએ રાજકારણ તેજ કરી દીધું છે અને રાજ્યપાલના નામે મઉગંજ જિલ્લા વહીવટીતંત્રને 9 મુદ્દાની માંગણીઓ સાથે એક આવેદનપત્ર સુપરત કર્યું છે. જેમાં પોલીસ દ્વારા દલિત-આદિવાસીઓને ત્રાસ આપવામાં આવ્યાના સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા દલિત યુવકે ગળેફાંસો ખાઈ લીધો?

બીએસપીએ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું

ગામના નિર્દોષ અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લોકો સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી ક્રૂર કાર્યવાહી પર બસપાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આવેદનપત્રમાં મૃતક અશોક કોલના શંકાસ્પદ મોત અને 4 એપ્રિલના રોજ ઔસરી સાકેત અને તેના બે માસૂમ બાળકોના શંકાસ્પદ મૃત્યુની સીબીઆઈ અથવા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે. આ ઘટના પછી, ગામમાંથી 187 દલિત-આદિવાસી ભાઈ-બહેનો ગુમ છે, 50 થી વધુ ઘરોને તાળા લાગ્યા છે. આ માત્ર અત્યાચાર નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે. બીએસપીના જિલ્લા પ્રમુખ અનિતા સુમને પણ સ્થાનિક ધારાસભ્ય પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે તેમણે મઉગંજને લૂંટના અડ્ડામાં ફેરવી દીધું છે.

આ પણ વાંચોઃ ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત

દલિતો-આદિવાસીઓને પોલીસ પર કેમ વિશ્વાસ નથી?

અનિતા સુમને કટાક્ષમાં કહ્યું કે ધારાસભ્યએ રાજકારણ છોડીને હરિદ્વાર જવું જોઈએ. સમગ્ર મામલા અંગે, મૌગંજ એસપીએ સ્વીકાર્યું છે કે લોકો આવેદનપત્ર આપીને આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હાલમાં, પહેલી પ્રાથમિકતા એવા લોકોની છે જેમણે પોતાના ઘર અને ગામડા છોડી દીધા છે; તે બધા લોકોએ પાછા આવવું જોઈએ, પોલીસ વહીવટીતંત્ર તેમને સંપૂર્ણ સહયોગ આપશે. જો કે, પોલીસની કથિત એકતરફી કાર્યવાહીને કારણે હિજરતી દલિતો-આદિવાસીઓને તેમના પર જરાય ભરોસો નથી. તેમને લાગે છે કે, તેઓ કથિત સવર્ણોના દબાણ હેઠળ કાર્યવાહી કરી રહ્યાં છે અને નિર્દોષ દલિતોને પણ જેલમાં પુરી દેશે.

આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીએ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં આંગળીઓ ભાંગી નાખી

1 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x