નવા ભાવ સાથેની જંત્રી એપ્રિલમાં લાગુ થવાની શક્યતા

જંત્રીમાં ફેરફારને લઈને રાજયમાંથી 11 હજાર જેટલી અરજીઓ મળી હતી. હવે કેબિનેટની બેઠકમાં જંત્રીને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Jantri

રાજયમાં જંત્રીને લાગુ કરવાને લઈને ગઇકાલે મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર સંભવત: આગામી મહિનાથી જંત્રી અંગેના નવા દરોને જાહેર કરે તેવી સંભાવના છે.

રાજયમાં હાલમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાનમાં ગઈકાલે મંગળવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજયમાં નવી જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવા મોટા અપડેટ સામે આવ્યા છે કે, રાજયમાં આગામી મહિને એટલે કે આગામી એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ જંત્રીના ભાવોમાં રાહત અપાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

મંગળવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક યોજાઈ હતી. જેમાં બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓ અને બજેટના અમલીકરણ અંગે ચર્ચાઓ કરાઇ હતી. આ ઉપરાંત વિધાનસભાના ચાલુ બજેટ સત્રના કામો સંદર્ભે પણ મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં નવી જંત્રીના દર નક્કી કરીને તેને અમલી કરવા અંગે તેમજ નવી જંત્રી સંદર્ભે આવેલી અરજીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જંત્રીના દરમાં ઘટાડો કરવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીમંડળની બેઠકના અંતે નિર્ણય લેવાયો હતો કે, રાજયમાં લાગુ કરવામાં આવનાર નવી જંત્રીના નવા દર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારને રાજયભરમાંથી 11000 જેટલી વાંધા અરજીઓ જંત્રીના ફેરફાર માટે મળી હતી. આ અરજીઓ પૈકી 6000 જેટલી અરજીઓમાં જંત્રીમાં ઘટાડો કરવા અંગેની રજૂઆતો રાજ્ય સરકારને મળી છે. જેથી આ મામલે હવે મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય કરવામાં આવશે ત્યાર બાદ રાજયમાં જંત્રીના નવા દર જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:  “મારી માતાનું એક જ લક્ષ્ય હતું, મને ભણાવવાનું…”

રાજ્ય સરકારને જંત્રી દરના વધારાને લઈને ઢગલાબંધ વાંધા અરજીઓ મળી હતી. જેમાં રાજય સરકારને આ બે મહિનામાં કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા હતા. તેમાંથી 5400 જેટલા વાંધાઓ શહેરી વિસ્તારમાંથી મળ્યા હતા, જ્યારે 4900 થી વધુ વાદન્હ સૂચનાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પ્રારંભમાં પ્રસિધ્ધ કરેલી જંત્રી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે તા. 20/12/2024 સુધીની સમય અવધિ રાખવામાં આવી હતી. જો કે તે અંગે રાજયભરમાં ભારે વિરોધ સર્જાયો હતો અને ઠેર ઠેર રજૂઆતો થઈ હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આ જાહેર હિતને ધ્યાનમાં રાખીને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા આ મામલે ઓનલાઈનની સાથોસાથ ઓફલાઈન પણ વાંધા સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા નવી જંત્રીના સૂચિત દરો જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યમાં જંત્રીના દરમાં ધરખમ વધારો સૂચવાયો હતો. જેને પગલે રાજયમાં ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં જંત્રી વધારા મામલે રાહત આપતી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જેના પરિણામે આગામી તા. 1 લી એપ્રિલથી રાજયમાં જંત્રીના નવા દરો અસ્તિત્વમાં આવે તેવી સંભાવના વધી છે.

રાજ્યમાં છેલ્લે વર્ષ 2011માં જંત્રીના સરવે બાદના નવા દરો લાગુ થયા હતા. તે પછી વર્ષો સુધી સરવે થયા ન હતા. ત્યાર બાદ બે વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરો બમણા કરીને તેને અમલી કરી દેવાયા હતા. જો કે, સમયે વિવાદ ઉઠતાં સમગ્ર રાજ્યમાં વેલ્યૂ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીનો સરવે કરવામાં આવ્યો છે. જેથી સ્થળ, સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોના વેચાણ સહિતની વિગતો એકત્રિત કરીને ગત નવેમ્બર માસમાં જંત્રીના સૂચિત દરો જાહેર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x