જાતિવાદનો ભોગ બનેલા PI એ હિંદુ ધર્મ છોડ્યો, હવે બૌદ્ધ બનશે?

કથિત સવર્ણ પોલીસ અધિકારીઓના શોષણનો ભોગ બનેલા એક PI એ હિંદુ દેવી-દેવતાઓએ ધાર્યું કામ ન કરતા ફોટા ઘરમાંથી કાઢીને બહાર મૂકી દીધાં છે. હવે બૌદ્ધ ધર્મ અપનાવશે?
mohityadav

ઝાંસી (jhansi) માં જાતિવાદનો ભોગ બનેલા અને સસ્પેન્ડ કરાયેલા ઇન્સ્પેક્ટર મોહિત યાદવે (suspended inspector mohit yadav) હિન્દુ ધર્મ છોડી દીધો (leaves hinduism) છે. હવે તેઓ બૌદ્ધ બનશે (becomes buddhist) તેવી શક્યતા છે. તેમણે કહ્યું- આ રાક્ષસી સ્વભાવના લોકો છે. તેમણે કહ્યું કે હું પૂજા અને પ્રાર્થના કરીને કંટાળી ગયો છું પણ કોઈ દેવી-દેવતા મારી પ્રાર્થાના સાંભળીને મારી વ્હારે નથી આવ્યા. મારું શોષણ થઈ રહ્યું છે. આથી તેમણે હિન્દુ ધર્મ છોડવાની જાહેરાત કરી છે. મોહિત યાદવે જાતિવાદનો આરોપ લગાવીને હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે જાતિના આધારે તેમનું શોષણ થઈ રહ્યું છે અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મોહિત યાદવે પોતાના ઘરમાં રાખેલા દેવી-દેવતાઓના ચિત્રો પણ કાઢીને ઘરની બહાર મૂકી દીધાં છે. RI સાથેના ઝઘડા બાદ મોહિત યાદવને ઝાંસી પોલીસ લાઇનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મોહિત યાદવે (Mohit Yadav) કહ્યું કે “મેં હિન્દુ ધર્મ છોડી દીધો છે. મેં એવો ધર્મ છોડી દીધો છે જેમાં જાતિના નામે શોષણ થાય છે, જાતિના નામે બીજાના જીવનને જીવન માનવામાં આવતું નથી. જાતિના નામે દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. છેલ્લા ત્રણ મહિનાથી મારું શોષણ થઈ રહ્યું છે, મારી સામે કેસ નોંધાઈ રહ્યા છે. તપાસ શરૂ થઈ ગઈ છે. મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ બધી બાબતો ફક્ત જાતિના નામે ચાલી રહી છે.”

આ પણ વાંચો:  શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો

મોહિત યાદવે (Mohit Yadav) કહ્યું કે પોલીસ વિભાગમાં ઉપરના સ્તરે એક ચોક્કસ જાતિના જ લોકો બેઠા છે. મારી નજરમાં તેઓ રાક્ષસો છે. તેઓ શૈતાની સ્વભાવના છે. આ લોકો દરરોજ પોલીસ સ્ટેશનમાં દારુ અને માંસ મગાવી મહેફિલો કરે છે. જેમને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ નથી કે નથી તેની પરવા. હું આવા ધર્મમાં રહેવા માંગતો નથી જ્યાં માણસને માણસ ગણવામાં નથી આવતો.

મોહિત યાદવે (Mohit Yadav) દાવો કર્યો હતો કે હવે તે એવો ધર્મ અપનાવશે જેમાં કોઈ જાતિવાદ નહીં હોય. જ્યાં પ્રેમ, દયા જેવી વસ્તુઓ હશે. જોકે તેમણે આ સમય દરમિયાન કોઈ ધર્મનું નામ લીધું ન હતું, પરંતુ તેમના ઈશાર પરથી તેઓ બૌદ્ધ ધર્મ અપનાવશે તેમ લાગી રહ્યું છે. મોહિત યાદવે કહ્યું કે મારું હિન્દુ ધર્મ છોડવાનું સૌથી મોટું કારણ શોષણ છે. હું પૂજા કરીને કંટાળી ગયો છું. ન તો દેવી-દેવતાઓ મારું સાંભળે છે કે ન તો તેમના ઠેકેદારો તેમના સુધી મારું દુઃખ પહોંચાડે છે. પોતાના સર્વશ્રેષ્ઠ ગણતા લોકો જાતિના નામે મને ધમકાવે છે અને મારું શોષણ કરે છે. ભગવાનના ઠેકેદાર લોકો મારું શોષણ કરી રહ્યા છે. જેમના કર્મ શરૂઆતથી જ નક્કી હતા, તેઓ જ આપણું શોષણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મોહિત યાદવ (Mohit Yadav) ને RI સાથેના ઝઘડા બાદ ઝાંસી પોલીસ લાઇનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની સામે નોંધાયેલા કેસમાં પણ તપાસ ચાલી રહી છે. આ પહેલા મોહિત યાદવ એલાઇટ ચાર રસ્તા પર ચાની સ્ટોલ લગાવીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. તેમની સામે ગેરશિસ્ત બદલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: શાળામાં સરસ્વતી પૂજાને લઈને બબાલ, દલિતોના બાઈક સળગાવ્યા

1 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x