જો તમે દલિત સમાજમાંથી આવો છો તો તમારી સાથે પણ ક્યારેક એવું બન્યું હશે કે, તમારા શિક્ષકે તમે કોઈ સારા કપડાં પહેરીને શાળાએ આવ્યા હો તો તમારી મજાક ઉડાવી હશે અથવા તમને જાહેરમાં ઉતારી પાડ્યા હતા. દલિત બાળકોનું મનોબળ તોડી પાડવા માટે આવા મનુવાદી શિક્ષકો ગામોગામની શાળાઓમાં અડિંગો જમાવીને બેસી ગયા છે. આ એ તત્વો છે જેમને દલિતો પ્રત્યે એ હદે નફરત છે કે, તેમના બાળકો પણ જો કશુંક નવું કરીને આવે તો તેનું મનોબળ તોડી પાડવા માટે આકરામાં આકરી સજા કરતા પણ ખચકાતા નથી. ક્રૂરતાની હદ પાર કરતા આવા મનોરોગી મનુવાદી શિક્ષકોની આવી જ એક ભયાનક કરતૂત જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં સામે આવી છે.
અહીંના બુલંદ શહેરમાં એક દલિત વિદ્યાર્થીએ સ્ટાઈલિશ વાળ કપાવ્યા હતા. જે તેની શાળાના મનુવાદી શિક્ષકોને ગમ્યું નહોતું. એ પછી 8 શિક્ષકોએ મળીને તેને વારાફરતી માર માર્યો હતો. માર એટલો ભારે હતો કે દલિત વિદ્યાર્થીના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા હતા અને તેણે મહિનાઓ સુધી પથારીવશ રહેવું પડ્યું હતું. આ ઘટના બન્યા પછી શિક્ષકોએ એક સંપ થઈને વિદ્યાર્થીના માતાપિતાને કેસ ન કરવા માટે ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જેનાથી ડરી જઈને બે મહિના સુધી તેમણે આ મામલે કોઈને જાણ પણ કરી નહોતી. જો કે, શિક્ષકોની ગેંગનો અત્યાચાર એ હદે વધી ગયો હતો કે તેઓ વિદ્યાર્થીની પરીક્ષા અટકાવી દેવા અને તેની કરિયર ખતમ કરી દેવાની તથા ફરી માર મારવાની ધમકી આપવા લાગ્યા હતા. આખરે વિદ્યાર્થીના માતાપિતાનો સંયમ તૂટી ગયો હતો અને તેમણે આઠેય શિક્ષકો સામે પોલીસ કેસ કર્યો હતો. એ પછી શાળાએ આરોપી શિક્ષકો સામે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ મોદી સરકારે SC વિદ્યાર્થીઓની Scholarship 57 ટકા ઘટાડી?
A 17-year-old Dalit student in Bulandshahr, UP, was mercilessly beaten with sticks by EIGHT teachers over a mere haircut!
Both his hands fractured, his head wounded, and yet, the system tried to silence his family with pressure and intimidation. Even during his board exams, the… pic.twitter.com/6xjQQp9xwI— Preeti Mahapatra🇮🇳 (@OfficialPreetiM) March 8, 2025
ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલની આ ઘટના છે. જ્યાં એક દલિત વિદ્યાર્થીને વાળ કાપવાના મામલે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. શાળાના આઠ શિક્ષકોએ ધોરણ ૧૨ ના વિદ્યાર્થીને લાકડીઓથી માર માર્યો. એવો આરોપ છે કે વિદ્યાર્થીને તેમણે જાતિસૂચક ગાળો પણ ભાંડી હતી.શિક્ષકો દ્વારા કરવામાં આવેલા આ ભયાનક હુમલામાં દલિત વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને ટાંકા લેવા પડ્યા હતા. હુમલાની આ ઘટનામાં તેના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીના માતાપિતાનો આરોપ છે કે શિક્ષકો દ્વારા પહેલા આ મામલે સમાધાન માટે દબાણ કરવામાં આવ્યું હતું. પણ તેમણે ઈનકાર કરી દેતા પછી ધમકીઓ પણ મળવા લાગી હતી.
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીને ‘મુર્ગા’ બનાવી શિક્ષક ઉપર બેસી જતા વિદ્યાર્થીનો પગ ભાંગી ગયો
25 જાન્યુઆરીએ ઘટના બની હતી
દલિત વિદ્યાર્થીને માર મારવાની આ ઘટના 25 જાન્યુઆરીના રોજ બની હતી. સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલની આ ઘટના અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તમામ આરોપી શિક્ષકો બીજી જાતિના છે. સ્કૂલ મેનેજમેન્ટે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે,દબાણ હેઠળ સમાધાન થયા છતાં આરોપીઓ તરફથી સતત ધમકીઓ મળતાં વિદ્યાર્થીના માતા-પિતાએ 5 માર્ચે FIR નોંધાવી.
બોર્ડની પરીક્ષા આપતા રોકવાની ધમકી આપી
પીડિત વિદ્યાર્થીની માતા માયા રાનીએ જણાવ્યું કે તેમના દીકરાએ જાન્યુઆરી મહિનામાં સ્ટાઈલિશ વાળ કપાવ્યા હતા. શિક્ષકોને તે ગમ્યું નહોતું અને તેમણે તેને ઠપકો આપ્યો હતો. બીજા જ દિવસે, 25 જાન્યુઆરીએ, તેમણે તેને નિર્દયતાથી માર માર્યો. આ ઘટના પછી, વિદ્યાર્થી ગંભીર માનસિક આઘાત અને શારીરિક ઇજાઓને કારણે એક મહિના સુધી પથારીવશ રહ્યો, જેના કારણે તે તેની બોર્ડ પરીક્ષાની યોગ્ય તૈયારી પણ કરી શક્યો નહીં.
માયા રાનીનો આરોપ છે કે આરોપી શિક્ષકોએ તેમના પુત્રને યુપી બોર્ડની પરીક્ષામાં બેસતા અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને વારંવાર ધમકીઓ આપી હતી. હતાશ થઈને તેણે પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. તેમણે આરોપી શિક્ષકોની ધરપકડની માંગ કરી.
આ પણ વાંચોઃ SC-ST વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે આ સરકારી યોજનાઓ
The news about the Dalit student beaten by teachers in Bulandshahr, UP, over a haircut is backed by multiple sources, including Times of India and ABP Live. On March 8, 2025, reports confirmed eight teachers were booked for the assault, which left the 17-year-old with head wounds…
— Grok (@grok) March 8, 2025
આરોપી શિક્ષકો સામે કેસ નોંધાયો
પોલીસે આ કેસમાં સોનુ કુમાર, વિપિન કુમાર, દીપક કુમાર, મનોજ કુમાર (એક), મનોજ કુમાર (બે), યોગેશ કુમાર, યોગેન્દ્ર અને પ્રશાંત વિરુદ્ધ કેસ નોંધ્યો છે. શિક્ષકો પર BNS ની કલમ 191(2) (હુલ્લડ), 110 (ઉગ્ર હુમલો કરવાનો પ્રયાસ), 115(2), 117(4) (જાણીજોઈને ઈજા પહોંચાડવી) અને SC/ST એક્ટની કાયદાની કલમ 3(1)(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
શાળા વહીવટી તંત્રે શું કહ્યું?
શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે અમારી શાળામાં આવા અનુશાસનહીન વર્તનને સહન કરવામાં આવશે નહીં. આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ આરોપી શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું. દરમિયાન, સર્કલ ઓફિસર શોભિત કુમારે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીની હાલત સ્થિર છે અને તે તેની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે.
આ પણ વાંચોઃ મરચન્ટ કૉલેજમાં દલિત દીકરીની આત્મહત્યામાં આરપારની લડાઈ શરૂ
કોઇપણ સંજોગોમાં એમાંથી એક પણ શિક્ષકને છોડવો ના જોઈએ. એ દરેક ને સખત સજા થવી જ જોઈએ.
આઠેય ને લાઈનમાં ઉભા રાખી ઉડાવી દેવા જોઈએ