અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર 242 પૈકી 241 લોકોના મોત થયા છે. આ સિવાય વિમાન જે બિલ્ડીંગ પર પડ્યું તેમાં રહેતા 60થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો પણ મૃત્યુ પામ્યા છે. હવે ધીમેધીમે દરેક મૃતકની કહાની સામે આવી રહી છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ એ પહેલા સુધી ફ્લાઇટ એટેન્ડન્ટ દીપક પાઠકના મોબાઇલ નંબર પર રીંગ જઈ રહી હતી. તેનાથી તેમના પરિવારને લાગ્યું કે તેઓ કદાચ સુરક્ષિત છે. પરંતુ પછીથી અધિકારીઓએ તેમને પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર આપ્યા.
પિતા સાથે નિવૃત્ત જીવન ગાળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ
કેપ્ટન સુમિત સભરવાલ થોડા મહિનામાં નિવૃત્ત થવાના હતા. 60 વર્ષીય સુમિત નિવૃત્તિ પછી તેમના પિતા સાથે સમય વિતાવવા માંગતા હતા. તેઓ પવઈના જલવાયુ વિહારમાં તેમના 90 વર્ષીય પિતા સાથે રહેતા હતા. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 માં સૌથી સિનિયર ક્રૂ મેમ્બર હતા. આ વિમાન 12 જૂને અમદાવાદમાં અકસ્માતનો ભોગ બન્યું હતું.
આ પણ વાંચો: પ્લેન ક્રેશના મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનોને વળતર માટે સુપ્રીમમાં અરજી
વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોનું મૃત્યુ થયું. પાઇલટ સુમિત સહિત ક્રૂ મેમ્બરમાંથી કોઈ પણ બચી શક્યું નહીં. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કેપ્ટન સુમિતના પડોશીઓએ કહ્યું કે તે થોડા મહિના પછી નિવૃત્ત થવાનો છે અને તેના પિતા સાથે સમય વિતાવવાનો છે.
સુમિત સભરવાલના બે ભાણેજો પણ પાઈલટ છે
સુમિત સભરવાલના ભાણેજો પણ પાઇલટ છે. તેમની મોટી બહેન દિલ્હીમાં રહે છે. તેના બે પુત્રો, એટલે કે કેપ્ટનના ભાણેજો પણ ઉડ્ડયન ક્ષેત્રે કામ કરે છે. બંને કોમર્શિયલ પાઇલટ છે. સુમીતના મૃત્યુથી તેમના પરિવારને આઘાત લાગ્યો છે. દુર્ઘટનાની થોડીક સેકન્ડોમાં, કેપ્ટન સુમીત સભરવાલે MAYDAY કોલ (ઇમરજન્સી કોલ) કરીને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને કટોકટી વિશે જાણ કરી હતી. સહ-પાયલટ ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પણ સભરવાલ સાથે વિમાનમાં હતા, જે તેમને મદદ કરી રહ્યા હતા. તેમને 1,100 કલાક ઉડાનનો અનુભવ હતો.
ये तस्वीर कैप्टन समित सभरवाल की है
दूसरा वीडियो उनके पिता का हैसुमित सभरवाल के 88 वर्षीय पिता मुंबई के पवई इलाके में अकेले रहते हैं।
अब तक बेटा आता रहता था,अब वो भी नहीं आएगा।
कैप्टन सुमीत सब्बरवाल कोई जूनियर नही थे।
कैप्टन सुमीत सब्बरवाल एक LTC थे उनके पास 8200 घंटे का उड़ान… pic.twitter.com/nVkkI4ZUGX— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 12, 2025
‘ફોન પર રીંગ જઈ રહી હતી, મને લાગ્યું તેઓ જીવિત હશે’
બદલાપુરના રહેવાસી ફ્લાઇટ એટેન્ડન્ટ દીપક પાઠક પણ આ વિમાનમાં ફરજ પર હતા. તેઓ 11 વર્ષથી વધુ સમયથી એર ઇન્ડિયામાં કામ કરી રહ્યા હતા. દર વખતે ટેક ઓફ કરતા પહેલા, તેઓ તેમના ઘરે ફોન કરતા હતા. અકસ્માતના દિવસે પણ તેમણે ઘરે ફોન કર્યો હતો. તેમના પરિવારના સભ્યએ જણાવ્યું કે, દીપકે તે દિવસે હંમેશની જેમ તેમને ફોન કર્યો હતો, પણ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ તેનો છેલ્લો ફોન હશે.
Deepak Pathak, a resident of Badlapur in Maharashtra and an employee of Air India, lost his life in the recent plane crash in Ahmedabad. The tragic news has sent shockwaves through his hometown, where friends and family gathered at his residence upon hearing of the incident.… pic.twitter.com/DjnURQN4Zu
— Monika Singh (@11monikaSingh) June 12, 2025
જ્યારે અકસ્માત થયો, ત્યારે શરૂઆતમાં દીપકના નંબર પર થોડા સમય માટે રીંગ વાગી રહી હતી. જેથી તેના પરિવારને લાગ્યું કે કદાચ તે સુરક્ષિત છે. પરંતુ પછીથી અધિકારીઓએ તેમને પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર આપ્યા હતા.
સૈનિતા ચક્રવર્તી અને રોશની સોનઘારે સફળતા માણી ન શકી
35 વર્ષીય સૈનિતા ચક્રવર્તીને તેના મિત્રો ‘પિંકી’ કહેતા હતા. તે પણ આ વિમાનની ક્રૂ મેમ્બર હતી. તે જુહુ કોલીવાડામાં રહેતી હતી. એર ઈન્ડિયા પહેલા, તે ગો એરમાં કામ કરતી હતી. તેના એક મિત્રએ જણાવ્યું કે તે સખત મહેનત પછી અહીં પહોંચી હતી.
Every victim in an air crash was once a vibrant, living soul🙏
Roshni Rajendra Songhare, a 26-year-old Indian flight attendant with over 50,000 Instagram followers, loved to travel and share the beauty of life through her journeys. Rest in peace🕊️#planecrash #AirIndiaPlaneCrash… pic.twitter.com/zGbo2FWvnS
— Quest4Truth (@Quest4Truth25) June 13, 2025
27 વર્ષીય રોશની રાજેન્દ્ર સોનઘારેએ પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. તેના એક સંબંધીએ જણાવ્યું કે એર હોસ્ટેસ બનવાનું તેનું સ્વપ્ન હતું. તે ડોંબિવલી પૂર્વમાં ન્યૂ ઉમિયા કૃપા સોસાયટીમાં તેના માતાપિતા અને ભાઈ સાથે રહેતી હતી. આ બંનેએ પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો: દલિત રીક્ષાચાલકની પુત્રી પહેલીવાર ફ્લાઈટમાં બેઠી અને મોત મળ્યું