Somnath Suryavanshi ના મોતમાં પોલીસ જવાબદાર, તપાસમાં ખુલાસો

મહારાષ્ટ્રના પરભણીમાં ડો.આંબેડકરની પ્રતિમાની તોડફોડ બાદ પોલીસ કસ્ટડીમાં થયેલા દલિત યુવક Somnath Suryavanshi ની મોત મામલે મોટો ખુલાસો થયો છે.
Somnath Suryavanshi

Somnath Suryavanshi Death: મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ (MSHRC) એ કહ્યું છે કે પરભણી જિલ્લામાં સોમનાથ સૂર્યવંશી (Somnath Suryavanshi) ની કસ્ટોડિયલ ડેથ માટે પોલીસ જવાબદાર હતી. આ મામલે ખુલાસો મેજિસ્ટ્રેટ તપાસમાં થયો છે. 20 માર્ચે, MSHRC એ મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (ગૃહ વિભાગ), અધિક પોલીસ મહાનિર્દેશક (CID-ક્રાઈમ) અને પરભણીના નાયબ પોલીસ અધિક્ષક (CID) ને નોટિસ ફટકારી આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. MSHRC સૂર્યવંશીના મૃત્યુ સંબંધિત ફરિયાદોની સુનાવણી કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 35 વર્ષીય સોમનાથ સૂર્યવંશી(Somnath Suryavanshi)નું 15 ડિસેમ્બરના રોજ પરભણીની એક સરકારી હોસ્પિટલમાં જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન મૃત્યુ થયું હતું. પરભણીમાં તોફાની તત્વોએ બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડ્યા બાદ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે સૂર્યવંશીનું મૃત્યુ બીમારીના કારણે થયું હતું. જ્યારે કમિશને કહ્યું કે તેણે “વિરોધાભાસી આદેશોથી બચવા” માટે ઘણી ફરિયાદોને એકસાથે ભેગી કરી હતી. 20 માર્ચે સુનાવણી દરમિયાન MSHRC એ કહ્યું હતું કે તેમને સૂર્યવંશીના કસ્ટોડિયલ ડેથની મેજિસ્ટ્રેટ તપાસનો અહેવાલ મળ્યો છે.

મેજિસ્ટ્રેટે પોલીસને જવાબદાર ઠેરવ્યા

MSHRC એ જણાવ્યું હતું કે આ અહેવાલ 451 પાનાનો છે અને ત્રણ ભાગમાં છે. કમિશને જણાવ્યું કે મેજિસ્ટ્રેટ તપાસ અહેવાલના અવલોકન પરથી જાણવા મળ્યું છે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે સૂર્યવંશી પર પરભણીના નવા મોંઢા પોલીસ સ્ટેશનમાં હુમલો થયો હતો અને તેની કસ્ટોડિયલ ડેથ માટે કેસમાં સામેલ પરભણી પોલીસ અધિકારીઓ જવાબદાર છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો

ત્યારબાદ કમિશને રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી અને આ મામલે તેમની પાસેથી રિપોર્ટ માંગ્યો. કમિશને જણાવ્યું હતું કે સુપરત કરવાના અહેવાલમાં આ મામલે લેવાયેલા સુધારાત્મક પગલાં અને રાજ્ય સરકાર દ્વારા જો કોઈ વળતર આપવામાં આવેલું હોય તો તેની માહિતી હોવી જોઈએ.

વધુ સુનાવણી 23 જૂને થશે

MSHRC એ એવો પણ આદેશ આપ્યો હતો કે પરભણીના અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ અધિક્ષક (CID) ના અહેવાલમાં અકસ્માત મૃત્યુ કેસની તપાસની પ્રગતિ અને કેસમાં ગુનાની નોંધણીની માહિતી સામેલ હોવી જોઈએ. MSHRC એ તેના અહેવાલમાં તમામ પોલીસ અધિકારીઓને નામજોગ નોટિસ ફટકારી છે અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી છે. આ કેસની આગામી સુનાવણી 23 જૂને થશે.

આ પણ વાંચો: દલિત યુગલને મંદિરમાં પ્રવેશતા અટકાવનાર પૂજારીની ધરપકડ

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x