ધર્માંધ ભારત દેશમાં છાશવારે યોજાતા ધાર્મિક મેળાવડાઓમાં સેંકડોની ભીડ એકઠી થાય છે. આવી ભીડમાં ઘણીવાર મોટા અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. આવી જ એક દુર્ઘટના આજે સવારે પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં યોજાયેલા રામદેવપીર મંડપ મહોત્સવ બની હતી. જેમાં અંદાજે 50 થી 55 ફૂટનો ઉંચો મંડપ ઉભો કરતી વખતે તે અચાનક ધરાશાયી થતા મેદાનમાં હાજર ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 16 લોકોને ઈજાઓ પહોંચી છે.
તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મંગળવારની રાત્રીના જ મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા, આજે બુધવારે સવારના સમયે મંડપ ઉભો કરવાનું મર્હુત હતુ પરંતુ જ્યારે મંડપ ઉભો કરવામાં આવ્યો ત્યારે કોઇ કારણોસર તે નીચે પટકાયો હતો.
મંડપ પડકાવાથી એક વ્યકિતનું મોત થયું હતું, જયારે નાસભાગના કારણે 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રિત થયા હતા. હજારોની સંખ્યામાં મંડપ ધરાશાઇ થતા અફરાતફરી મચી હતી. જેના કારણે આ દુર્ધટનામાં 16 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં રામદેવપીર મંડપ મહોત્સવના આયોજન દરમિયાન અંદાજે 55 ફૂટનો મંડપ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત, 16 લોકો ઈજાગ્રસ્ત.#porbandar #mandap_collapse #gujarat pic.twitter.com/YwUK1irypK
— khabar Antar (@Khabarantar01) June 11, 2025
આસ્થાના નામે થતા મોતનો સિલસિલો ક્યારે અટકશે?
આ દરમિયાન અનેક અકસ્માતોમાં સેંકડો લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમ છતાં ધાર્મિક મેળાવડાઓ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. ઉલટાનું દિન પ્રતિદિન ધાર્મિક મેળાવડાઓ વધતા જઈ રહ્યાં છે. જેના કારણે આ પ્રકારના અકસ્માતો જાણે સામાન્ય બની ગયા છે.
આશા રાખીએ કે લોકો આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને બેકાબૂ ભીડનો હિસ્સો બની પોતાનો અને પરિવારજનોનો જીવ જોખમ ન મૂકે.
આ પણ વાંચો: શીવ તાંડવ દરમિયાન મોં પર ભસ્મ લાગતા 8 છોકરીઓ દાઝી ગઈ