દલિત યુવકોને રસ્તામાં રોકી જાતિવાદીઓએ ઢોર માર માર્યો

દલિત યુવકો રિક્ષા રિપેર કરાવવા જતા. જાતિવાદી તત્વોએ તેમને આંતરીને જાતિસૂચક અપશબ્દો કહીને રિક્ષા તોડી નાખી.
dalit news

જાતિવાદી તત્વોને જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ગમે ત્યારે દલિતો પર હુમલો કરી દે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના બેવર પોલીસ સ્ટેશન વિસ્તારના પરોંખા ગામના બે દલિત યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પીડિતોના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મામલો શું હતો?

પરોંખા ગામના રહેવાસી રામરૂપ પુત્ર કનૌજીલાલ જાટવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગયા શનિવારે રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ તેમના બે પુત્રો હેમરાજ અને ગોપાલ ગામના જ અન્ય મિત્રો અશોક, કિશનલાલ અને સુમિત સાથે કામ અર્થે જઈ રહ્યા હતા. આ તમામ લોકો ઓટો રિક્ષામાં સવાર થઈને ઇન્ટરલોકિંગનું કામ કરવા માટે જઈ રહ્યા હતા. રિક્ષા તેમનો પુત્ર હેમરાજ ચલાવતો હતો.

આ પણ વાંચો: ‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’

જ્યારે રિક્ષા ધીરપુર વળાંક પાસે પહોંચી, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ધીરપુર ગામના રહેવાસી ઉત્તમ અને રુસ્તમ ઠાકુરે પોતાની ઈ-રિક્ષા રસ્તાની વચ્ચે આડી મૂકી દીધી હતી. ઓટો ઉભી રહેતા જ બંને આરોપીઓએ હેમરાજને પકડીને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું.

જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કરી દીધો

આરોપ છે કે ઉત્તમ અને રુસ્તમે ઓટો રોક્યા બાદ હેમરાજને બહાર ખેંચ્યો હતો અને જાતિસૂચક ગાળો આપી અપમાનિત કરવાનું શરૂ કર્યું હતું. વિરોધ કરવા જતાં આરોપીઓએ હેમરાજ સાથે બેરહેમીથી મારપીટ કરી હતી. જ્યારે તેનો ભાઈ ગોપાલ તેને બચાવવા વચ્ચે પડ્યો, ત્યારે આરોપીઓએ તેને પણ છોડ્યો નહોતો અને તેની સાથે પણ હિંસક વર્તન કર્યું હતું.

આરોપીઓએ રિક્ષામાં પણ તોડફોડ કરી

માત્ર શારીરિક હિંસા જ નહીં, પણ આરોપીઓએ ઉશ્કેરાટમાં આવીને હેમરાજની ઓટોમાં પણ ભારે તોડફોડ કરી હતી, જેના કારણે વાહનને મોટું નુકસાન થયું છે. હુમલાખોરોએ જતી વખતે પીડિતોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આરોપીઓ ધમકી આપીને ફરાર થઈ ગયા

આ પણ વાંચો: સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?

dalit news

પીડિતોના પિતા રામરૂપે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ તેમને જોઈને આરોપીઓ ધમકી આપતા ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હેમરાજ અને ગોપાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે શું કહ્યું?

બેવર પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, પીડિત પક્ષની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે.

આ પણ વાંચો: ઝૂંપડીમાં રહીને આદિવાસી સંસ્કૃતિ બચાવનાર ભિકલ્યા ઢિંડાને પદ્મશ્રી મળ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x