યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ શૈક્ષણિક સંસ્થાઓમાં દલિત વિદ્યાર્થીઓ સાથે દાખવવામાં આવતા સામાજિક ભેદભાવોને દૂર કરવા માટે નવા નિયમો લાગુ કર્યા છે. જેની સામે કથિત સવર્ણોએ વિરોધ નોંધાવવો શરૂ કરી દીધો છે. દલિત વિદ્યાર્થીઓને સમાન હક મળે, તેમની સાથે કોઈ જાતિગત ભેદભાવ ન થાય તે માટે યુજીસી દ્વારા આ નિયમો લવાયા છે. પરંતુ હવે આ નિયમો સામે સવર્ણોની સાથે ભાજપના નેતાઓ પણ પોતાની નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે.
વાસ્તવમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર નિયમન 2026 એટલે કે Promotion of Equality in Higher Education Institutions Regulations 2026 તરીકે ઓળખાતા નવા નિયમો લાગુ કર્યા છે. જેનો હેતુ જાતિ ભેદભાવ અટકાવવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે. UGCના નવા નિયમોને સામાજિક ન્યાય તરફના ઐતિહાસિક પગલા તરીકે બિરદાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ નવા નિયમો સામે સવર્ણોએ વાંધો ઉઠાવ્યો છે.

આ નવા UGC નિયમોને લઈને જ કથિત રીતે બરેલી શહેરના મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉચ્ચ જાતિના સંગઠનોએ આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે. ભાજપમાં પણ નવા નિયમનો વિરોધ વધી રહ્યો છે. ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે વિપક્ષ મૌન છે.
આ પણ વાંચો: બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

UGCનો નવો નિયમ શું છે?
13 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ “ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો 2026” લાગુ કર્યા. UGC જણાવે છે કે આ નિયમો કોલેજો, યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ના વિદ્યાર્થીઓ સામે જાતિ આધારિત ભેદભાવને રોકવામાં મદદ કરશે.
નવા નિયમો લાગુ કરવા માટે દરેક શૈક્ષણિક સંસ્થાએ સમાન તક કેન્દ્ર (EOC) સ્થાપિત કરવું પડશે. જેનો હેતુ સમાનતા લાગુ કરવાનો અને ભેદભાવ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરવાનો રહેશે. EOC સંસ્થાના વડાની અધ્યક્ષતામાં એક સમાનતા સમિતિની રચના કરશે. EOC દર વર્ષે UGCને રિપોર્ટ સબમિટ કરશે. UGC એક દેખરેખ સમિતિની પણ રચના કરશે.
દેશની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં જાતિ આધારિત ભેદભાવનો અનુભવ કરનાર કોઈપણ વ્યક્તિ સમાનતા સમિતિમાં ફરિયાદ નોંધાવશે. સમિતિ 24 કલાકની અંદર ફરિયાદ પર કાર્યવાહી કરશે અને 15 દિવસની અંદર સંસ્થાના વડાને રિપોર્ટ સબમિટ કરશે. આ રિપોર્ટના આધારે, શૈક્ષણિક સંસ્થાના વડા 7 દિવસની અંદર કાર્યવાહી કરશે. જો કોઈ સંસ્થા પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેની UGC માન્યતા રદ કરવામાં આવશે.
નવા UGC નિયમો સામે વિરોધ
નવા UGC નિયમો સામે સોશિયલ મીડિયામાં ધીરે ધીરે વિરોધ છે. સવર્ણો આ નિયમો રદ કરવાની માંગ કરી રહ્યાં છે. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ રાઘવેન્દ્ર સિંહ રાજુ કહે છે કે, ઉચ્ચ જાતિઓને ખલનાયક તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. તેઓ ઉમેરે છે કે નિયમનો દુરુપયોગ થઈ શકે છે. કારણકે ફરિયાદીને કોઈ પુરાવા આપવાની જરૂર નથી. તેમને દોષિત માનવામાં આવશે અને પછી તેમની નિર્દોષતા સાબિત કરવા માટે દબાણ કરવામાં આવશે.
આ પણ વાંચો: આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?
તેમણે વધુમાં કહ્યું કે, નવા UGC નિયમો ફક્ત વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ શિક્ષકો અને કર્મચારીઓ સુધી પણ લાગુ પડે છે. તેથી, SC, ST, અને OBC શિક્ષકો પણ ફરિયાદ નોંધાવી શકશે, અને SC, ST, અથવા OBC વિદ્યાર્થીઓ પણ શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી શકશે. આનાથી માત્ર ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ શિક્ષકો માટે પણ મુશ્કેલીઓ ઊભી થશે.
