Phule the Film: લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મહાનાયક જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે પરના જીવન પર આધારિત Phule મનુવાદીઓના કારણે આજે રિલીઝ થતા અટકી ગઈ છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. ફૂલેનું ટ્રેલર 24 માર્ચે રિલીઝ થયું હતું અને તેણે આવતાની સાથે જ બધાના દિલ જીતી લીધા છે. અનંત નારાયણ મહાદેવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષમય જીવનને આપણી સમક્ષ રજૂ કરે છે, જેમાં પ્રતીક ગાંધી અને પત્રલેખા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
બહુજન મહાનાયક જ્યોતિરાવ ફૂલેનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૨૭ ના રોજ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો અને આ વર્ષે તેમની ૧૯૮મી જન્મજયંતિ છે. તેઓ એક સમાજ સુધારક, જાતિ વિરોધી કાર્યકર, વિચારક અને લેખક હતા જેમણે પોતાનું જીવન દલિતો અને પછાતોના શિક્ષણ અને ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેમણે પોતાના લખાણોમાં મરાઠી શબ્દ ‘દલિત’ રજૂ કર્યો, જે તે સમયે સમાજ દ્વારા દબાયેલા અસ્પૃશ્ય અને જાતિહીન લોકોનો ઉલ્લેખ કરતો હતો. જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ વર્ષ ૧૮૪૮માં પુણેમાં છોકરીઓ માટે એક શાળા ખોલી, જે ભારતમાં મહિલા શિક્ષણ તરફ એક ક્રાંતિકારી પગલું હતું.
૧૧ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે આ ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ થશે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી સ્પષ્ટ થાય છે કે આ એક એવી વાર્તા છે જે ઇતિહાસને આપણા હૃદય સાથે જોડે છે. બે મિનિટથી થોડું લાંબુ ટ્રેલર તમને ઓગણીસમી સદીના મધ્યભારના મહારાષ્ટ્રમાં ખેંચી જાય છે, જ્યાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ સમાજના કડક નિયમોની સામે બાથ ભીડે છે. પુણેમાં પહેલી કન્યા શાળા ખોલવા માટે, જાતિની દિવાલો અને સ્ત્રીઓ પરના પ્રતિબંધોને તોડવા માટેનો તેમનો સંઘર્ષ ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે. ટ્રેલરના દ્રશ્યો શક્તિશાળી છે.
The impact of the #PhuleTrailer is unreal! This film is set to make history, and I can’t wait to be a part of it. 🔥💯 @pratikg80 @patralekhaa9 @ananthmahadevan @riteshkudecha @anuyachauhanpic.twitter.com/0H62adj2UB
— Rhea (@Rheaa_Aggarwal) March 24, 2025
જ્યોતિરાવ ગુસ્સે ભરાયેલા મનુવાદી ચહેરાઓ સામે અડગ રહે છે, જ્યારે સાવિત્રીબાઈ શાંત પણ ઉત્સાહથી ભરપૂર એવી છોકરીઓને ભણાવે છે, જેમને કોઈ યાદ પણ રાખવા માંગતું નથી. ટ્રેલરમાં એક વાક્ય છે – “હમારા દેશ ભાવના સે ચલતા હૈ” – જે આપણા મનમાં અંકિત થઈ જાય છે. ટ્રેલરમાં જ્યોતિરાવ કહે છે કે બ્રિટિશ શાસન ફક્ત 100 વર્ષ જૂનું છે પણ હું લોકોને 3000 વર્ષ જૂની ગુલામીમાંથી મુક્ત કરવા માંગુ છું.
આ પણ વાંચો: બોલીવૂડમાં કોણ ક્યાં બેસશે, શું ખાશે તે જાતિ મુજબ નક્કી થાય છે…
ટ્રેલરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રિલીઝ થયાને 24 કલાક થઈ ગયા છે અને લોકોને તે ભારે પસંદ પડી રહ્યું છે. એક યુઝરે લખ્યું- “#PhuleTrailer જોયું અને નિઃશબ્દ થઈ ગયો! વાર્તાની તાકાત, લાગણીઓ અને ઊંડાણ અદ્ભુત છે. આ નવો ઈતિહાસ રચવા જઈ રહી છે!” તેમણે ટ્રેલરની યુટ્યુબ લિંક શેર કરી. બીજા એક યુઝરે કહ્યું, “#PhuleTrailer આવી ગયું છે અને માનવમનની યોગ્ય જગ્યાએ ઘા કરે છે!”
Phule શા માટે જોવી જોઈએ?
સવાલ એ થાય કે આ ફિલ્મ શા માટે જોવી જોઈએ. તો સૌથી પહેલી વાત એ કે આ કોઈ હિંદુ-મુસ્લિમનો એંગલ ધરાવતી સત્તાધારીઓ દ્વારા પ્રમોટ કરાયેલી કોઈ પ્રોપેગેન્ડા ફિલ્મ નથી લાગતી કે નથી કોઈ કંટાળાજનક ઇતિહાસનો ક્લાસ. તે બહુજન સમાજના બે મહાનાયકો મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના સાચા અને માનવીય સંઘર્ષને દર્શાવે છે. ફિલ્મ બહુજન સમાજની બે એવી વ્યક્તિની વાત કરે છે જેમણે એકલપંડે મનુવાદી તત્વો અને તેમણે ઉભી કરેલી વર્ણવ્યવસ્થા સહિતની સિસ્ટમને પડકાર ફેંક્યો હતો. તેમણે માત્ર વાતો નહોતી કરી પરંતુ ખરેખર પરિવર્તન આણ્યું હતું. તેમણે દીકરીઓને ભણાવી, જાતિના નિયમો તોડ્યા, અને સત્ય શોધક સમાજની સ્થાપના કરી અનેક બહુજનોને જાગૃત કર્યા. ફિલ્મ ફૂલે દંપતિની મહેનત, હિંમત અને પ્રેમને દર્શાવશે જે દુનિયાને વધુ સારી બનાવે છે.
અભિનયની વાત કરીએ તો, સ્કેમ 1992 માં શાનદાર કામ કરનાર પ્રતીક ગાંધી જ્યોતિરાવ ફૂલેની ભૂમિકામાં એવી રીતે ફિટ બેસે છે જાણે તે તેના માટે જ બનાવવામાં આવી હોય. પત્રલેખા સાવિત્રીબાઈ બનીને સૌ કોઈના દિલ જીતી લે છે – તે મજબૂત અને પ્રેમાળ બંને છે.
આ ફિલ્મ જ્યોતિરાવ ફૂલેના જન્મ દિવસ૧૧ એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ મહાનાયક જ્યોતિરાવ ફૂલેને સમર્પિત છે પણ આજના સમયનો અરીસો પણ છે. જાતિ અને અન્યાય આજે પણ અસ્તિત્વ ધરાવે છે ત્યારે આ ફિલ્મ ઉપદેશ નહીં આપે, પણ તમને એ લડાઈનો ભાર મહેસુસ કરાવશે.
આ પણ વાંચો: 24 દલિતોની હત્યામાં 26 વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો