કેરળમાં કંપનીએ ટાર્ગેટ પુરો ન કરનાર કર્મચારીઓને ગળામાં પટ્ટા પહેરાવ્યા

માર્કેટિંગ કંપનીએ ખરાબ પ્રદર્શન કરતા કર્મચારીઓના ગળામાં પટ્ટા પહેરાવી તેમને ઘૂંટણિયે પડી ફ્લોર ચાટવા મજબૂર કર્યા. શ્રમ વિભાગે તપાસના આદેશ આપ્યા.
marketing company in kerala

ખાનગીકરણ કઈ હદે માણસને ગુલામ બનાવી શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો પ્રગતિશીલ ગણાતા કેરળમાંથી સામે આવ્યો છે. અહીં એક ખાનગી કંપની પર તેના કર્મચારીઓ સાથે અનાદરપૂર્ણ વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીએ ખરાબ પ્રદર્શન કરતા કર્મચારીઓને ઘૂંટણિયે પડીને ફ્લોર ચાટવા કહ્યું. એટલું જ નહીં, વરિષ્ઠ અધિકારીએ કર્મચારીના ગળામાં પટ્ટો બાંધ્યો અને તેને જમીન પર ઘૂંટણિયે પડીને ચાલવા મજબૂર કર્યો.

શ્રમ વિભાગે તપાસનો આદેશ આપ્યો

આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ રાજ્યના શ્રમ મંત્રી વી. શિવનકુટ્ટીએ ઘટનાની તપાસ કરી જિલ્લા શ્રમ અધિકારીને ઘટનાનો તાત્કાલિક અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. આ ઘટનાનો એક વીડિયો સ્થાનિક મીડિયામાં પણ સામે આવ્યો છે. જેમાં કથિત રીતે એક વ્યક્તિને ‘કૂતરા’ની જેમ ગળામાં પટ્ટો બાંધીને જમીન પર ઘૂંટણિયે ચાલવા મજબૂર કરવામાં આવી રહી છે. બાદમાં કેટલાક કર્મચારીઓએ એક ટીવી ચેનલને જણાવ્યું કે કંપનીના મેનેજમેન્ટ દ્વારા ટાર્ગેટ પુરો ન કરી શકનારા કર્મચારીઓને આવી સજા આપવામાં આવે છે.

ખાનગી માર્કેટિંગ ફર્મની ઘટના

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના કાલૂરમાં કાર્યરત એક ખાનગી માર્કેટિંગ ફર્મ સાથે જોડાયેલી હોવાનું અને તે નજીકના પેરુમ્બાવુરમાં બની હોવાનું કહેવાય છે. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે તેમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને માલિકે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પેઢીના માલિકનો હવાલો આપતા પોલીસે જણાવ્યું હતું કે, કથિત અત્યાચારની આ ઘટના પેરુમ્બાવુરની એક પેઢીમાં થઈ હશે, કાલૂરમાં કંપનીની પ્રોડક્ટનું માર્કેટિંગ અને વેચાણ કરતી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી અને તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: ‘ભંગી’ જાતિ નથી કહી હાઈકોર્ટે સલમાન ખાન, શિલ્પા શેટ્ટીને જામીન આપી દીધાં

શ્રમ મંત્રીએ શું કહ્યું?

આ મામલે કેરળના શ્રમ મંત્રી શિવનકુટ્ટીએ આ ઘટનાને આઘાતજનક અને ખલેલ પહોંચાડનારી ગણાવતા કહ્યું કે કેરળ જેવા રાજ્યમાં આ કોઈપણ કિંમતે સ્વીકારી શકાય નહીં. તેમણે મીડિયાને જણાવ્યું કે મેં આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને જિલ્લા શ્રમ અધિકારીને તપાસ કર્યા પછી ઘટના અંગે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાદમાં, રાજ્ય માનવ અધિકાર પંચે હાઇકોર્ટના વકીલ કુલાથુર જયસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.

દરમિયાન, કેરળ રાજ્ય યુવા આયોગે પણ આ મામલામાં દરમિયાનગીરી કરી છે અને આ ઘટનામાં સુઓમોટો કેસ નોંધ્યો છે. પેનલે જિલ્લા પોલીસ વડાને આ સંદર્ભમાં અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કમિશનના અધ્યક્ષ એમ. શજરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સભ્ય અને લોકશાહી સમાજમાં અસ્વીકાર્ય હોય તેવી પ્રથાઓ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે એક સભ્ય સમાજ તરીકે આપણે આવી અસામાજિક વૃત્તિઓ સામે સામૂહિક રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ.

આ પણ વાંચો: અહીં ગામ શરૂ થાય એટલે દલિત મહિલાએ ચંપલ હાથમાં લઈ લેવા પડે છે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x