તેલંગાણાના એક IAS અધિકારી દલિત વિદ્યાર્થીઓને શૌચાલય સાફ કરવાનું કહેવા બદલ મુશ્કેલીમાં મુકાયા છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ બાબતની નોંધ લીધી છે અને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારી છે. આયોગે તેમને 15 દિવસની અંદર આરોપી અધિકારી સામે કાર્યવાહી કરવા અને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
jansatta.com ના અહેવાલ મુજબ, તેલંગાણા સોશિયલ વેલ્ફેર રેસિડેન્શિયલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન્સ સોસાયટી (TGSWREIS) ના સચિવ ડૉ. વી.એસ. અલગુ વર્ષિણીની એક ઓડિયો ક્લિપ એક અઠવાડિયા પહેલા વાયરલ થઈ હતી. જેમાં તેઓ કથિત રીતે ગુરુકુલ સ્કૂલના દલિત વિદ્યાર્થીઓને શૌચાલય અને હોસ્ટેલના રૂમ સાફ કરવાનું કહી રહી છે.
વાયરલ વીડિયોમાં મહિલા અધિકારી શું કહેતા જણાય છે?
વાયરલ ઓડિયોમાં, આઈએએસ વર્ષિણી કહે છે, “વિદ્યાર્થીઓએ રૂમની સફાઈ કરવી જોઈએ. તેમના રૂમ કોણ સાફ કરશે? એકવાર સફાઈ કર્મચારી સાફ કરી દેશે. તેઓ પોતાના ટોઈલેટ જાતે કેમ સાફ નથી કરી શકતા? એમાં શું ખોટું છે? હું કોઈને લક્ઝરી નથી આપી શકતી.”
R.S. પ્રવીણકુમારે રેવંત રેડ્ડીને સવાલ કર્યો
આ ઓડિયો સામે આવ્યા પછી, આખો મામલો રાજકીય બની ગયો. વિરોધ પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના નેતાઓ આ અંગે તેલંગાણા સરકાર પર ઉગ્ર પ્રહારો કરી રહ્યા છે. પક્ષના નેતા આર.એસ. પ્રવીણ કુમારે સીએમ રેવંત રેડ્ડીને પૂછ્યું છે કે શું તેમના બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે તેના બાથરૂમ સાફ કરે છે?
આ પણ વાંચો: 50 ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દેનાર ડોક્ટર ઝડપાયો
અધિકારીને બરતરફ કરવાની માંગ કરતા તેમણે કહ્યું, “આઈએએસ અધિકારી ગુરુકુળ શાળાઓમાં ભણતા દલિત વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહ્યા છે. વર્ષિણીજીનો આ આદેશ અત્યંત અપમાનજનક છે અને બ્યૂરોક્રસીમાં મનુવાદી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. આવા આદેશો પર સવાલ ઉઠાવનારા વાલીઓને તેઓ ધમકી આપી રહ્યાં છે.”
BRS ના એમએલસીએ ટ્વિટ કરી વિરોધ નોંધાવ્યો
BRS ના MLC કલવકુંતલા કવિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વાયરલ ઓડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે બીઆરએસ શાસન દરમિયાન, દરેક સમાજ કલ્યાણ શાળામાં 4 કામચલાઉ કર્મચારીઓ રાખવા માટે દર મહિને 40,000 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ કોંગ્રેસ સરકારે આ વર્ષે મે મહિનાથી તેને બંધ કરી દીધું છે. હવે વિદ્યાર્થીઓને વોર્ડનની ભૂમિકા ભજવવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું, આ વર્તન ભેદભાવપૂર્ણ અને શોષણકારક છે. તે બાળ અધિકારો અને આદરના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
Congress government’s anti-poor attitude is reflected in this shocking behaviour by an official, at Social Welfare Gurukul Society.
The evidence of which is available in the audio clip !!
Each social welfare school was granted Rs 40,000 per month during the BRS rule for hiring… pic.twitter.com/GcDfgKHXBl
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 28, 2025
IAS વર્ષિણીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી
હોબાળો થતા IAS અધિકારી વર્ષિણીએ તેમના પરના આરોપો અંગે સ્પષ્ટ કરી છે. X પર બીજો ઓડિયો શેર કરીને, તેમણે વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર રાજકારણ ન કરવા અને તેમના શબ્દોનું ખોટું અર્થઘટન ન કરવા અપીલ કરી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના અભાવના આરોપોને પણ પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે ઘરે માતાપિતાને મદદ કરવી એ બાળકો માટે સામાન્ય દિનચર્યા છે. આ તેમને જાગૃત વ્યક્તિ તરીકે મોટા થવામાં મદદ કરે છે.
This ‘wholistic education’ experiment must start from the so called ‘posh society’ and their kids in their cozy homes and international schools first, not from poor kids. (Ref: Audio instructions of Secretary, Social Welfare, Telangana)
Children from oppressed… https://t.co/jvO5ZEI6mR
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 2, 2025
IAS વર્ષિણી સવર્ણ હિંદુઓના બાળકોને આ સલાહ આપશે?
વર્ષિણીજી ભલે તેમના નિવેદનને સામાન્ય દિનચર્યા સાથે જોડે, પરંતુ હકીકત એ છે કે, આ સલાહ તેમણે માત્ર દલિત વિદ્યાર્થીઓને જ કેમ આપી? શું સવર્ણ જાતિના વિદ્યાર્થીઓની શાળામાં જઈને તેમણે આ સલાહ આપી હોત ખરાં? જે દેશમાં આઈએએસ કક્ષાના અધિકારીઓ જ વર્ણવ્યવસ્થાની મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત હોય ત્યાં તેઓ કેવી રીતે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરી શકે?
આ પણ વાંચો: ગુજરાતના સરકારી બાબુઓએ Five Day Week કરવાની માંગ કરી
I strongly oppse the instructions/advice given by Varshini ji IAS…It is breach of human rights of hostel children. Government must take immediate punishment action against Varshini ji IAS. If she’s interested in such work ,she should start it from her home and her near and dear “CHARITY BEGINS FROM HOME.