Waqf બિલના વિરોધમાં બંગાળથી ગુજરાત સુધી વિરોધ પ્રદર્શન

સંસદમાં પસાર કરાયેલા Waqf બિલ સામે ગુજરાતથી લઈને બંગાળ સહિત અનેક રાજ્યોમાં મુસ્લિમ સમાજે તેને સરમુખત્યારશાહી ગણાવી વિરોધ કર્યો હતો અને તેના પાછું ખેંચવા માંગ કરી હતી.
against waqf bill

Waqf Bill: વકફ બિલને સંસદમાં મંજૂરી મળતાની સાથે જ પશ્ચિમ બંગાળ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મુસ્લિમ સમાજ રોષે ભરાયો છે અને રસ્તા પર ઉતરી આવી તેનો ઉગ્ર વિરોધ કર્યો. આજે શુક્રવારની નમાજ પછી કોલકાતા, ચેન્નાઈ ને અમદાવાદ જેવા શહેરોમાં મુસ્લિમ સમાજના લોકોએ વક્ફ બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને સરકારને તેને પાછું ખેંચવાની અપીલ કરી. બંગાળની રાજધાની કોલકાતામાં ઘણા લોકોએ ‘અમે વક્ફ બિલનો વિરોધ કરીએ છીએ’ તેવા બેનરો સાથે વિરોધ કર્યો હતો. વકફ સુધારા બિલ 2025 બુધવારે લોકસભામાં અને પછી ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં લાંબી ચર્ચા પછી તેને પસાર કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં મુસ્લિમ સમાજ રસ્તા પર ઉતર્યો

ગુજરાતમાં અમદાવાદ ખાતે મુસ્લિમ સંગઠનો વક્ફ બિલનો વિરોધ કરતા જોવા મળ્યા. લોકોએ ‘તાનાશાહી નહીં ચલેગી’ અને ‘કાળા કાયદાને પાછો ખેંચો’ જેવા નારા પણ લગાવ્યા. વિરોધ કરી રહેલા શોએબ રઝા નામના એક યુવકે ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું, “આ સરકાર મંદિરોની જમીન ચોરી કરે છે.

આ પણ વાંચો: જસ્ટિસ નરીમને મસ્જિદ નીચે મંદિર શોધતા કેસો રોકવાનો ઉપાય બતાવ્યો

તેમણે રામ મંદિરની જમીન ચોરી લીધી અને હવે તેઓ મસ્જિદોની જમીન ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે”. એ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા ઘણા લોકોની અટકાયત પણ કરી હતી.

ચેન્નાઈમાં થલપતિ વિજયની પાર્ટીએ વિરોધ કર્યો

બીજી તરફ ચેન્નાઈમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. અહીં, અભિનેતા વિજયની તમિલગા વેત્રી કઝગમે પણ રાજ્યવ્યાપી વિરોધની જાહેરાત કરી હતી. ટીવીકે કાર્યકરો ચેન્નાઈ, કોઈમ્બતુર અને તિરુચિરાપલ્લી જેવા શહેરોમાં ભેગા થયા અને ‘વક્ફ બિલ પાછું ખેંચો’ અને ‘મુસ્લિમોના અધિકારો છીનવી ન લો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ મુસ્લિમ સંગઠનના સભ્યોએ શુક્રવારે એક વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું. તેમના હાથમાં વકફ બિલ વિરુદ્ધ સૂત્રો લખેલા બેનરો અને પોસ્ટરો પણ હતા.

કોંગ્રેસ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં જશે

આ તરફ કોંગ્રેસે વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે અરજી દાખલ કરતી વખતે વક્ફ બિલને મુસ્લિમ સમાજ પ્રત્યે ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે જો વિપક્ષ ઇચ્છે તો સંસદમાં પસાર થયેલા વક્ફ (સુધારા) બિલને કોર્ટમાં પડકારી શકે છે, પરંતુ તેમણે આ મુદ્દા પર લઘુમતી સમાજના સભ્યોને ઉશ્કેરવાનું અને તુષ્ટિકરણની ક્ષુલ્લક રાજનીતિ કરવાનું ટાળવું જોઈએ.

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદ સંકુલમાં પત્રકારોને જણાવ્યું, “કોંગ્રેસના કેટલાક કાનૂની નિષ્ણાતો વારંવાર કહી રહ્યા છે કે વકફ બિલ ગેરબંધારણીય છે અને તેઓ કોર્ટનો સંપર્ક કરશે. તેમને કોર્ટમાં જવા દો. તેમને કોઈ રોકી રહ્યું નથી.”

આ પણ વાંચો: Waqf બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x