રાઘવેન્દ્ર સિંહ કહે છે કે ગ્રાન્ટ્સ કમિશન 2026 નો ઉદ્દેશ્ય દલિત અને પછાત વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવોને અટકાવવાનો હોવો જોઈએ, નહીં કે સવર્ણ જાતિના વિદ્યાર્થીઓને અસુરક્ષિત બનાવવાનો. UGC ના નિયમો ઉચ્ચ જાતિના શિક્ષકો અને વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યા છે. આ નિયમો હેઠળ ખોટી ફરિયાદો તરફ દોરી શકે છે. આ બિલ રાજકીય હેતુઓ સાથે રજૂ કરવામાં આવ્યું છે.
ભાજપના સવર્ણ નેતાઓએ શું કહ્યું?
UGC ના નવા નિયમ અંગે ભાજપના સવર્ણ નેતાઓએ વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહના ધારાસભ્ય પુત્ર પ્રતિક ભૂષણે UGC નિયમોનો આડકતરી રીતે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ઇતિહાસના બેવડા ધોરણોની સંપૂર્ણ તપાસ હવે જરૂરી છે. જ્યાં વિદેશી આક્રમણકારો અને સંસ્થાનવાદી શક્તિઓના ભયાનક અત્યાચારોને ભૂતકાળની વાતો તરીકે ભૂલી જવામાં આવે છે, જ્યારે ભારતીય સમાજના એક વર્ગને સતત ઐતિહાસિક ગુનેગારો તરીકે લેબલ કરવામાં આવે છે અને વર્તમાનમાં બદલો લેવા માટે નિશાન બનાવવામાં આવે છે.
કાનપુરના બિથૂરના ભાજપના ધારાસભ્ય અભિજીતસિંહ સાંગાએ પણ નવા UGC નિયમ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સરકારે આ કાયદાની સમીક્ષા કરવી જોઈએ અને દરેકની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. જેથી સમાજને ન્યાય મળી શકે.
આ પણ વાંચો: એક ‘થીસિસ ચોર’ના નામે Teacher’s Day કેવી રીતે મનાવી શકાય?
ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સંજય સિંહે પણ નવા યુજીસી નિયમનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિ શૈક્ષણિક સંસ્થાઓમાં ચિંતા અને આશંકાનું વાતાવરણ બનાવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સંતુલિત પ્રતિનિધિત્વ વિના રચાયેલી સમિતિઓ ન્યાય આપી શકતી નથી. આવી સમિતિઓ ફક્ત ઔપચારિક નિર્ણયો જારી કરે છે, જે સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જાય છે. ન્યાયના માર્ગને અનુસરીને, દરેક નાગરિકની ગરિમા અને સલામતીનું રક્ષણ કરવું જોઈએ.
ભાજપના સવર્ણ નેતાઓને શું વાંધો છે?
ભારતમાં દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના લોકો પર થતા અત્યાચારોમાં મોટાભાગે સવર્ણ જાતિના માથાભારે લોકોની સંડોવણી હોય છે. તેમની રાજકીય વગ અને આર્થિક તાકાતને કારણે પીડિતોને ન્યાય મળતો ન હોવાની બૂમ ઉઠતી રહે છે. આ જ સ્થિતિ દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં છે. ત્યાં પણ સવર્ણ જાતિના માથાભારે વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઓબીસીના વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. આવું ન થાય તે માટે યુજીસી સમાનતાના આ નિયમો લાવી છે અને સવર્ણોને તેની સામે જ વાંધો છે.
सवर्ण समाज के सभी संगठनों का संयुक्त ऐलान UGC के अन्यायी क़ानूनों के विरोध में 1 फरवरी 2026 एक दिन भारत बंद।
अपने बच्चों के भविष्य की ख़ातिर अपने स्तर पर जुड़े सफल आंदोलन बनाएं।#UGCRollBack #ShameOnUGC #सर्वण_विरोधी_नरेंद्र_मोदी #ModiFailedGC #UGCRegulations #UGC_Roll_Back pic.twitter.com/MY0cQGOkkQ— 𝐒𝐚𝐦𝐚𝐧𝐭 𝐒𝐡𝐞𝐤𝐡𝐚𝐰𝐚𝐭 (@SamantShekhawat) January 25, 2026
હાલમાં, ઉચ્ચ જાતિના મતદારોને ભાજપની મુખ્ય મત બેંક માનવામાં આવે છે. નવા UGC નિયમ સામે ઉચ્ચ જાતિઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ઠાકુર, બ્રાહ્મણ અને કાયસ્થ જાતિના સંગઠનો ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેઓ યુજીસીના નિયમ રદ કરવા પર અડગ છે.
આ પણ વાંચો: કલમ 144 નો મનસ્વી ઉપયોગ મૂળભૂત અધિકારોનું હનન છે
વિપક્ષો કેમ મૌન છે?
