બોપલમાં દલિત યુવકને ચોર સમજી ત્રણ લોકોએ ઢોર માર મારતા મોત

40 વર્ષના દલિત યુવકને ત્રણ પટેલ યુવકોએ ચોરી સમજી ઢોર માર માર્યો. યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
Bopal Dalit Murder

અમદાવાદ(Ahmedabad) ના ઘુમા (Bopal-ghuma) વિસ્તારમાં ગઈકાલે ચોરીની આશંકામાં ત્રણ પટેલ યુવકોએ 40 વર્ષીય દલિત યુવકની ઢોર માર મારી હત્યા (Dalit youth murder) કરી નાખી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ (3 arrested) કરીને તપાસ શરૂ કરી છે.

બોપલ પોલીસના જણાવ્યા અનુસાર, ઘુમા ગામના વણકરવાસમાં રહેતા મૃતક ઇન્દ્રવદન પરમાર (indravadan parmar)ને શુક્રવારે સવારે 6 વાગ્યે ગંભીર રીતે ઘાયલ હાલતમાં બોપલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સાણંદના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

ઘટના શું છે?
મૃતકના મોટા ભાઈ બિપિન પરમારની ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્દ્રવદન બોપલ-ઘુમાના વિભૂષા બંગલા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ પટેલ યુવકોએ તેને ચોરી આશંકાએ પકડીને ઢોર માર માર્યો હતો. બિપિન ત્યારે તેના બિમાર પિતા સાથે ખાનગી હોસ્પિટલમાં હતો, તેને એક મિત્ર દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી. જ્યારે તે સાણંદના આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યો ત્યારે તેને પોસ્ટમોર્ટમ રૂમમાં તેના ભાઈનો મૃતદેહ મળ્યો હતો.

આ પણ વાંચોઃ ‘તું દલિત થઈને મોંઘી બાઈક ચલાવે છે?’ કહી દલિત યુવકના હાથ ભાંગી નાખ્યા

બિપિનને બાદમાં ખબર પડી કે ત્રણ લોકો – કેતન પટેલ (રહે-નીલકંઠ હાઉસિંગ સોસાયટી, ઘુમા), કંદર્પ પટેલ (ગણેશકુંજ બંગલોઝ, બોપલ) અને સુભાષ પટેલ (ટર્કોઈઝ બ્લુ, શેલા) – એ ઇન્દ્રવદન વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

બિપિન પરમારે આરોપ લગાવ્યો છે કે, તેમના ભાઈને તેમની દલિત જાતિના કારણે આરોપીઓએ નિશાન બનાવ્યો છે. તેમણે કહ્યું, “અમે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવીએ છીએ અને મારા ભાઈની હત્યા ફક્ત ચોરીની શંકામાં કરવામાં આવી હતી. અમે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.”

પોલીસે શું કહ્યું?
બોપલ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલે જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓની ભારતીય દંડ સંહિતા (BNS) ની હત્યા અને ઉશ્કેરણીની કલમો સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act- Atrocity Act) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા કેતન પટેલે થોડા દિવસ પહેલા મૃતક ઇન્દ્રવદન પરમાર પર તેની દુકાનમાંથી મેટલ પાઇપ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ગુરુવારે રાત્રે, તેણે તેના મિત્રો – ટિફિન સર્વિસ ચલાવતા કંદર્પ પટેલ અને સાઇનબોર્ડ પ્રિન્ટિંગનો વ્યવસાય કરતા સુભાષ પટેલ સાથે મળીને ઇન્દ્રવદનને રંગેહાથ પકડવાનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા

ત્રણેયે ઇન્દ્રવદનને ચોરીના આરોપસર પકડ્યો હતો અને બોપલ પોલીસ સ્ટેશન લઈ જતા પહેલા તેને નિર્દયતાથી માર માર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે જણાવ્યું હતું કે, “જ્યારે ઇન્દ્રવદનને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી અને તે બેભાન થઈ ગયો હતો. તેને પહેલા ઘુમા સીએચસી લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે બંધ હતું, ત્યારબાદ તેમને સાણંદ સીએચસી લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.”

સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ
આ ઘટનાને લઈને સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દલિત સમાજના સામાજિક સંગઠનો અને સમાજના નેતાઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા આપવાની માંગ કરી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદા મુજબ ન્યાય થશે. બોપલ પોલીસે બનાવના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક ઈન્દ્રવદન પરમાર છ માસ પહેલા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, પરંતુ તેની છુટી ગઈ હોવાથી છ માસથી બેકાર હતો.

આ પણ વાંચોઃ દુશ્મનાવટમાં સવર્ણ શખ્સે દલિત બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું

3.3 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Aarush
Aarush
3 months ago

Chori Kari hati to police station ma fariyad Kari devay avu khotu atyachar Kari Mari nakho to kaydo koina bap no nathi darek mate jey saja chhe ato bhegavej chhutko che

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x