મધ્યપ્રદેશના શિવપુરીમાં 21 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. પવન નામનો યુવક મંદિરમાં દર્શન માટે આવ્યો હતો અને ત્યાં રામધૂનનો જાપ કરી રહ્યો હતો. એ દરમિયાન તે બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટરે માહિતી આપી કે તેને હાર્ટ એટેક આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ફક્કડ કોલોનીમાં રહેતો પવન રજક બીએના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તે આર્મી અને પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો અને સવારે કસરત અને દોડ પણ કરતો હતો. પવન દરરોજ રાત્રે પોતાના વિસ્તારમાં આવેલા સિદ્ધબાબાના સ્થળે રામધૂનમાં ભાગ લેવા જતો હતો.
આ પણ વાંચોઃ જાતિવાદનો ભોગ બનેલા PI એ હિંદુ ધર્મ છોડ્યો, હવે બૌદ્ધ બનશે?
દરરોજની જેમ રવિવારે પવન તેના મિત્ર અભિષેક વેશ સાથે મંદિર પહોંચ્યો હતો. એ દરમિયાન પવન રામધૂનમાં જોડાયો અને રામધૂન ગાતી વખતે બેભાન થઈ ગયો. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
शिवपुरी (मध्य प्रदेश) में रविवार को दोस्त के साथ मंदिर गए पवन रजक नामक 21 वर्षीय युवक की ‘रामधुन’ गुनगुनाते समय हार्ट अटैक से मौत हो गई है। युवक आर्मी और पुलिस में भर्ती की तैयारी कर रहा था और रोज़ एक्सरसाइज़ व रनिंग करता था।
#sanewsmadhyapradesh #shivpuri #MPNews #heartattack pic.twitter.com/9zPGAkijwT
— SA News Madhya Pradesh (@SAnewsMP) March 9, 2025
પવનને હાર્ટ એટેક આવ્યો હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પવન સંપૂર્ણપણે ફિટ હતો, આર્મી માટે તૈયારી કરી રહ્યો હતો, દરરોજ સવારે અને સાંજે કસરત કરતો હતો. આ ઘટના બાદ પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી છે. તેમનું કહેવું છે કે પવન સંપૂર્ણપણે સ્વસ્થ અને ફિટ હતો, તો પછી તેને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો. પવનના મૃત્યુ બાદ પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છે. નોંધનીય છે કે સ્વસ્થ લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ સતત ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને કોરોનાની રસી બાદ ખુદ વેક્સિન બનાવતી કંપની સ્વીકાર્યું છે કે, ભારતમાં તેમની રસી મૂકાવનાર અનેક લોકોને હાર્ટએટેકનો ખતરો રહે છે. જો કે કંપનીની આટલી સ્પષ્ટતા પછી પણ સરકારે પોતાના તરફથી કોઈ સ્પષ્ટતા નથી કરી.
આ પણ વાંચોઃ આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં