Phoolan Devi સામે બદલો લેનાર ડાકુ Kusuma Nain નું ટીબીથી મોત

Phoolan Devi એ 22 રાજપૂતોને ગોળી મારી દીધી હતી. જેનો બદલો લેવા Kusuma Nain એ ફૂલન દેવીની મલ્લાહ જાતિના 15 લોકોની હત્યા કરી હતી. કોણ હતી કુસુમા નાઈન?
Kusuma Nain

બેન્ડિટ ક્વિન ફૂલન દેવી (Bandit Queen Phoolan Devi) એ પોતાના પર અત્યાચાર કરનાર 22 રાજપૂતોને લાઈનમાં ઉભા રાખીને ગોળી મારી દીધી હતી. આ ઘટનાનો બદલો લેવા માટે કુસુમા નાઈન (Kusuma Nain) મેદાન પડી હતી. ડાકુ બનેલી કુસુમા નાઈને એ પછી પોતાની ગેંગ સાથે મળીને 15 મલ્લાહોને એજ રીતે લાઈનમાં ઉભા રાખીને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જે રીતે ફૂલન દેવીએ 22 ને માર્યા હતા. આ ઘટના બાદ કુસુમા નાઈન ડાકુઓની દુનિયામાં મોટું નામ બની ગઈ હતી. જો કે વર્ષો પછી તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને બાકીની જિંદગી જેલમાં જ વિતાવી રહી હતી. બે દિવસ પહેલા કુસુમા નાઈન (Kusuma Nain) નું ટીબીની જીવલેણ બિમારીના કારણે મોત થઈ ગયું છે. કુસુમા નાઈને મરતા પહેલા તેના એક ઓળખીતાને કહ્યું હતું કે, ભૂલથી પણ કોઈ ગુનો ન કરવો, નહીંતર આખી જિંદગી મારી જેમ જેલમાં સબડશો. આ કાયદો વ્યવસ્થાની જીત ગણાય. જો સામંતવાદી તત્વોએ ફૂલન દેવીને ન્યાય કર્યો હોત તો કુસુમા નાઈનનો જન્મ ન થયો હોત.

Kusuma Nain
કુસુમા નાઈનની ગેંગ (ફોટોઃ અમર ઉજાલા)

ફૂલન દેવીની જાતિના 15 લોકોને ગોળી મારી દીધી હતી
એક સમયે બંદૂકોના ગર્જનાથી ચંબલમાં આતંક ફેલાવનાર કુસુમ નાઈન (Kusuma Nain) શનિવારે ચૂપચાપ દુનિયા છોડીને ચાલી ગઈ છે. કુસુમા નાઈન, જે વર્ષોથી ભયનો પર્યાય હતી, તે ટીબીથી પીડાતી હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું. કુસુમાને બેન્ડિટ ક્વિન ફૂલન દેવી (Phoolan Devi) સાથે સીધી દુશ્મનાવટ હતી અને તેનો બદલો લેવા માટે કુસુમાએ 15 મલ્લાહોને લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દીધી હતી. આ ઘટના ઔરૈયા જિલ્લાના અસ્તા ગામમાં બની હતી, જેને તેણે લાલા રામ અને શ્રીરામ સાથે મળીને અંજામ આપ્યો હતો. એવું કહેવાય છે કે કુસુમાને લાલારામ સાથે પ્રેમ સંબંધ હતો. લાલારામ સાથે બદલો લેવા માટે ફૂલન દેવી(Phoolan Devi) એ કાનપુર દેહાતના બેહમઈ ગામમાં 22 લોકોને લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દીધી હતી. આનો બદલો લેવા માટે કુસુમા નાઈને લાલારામ સાથે મળીને 15 મલ્લાહોની હત્યા કરી હતી.

આ પણ વાંચોઃ 4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

kusuma-nain-death
કુસુમા નાઈનનો મૃતદેહ આવ્યા બાદ તેના ગામ કુરૈલીમાં ઉમટેલી ભીડ (ફોટોઃ અમર ઉજાલા)

બે જીવતા લોકોની આંખો કાઢી લીધી હતી
આ ક્રૂરતા અહીં જ ખતમ નહોતી થઈ. એ પછી કુસુમાએ આખા ગામમાં આગ લગાવી દીધી હતી. જેમાં એક મહિલા અને તેના 5 વર્ષના બાળકનું બળીને મોત નીપજ્યું હતું. આ ઘટના ૧૯૮૪માં બની હતી, જે ૧૯૮૧માં થયેલા બેહમઈ હત્યાકાંડના બદલા તરીકે કરવામાં આવી હતી. અગાઉ કુસુમાએ એક ઘટનામાં બે જીવતા લોકોની આંખો કાઢી નાખી હતી. એ ઘટના બાદ તે ચંબલ ક્ષેત્રમાં ભયનો પર્યાય બની ગઈ હતી. એવું કહેવાય છે કે ડાકુ રામઆસરે ઉર્ફે ફક્કડ બાબાના સંપર્કમાં આવ્યા પછી તે દસ્યુ સુંદરી બની ગઈ હતી. ફૂલન દેવી મલ્લાહ સમાજના હતા, જ્યારે લાલારામ અને શ્રીરામ રાજપૂત હતા. આ જ કારણ હતું કે બેહમઈ હત્યાકાંડ અને પછી અસ્તા કાંડે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં કોમી તણાવ વધાર્યો હતો. આ બંને ઘટનાઓ દાયકાઓ સુધી ચર્ચામાં રહી હતી.

આ પણ વાંચોઃ આઝાદી પછી પણ ભારત સરકાર દલિતોને પાસપોર્ટ કેમ નહોતી આપતી?

kusuma-nain-death
કુસુમા નાઈનના ગામમાં મૃતદેહની રાહ જોતી મહિલાઓ (ફોટો- અમર ઉજાલા)

૨૦૦૪ માં કુસુમ અને તેની ગેંગે આત્મસમર્પણ કર્યું હતું
કુસુમ નાઈન કેટલી કુખ્યાત હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુપીમાં તેના નામે હત્યા, ખંડણી, લૂંટ અને અપહરણ સહિતના ૨૦૦ જેટલા કેસ નોંધાયેલા હતા. આ ઉપરાંત તે મધ્યપ્રદેશમાં 35 કેસમાં વોન્ટેડ હતી. ઉત્તર પ્રદેશ પોલીસે તેના પર 20,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું, જ્યારે મધ્ય પ્રદેશ પોલીસે 15,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. જાલૌનના ટિકરી ગામની રહેવાસી કુસુમા નાઈન લગભગ બે દાયકા સુધી આતંક મચાવતી હતી પરંતુ તેણે 2004 માં આત્મસમર્પણ કર્યું. કુસુમ સાથે ફક્કડ બાબાએ પણ શરણાગતિ સ્વીકારી હતી. આ ઉપરાંત છતરપુરના રામ ચંદ વાજપેયી, ઇટાવાના સંતોષ દુબે, કમલેશ બાજપાઈ, મનોજ મિશ્રા અને ઘુરે સિંહ યાદવ સહિત ગેંગના ઘણા અગ્રણી સભ્યોએ પણ આત્મસમર્પણ કર્યું હતું.

kusuma-nain-death
કુસુમાના પતિ કેદાર સાથે તેની બીજી પત્નીનો પુત્ર (ફોટો અમર ઉજાલા)

કુસુમાને જેલમાં સજા ભોગવતી વખતે ટીબી થયો હતો
આ ગેંગ કેટલી મોટી હતી એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 21 વર્ષ પહેલાં શરણાગતિ દરમિયાન આ લોકોએ પોલીસને જે હથિયારો સોંપ્યા હતા તેમાં ઘણી બધી અમેરિકન રાઈફલો પણ હતી. 2017 માં કુસુમા નાઈન અને ફક્કડ બાબાને એક અધિકારીની હત્યા અને અપહરણના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજા ભોગવતી વખતે, કુસુમ નાઈન ટીબીના કારણે માંદગીમાં પટકાઈ હતી. ગંભીર રીતે બીમાર પડ્યા બાદ, કુસુમ નાઈનને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. એ પછી પણ જ્યારે તેની તબિયતમાં કોઈ સુધારો ન થયો, ત્યારે તેને લખનૌની KGMU હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ મિલ મજૂર Naran Vora : દલિત અસ્મિતાની અનોખી મિસાલ

kusuma-nain-death
કુસુમાના મોત બાદ ગામમાં ખડકાયેલી પોલીસ (ફોટો-અમર ઉજાલા)

વર્ષ 2004 માં દમોહની રાવતપુર પોલીસ ચોકીમાં શરણાગતિ સ્વીકારી હતી
છેલ્લા બે મહિનાથી ટીબીથી ગ્રસ્ત કુસુમા નાઈન ઈટાવા જેલમાં છેલ્લાં 20 વર્ષથી સજા કાપી રહી હતી. 8 જૂન 2004ના રોજ કુસુમાએ કુખ્યાત ડાકુ રામ આસરે ઉર્ફ ફક્કડ સાથે મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના દમોહ પોલીસ સ્ટેશનની રાવતપુર પોલીસ ચોકી પર શરણાગતિ સ્વીકારી હતી. ભિંડના તત્કાલિન પોલીસ અધીક્ષક સાજિદ ફરીદ શાપૂ સમક્ષ ગેંગના તમામ સભ્યોએ વગર શર્તે આત્મસમર્પણ કર્યું હતું. મરતા પહેલા કુસુમા નાઈનની ખબર પૂછવા પહોંચેલા એક ઓળખીતાને તેમણે કહ્યું હતું કે, જિંદગીમાં કદી કોઈનું ખોટું ન કરવું, કોઈને હેરાન ન કરવા, થઈ શકે તો બે લોકોની મદદ કરવી, ખૂનનું તો સપનામાં પણ ન વિચારવું, નહીંતર આખી જિંદગી જેલમાં જશે. એક રીતે જોવા જઈએ તો ડાકુ બનેલી કુસુમા નાઈને છેલ્લે તો ડો.આંબેડકર રચિત બંધારણને જ સર્વોપરી ગણ્યું, તે મહાનાયક ડો.આંબેડકરની દૂરંદેશીની જીત છે.

આ પણ વાંચોઃ ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
સંજય શૌર્યવંશી
સંજય શૌર્યવંશી
3 months ago

છેલ્લે જે કહ્યું એ Right અને પહેલાં એણે જે કર્યું એ wrong

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x