UGC ના નવા નિયમોને લઈને હાલ રાજકારણ ગરમાયું છે ત્યારે વિપક્ષે મૌન જાળવી રાખ્યું છે. માત્ર SP, BSP, RJD જ નહીં, પણ કોંગ્રેસ પણ મૌન છે. ભાજપના નેતાઓની રાજકીય ચિંતા વચ્ચે વિપક્ષનું મૌન અનેક રાજકીય પ્રશ્નો ઉભા કરે છે. મોદી સરકારની દરેક નીતિ સામે હંમેશા અવાજ ઉઠાવતો વિપક્ષ ચૂપ રહેવાનું મુખ્ય કારણ રાજકીય છે. સમાજવાદી પાર્ટીથી લઈને આરજેડી સુધી, મૌન રહેવાનું કારણ એ છે કે યુનિવર્સિટીઓમાં દલિતો અને ઓબીસી સામેના ભેદભાવને સમાપ્ત કરવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેની તેઓ માંગણી કરી રહ્યા છે.
બીજું કારણ એ છે કે હાલમાં, અખિલેશ યાદવથી લઈને રાહુલ ગાંધી સુધીના વિપક્ષી નેતાઓનું સમગ્ર રાજકારણ દલિતો અને ઓબીસીની આસપાસ ફરે છે. દલિતો અને ઓબીસી નવા યુજીસી નિયમોને સામાજિક ન્યાય તરફનું પગલું ગણાવી રહ્યા છે. મોટાભાગના વિરોધીઓ ઉચ્ચ જાતિના છે. જે હાલમાં ભાજપની મુખ્ય વોટ બેંક માનવામાં આવે છે. આ બિલને કારણે ફરી એકવાર યુનિવર્સિટીઓમાં દલિતો સાથે થતા ભેદભાવનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો: ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું











કોઈ પણ કારણે કે આ UGC બિલ રદ્દ થવું ન જોઈએ.
રહી વાત કરણો અને વાંધાઓની. જેમ કે દુરુપયોગ થશે, આરોપીએ નિર્દોષતા સાબિત કરવી પડશે etc….
એ તો દરેક કાનૂન છે. સવાલ એટલો જ છે કે
જેઓ અન્યાય કે અસમાનતા દાખવવાના જ નથી એમના માટે તો આ બિલ છે નહી. મતલબ ત્યારે તો કાનૂન આપોઆપ નિષ્ક્રિય થઈ જશે..
UGC માં SC ST OBC વગેરે ઉપર અન્યાય, અત્યાચાર, ભેદભાવ આચરતા લોકો ને મનફાવતું કરવાની આઝાદી જોઈએ છે મતલબ 22મી સદી માં પણ વર્ષો જૂના અમાનવીય કૃત્યો કરવાની પ્રક્રિયા ચાલુ રાખવી છે, અને એમાં સહકાર આપતી સરકાર હોવી જોઈએ એ મુખ્ય માંગ છે. હજુ તો કાનૂન બન્યો છે, કોઈ કાર્યવાહી થઈ જ નથી અને કદાચ તે પણ અટકાવી દેવામાં આવશે જો સરકાર ઉપર રૂઢિચુસ્તો દબાણ કરશે તો અથવા કાનૂન નિર્બળ કરાશે. પરંતુ હવે પછાત વર્ગ કશું જ સહન કરવા માટે તૈયાર નથી, અમાનવીય વ્યવહાર નો વિરોધ કરી રહ્યા છે અને વધારે મજબૂત રીતે વિરોધ પ્રદર્શિત કરતા રહેશે, સરકાર પ્રથમ વખત માનવતા ને છાજે એવું કાર્ય કર્યું છે જેને sc, st,obc, અલ્પસંખ્યકો વગેરે સાથ સહયોગ આપે છે
*મેજીસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ “મનુસ્મૃતિ”! નાં અમાનવીય કાયદ પોથી માટે હસતાં હસતાં રાજીનામું આપવું જોઈએ, ભારતીય સંવિધાનથી સવર્ણોને પેટમાં ચૂંક મારે છે! UGC ACT નું ભારતીય સંવિધાનના દાયરામાં રહીને જ 101% શુદ્ધ ભાવનાથી તેનું મનોવૈજ્ઞાનિક રીતે જ અમલીકરણ થવું જોઈએ,
Firstly Indian Lastly Indian! ત્યારે જ શત્રુ દેશો સાથે જીત મેળવી શકશો, કોઈ બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ કે વૈશ્ય સમાજ એકલા હાથે શત્રુઓને પરાજિત
કરવો નામુમકીન છે અસંભવ છે! સત્યમેવ જયતે!
SC ST OBC na tamam MLA,,, MP aama sath aape nahitar rajinamu aspe,,, dudh nu dudh ane pani nu pani thai jase