2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાશે, મહાકુંભમાં જાહેરાત

મહાકુંભમાં ભારતને વર્ષ 2035 સુધીમાં હિંદુ રાષ્ટ્ર બનાવી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હિંદુ રાષ્ટ્રના બંધારણનો ખરડો રજૂ કરાયો. જાણો કોણ ચૂંટણી લડી શકશે.

મહાકુંભ (Mahakumbh 2025) નો હિંદુત્વવાદી સરકાર જે રીતે વોટબેંક મજબૂત કરવા ઉપયોગ કરી રહી છે તે કોઈપણ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિની નજર બહાર નથી. 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓ ખૂલ્લેઆમ કહેતા હતા કે, 400થી વધુ સીટો આપો એટલે દેશનું બંધારણ બદલી નાખીએ. હવે આવું જ કંઈક કુંભમેળાની આડમાં થઈ રહ્યું છે. અહીં એક હિંદુ રાષ્ટ્ર (Hindu Rashtra) બંધારણ નિર્માણ સમિતિ છે, જેણે એવી જાહેરાત કરી છે કે, વર્ષ 2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર (India declare Hindu Rashtra)કરી દેવામાં આવશે. આ સમિતિએ તેના માટેની 501 પાનાની એક પત્રિકા પણ જાહેર કરી છે, જેમાં હિંદુ રાષ્ટ્રનું બંધારણ કેવું હશે, કોણ ચૂંટણી લડી શકશે, કોણ નહીં, મતદાન કોણ કરી શકશે તેની વાત છે. હિંદુ રાષ્ટ્રના આ બંધારણનો ખરડો લોકોમાં વહેંચવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે.

Read Also: ભાજપના ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને ભગવો ફરકાવ્યો, કહ્યું, હિંદુ રાષ્ટ્રની શરૂઆત

મળતી માહિતી મુજબ ‘હિન્દુ રાષ્ટ્ર’ ના ‘બંધારણ’ હેઠળ ફક્ત સનાતન ધર્મના અનુયાયીઓને જ ચૂંટણી લડવાનો અધિકાર હશે અને ફક્ત ભારતીય ઉપખંડના ધર્મો – જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને જ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. અવિભાજિત હિન્દુ રાષ્ટ્ર માટે બ્લુપ્રિન્ટ દર્શાવતો ૫૦૧ પાનાનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે, જે મહાકુંભમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પછી ૨ ફેબ્રુઆરી, વસંત પંચમીના રોજ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, તે સરકારને મોકલાયો કે નહીં તે વિશે કોઈ મીડિયા રિપોર્ટ્સ મળતા નથી.

ધ ઓબ્ઝર્વર પોસ્ટના અહેવાલ મુજબ, હિન્દુ રાષ્ટ્ર બંધારણ નિર્માણ સમિતિ હેઠળ 25 સભ્યોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ આ દસ્તાવેજમાં રામાયણ, કૃષ્ણના ઉપદેશો, મનુસ્મૃતિ અને ચાણક્યના અર્થશાસ્ત્ર સહિત હિન્દુ ગ્રંથોમાંથી વૈચારિક અને શાસન સિદ્ધાંતો લેવામાં આવ્યા છે.


હિંદુ રાષ્ટ્રની આ ખરડા સમિતિમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી, સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી (વારાણસી) અને કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી (નવી દિલ્હી) જેવી સંસ્થાઓના વિદ્વાનોનો સમાવેશ થતો હતો.

સમિતિના આશ્રયદાતા સ્વામી આનંદ સ્વરૂપ મહારાજે સોમવારે મહાકુંભમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો ધ્યેય 2035 સુધીમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે. વારાણસીમાં શાંભવી પીઠના વડા સ્વરૂપે કહ્યું, “માનવ મૂલ્યો આપણા બંધારણના મૂળમાં છે. બંધારણ માનવ મૂલ્યોનું સમર્થન કરે છે અને અન્ય ધર્મોની વિરુદ્ધ નથી. જો કે, “રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ” માં સામેલ લોકોને નવા બંધારણના કાયદા હેઠળ કડક સજાનો સામનો કરવો પડશે.”

Read Also: ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન

સમિતિના અધ્યક્ષ કામેશ્વર ઉપાધ્યાયે પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે પ્રસ્તાવિત બંધારણનો ઉદ્દેશ્ય હિન્દુ શાસ્ત્રો અને પરંપરાઓમાં મૂળ ધરાવતું શાસન સ્થાપિત કરવાનો છે.

વારાણસીના એક ધાર્મિક નેતા, જેમણે નામ ન આપવાની શરતે ધ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે હાલમાં આ પ્રસ્તાવ ભલે અતિવાદી લાગી રહ્યો હોય પરંતુ આ જ રીતે વિચારો જાહેર ચર્ચામાં આવતા હોય છે અને પછી સમય જતાં કાયદેસરતા મેળવતા હોય છે. અમે પણ આવું જ વિચારીને આ વાત આગળ કરીએ છીએ.”

તેમણે કહ્યું, “છેલ્લા સાત દાયકામાં ભારતીય બંધારણમાં 300 થી વધુ સુધારા કરવામાં આવ્યા છે, પરંતુ આપણા શાસ્ત્રો હજારો સદીઓથી એ જ રહ્યાં છે. 127 ખ્રિસ્તી, 57 મુસ્લિમ અને 15 બૌદ્ધ દેશો છે. યહૂદીઓએ પાસે પણ ઈઝરાયલ છે. પરંતુ હિન્દુઓ, જેમની વસ્તી વિશ્વભરમાં ૧૭૫ કરોડથી વધુ છે, તેમનું કોઈ હિન્દુ રાષ્ટ્ર નથી.”

મીડિયા રિપોર્ટ મુજબ, ‘હિંદુ બંધારણ’ માં એક જ વિધાનસભાની જોગવાઈ રહેશે, દરેક નાગરિક માટે લશ્કરી સેવા ફરજિયાત છે. ‘બંધારણ’માં કૃષિ આવકને સંપૂર્ણપણે કરમુક્ત રાખવામાં આવી છે.

‘હિન્દુ રાષ્ટ્ર’ ના ‘બંધારણ’ હેઠળ, ફક્ત સનાતન ધર્મના અનુયાયીઓને જ ચૂંટણી લડવાનો અધિકાર હશે અને ફક્ત ભારતીય ઉપખંડના – જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને જ ચૂંટણીમાં મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

‘ધર્મ સંસદ’ના સભ્યોને ફક્ત મતવિસ્તાર ભથ્થું, સામાન્ય સુરક્ષા અને એક વાહન મળશે. ‘બંધારણ’ તૈયાર કરનાર સમિતિ સાથે સંકળાયેલા એક સંતે કહ્યું, “ધર્મ સંસદ માટેના ઉમેદવારો વૈદિક ગુરુકુળના વિદ્યાર્થીઓ હોવા જોઈએ.”

આ દસ્તાવેજ, જે ૧૨ મહિના અને ૧૨ દિવસના સમયગાળામાં તૈયાર કરવામાં આવ્યો છે, તેને સરકાર સમક્ષ ઔપચારિક રીતે રજૂ કરવામાં આવે તે પહેલાં ચાર શંકરાચાર્યો દ્વારા મંજૂરી મેળવવી પડશે.

Read Also: RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ ‘અછૂત’ નથી, તો પછી ‘મનુસ્મૃતિ’ માં શું છે?

4 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x