ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હરિદ્વારના ભાજપ(BJP) સાંસદ ત્રિવેન્દ્ર સિંહ રાવત(CM Trivendra Singh Rawat)ના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. તેમના પર દલિત IAS અને રાજ્યના ખાણ સચિવ બ્રજેશ કુમાર સંત ((Brajesh Kumar Sant)) વિરુદ્ધ જાતિવાદી નિવેદન કરવાનો આરોપ છે. ઉત્તરાખંડ IAS એસોસિએશને (Uttarakhand IAS Association) આ નિવેદન સામે ઔપચારિક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશને આ નિવેદનની નિંદા કરતો ઠરાવ પણ પસાર કર્યો છે.
મામલો શું છે?
27 માર્ચે સંસદમાં બોલતી વખતે ત્રિવેન્દ્ર સિંહ રાવતે આરોપ લગાવ્યો હતો કે ઉત્તરાખંડમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. તેમણે ખનન સામગ્રી વહન કરતા ટ્રકોને કારણે થતા માર્ગ અકસ્માતોની વધતી સંખ્યા પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આનાથી પર્યાવરણ અને માળખાગત સુવિધાઓને નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ ‘ભાજપ મહત્તમ રાજ્યોમાં સત્તા મેળવી બંધારણ બદલવા માંગે છે’
Former Uttarakhand CM and Haridwar MP Trivendra Singh Rawat’s statement regarding Mining Secretary Brajesh Kumar Sant has drawn objections from the state IAS Association.
The Uttarakhand IAS Association held an important meeting earlier today to express serious concerns over… pic.twitter.com/vKIBnqnQj2
— Press Trust of India (@PTI_News) March 30, 2025
જવાબમાં, ખાણ સચિવ બ્રજેશ કુમાર સંતે રોયલ્ટી અને અમલીકરણ કાર્યવાહી અંગેનો ડેટા જાહેર કર્યો અને સાથે ત્રિવેન્દ્ર સિંહના દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે આ દાવાઓ ભ્રામક છે. તેણે કહ્યું, “ગેરકાયદેસર ખાણકામ થઈ રહ્યું છે અથવા વધી રહ્યું છે એમ કહેવું સંપૂર્ણપણે પાયાવિહોણું, ભ્રામક અને ખોટું છે. આની પાછળનો સૌથી મોટો પુરાવો એ છે કે રાજ્યની રચના પછી આ નાણાકીય વર્ષમાં ખાણકામમાંથી મળેલી આવક સૌથી વધુ છે. આ પહેલું વર્ષ છે જેમાં નાણા વિભાગ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક માત્ર પ્રાપ્ત જ નથી થયો પરંતુ બસો થી અઢીસો કરોડ રૂપિયાને પણ વટાવી ગયો છે.”
એ પછી, સ્થાનિક મીડિયાએ ત્રિવેન્દ્ર સિંહ રાવતને પૂછ્યું કે રાજ્યના અધિકારીઓ તમારા દાવાઓનું ખંડન કરી રહ્યા છે, આ અંગે તમારા શું વિચારો છે? આના પર તેમણે કહ્યું, “અધિકારીએ જે કહ્યું તે અંગે મારે કંઈ કહેવાનું નથી. સિંહ કૂતરાનો શિકાર નથી કરતા. હું તેના વિશે કંઈ કહેવા માંગતો નથી.”
આ પણ વાંચોઃ ‘જય ભીમ’ ક્રિમિનલ લોકોનો નારો છે: ભાજપ ધારાસભ્ય
Trivendra Rawat’s reckless words tarnish the BJP’s commitment to Sabka Saath, Sabka Vikas. This cannot be ignored! Anti Dalit Trivendra Rawatpic.twitter.com/BbMydJ8Ojr
— Mridul Khopde 🚩 (@mridul316781148) March 30, 2025
ત્રિવેન્દ્ર સિંહ રાવતના આ નિવેદન પછી જ વિરોધ શરૂ થયો. હરિદ્વારના જટવાડા વિસ્તારમાં આ નિવેદનના વિરોધમાં એક વિરોધ રેલી કાઢવામાં આવી હતી. જ્યારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “મને આ એકદમ વિચિત્ર લાગ્યું. તમે સંસદમાં કહી રહ્યા છો કે કેન્દ્ર કે રાજ્ય સરકાર ગેરકાયદેસર ખાણકામ સામે પગલાં લઈ રહી નથી. પછી રાજ્ય સરકાર આ મુદ્દા પર નિવેદન આપીને જવાબ આપે છે. ત્રિવેન્દ્ર દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો વધુ ચોંકાવનારા છે. હું પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી છું અને મેં ક્યારેય કોઈ અધિકારી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો નથી. આપણે મર્યાદા ઓળંગવી ન જોઈએ. આ ખૂબ જ શરમજનક છે.”
આ પણ વાંચોઃ ભાજપ નેતાએ શંકાને લીધે પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી
બીજી તરફ રાજ્ય IAS એસોસિએશને ત્રિવેન્દ્ર સિંહ રાવત દ્વારા ખાણ સચિવ બ્રજેશ કુમાર સંત અંગે આપવામાં આવેલા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. ઉત્તરાખંડ IAS એસોસિએશને 30 માર્ચ 2025 ના રોજ તેના પ્રમુખ આનંદ વર્ધનની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ અંગે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે બેઠકમાં સભ્યોએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં અધિકારીઓના ગૌરવ અને આત્મસન્માનને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અગાઉ પણ પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. એ પહેલા તેમણે કોરાના વિશે કહ્યું હતું કે, કોરોના વાયરલ એક પ્રાણી છે અને તેને પણ જીવવાનો હક છે. એ પછી લોકોએ તેમને નોબેલ પ્રાઈઝ આપવાની વાત કરી તેમની બરાબરની ઠેકડી ઉડાડી હતી.
આ પણ વાંચોઃ દલિત મહિલા પર દુષ્કર્મના કેસમાં ભાજપ ધારાસભ્યને પોલીસ રક્ષણ?