Bhima Koregaon Shaurya Diwas: ભીમા કોરેગાંવ ખાતે આજે 208માં શૌર્ય દિવસ નિમિત્તે લાખો બહુજનો તેમના ભવ્ય ઈતિહાસને યાદ કરવા માટે પહોંચી ગયા છે. ગઈકાલે રાત્રે શૌર્ય દિવસની યાદમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ દુનિયા નવા વર્ષને આવકારવા જશ્ન મનાવતી હતી, ત્યારે મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે રાત્રે 12 વાગ્યે દેશભરમાંથી આવેલા લાખો બહુજનોની હાજરીમાં ભવ્ય આતશબાજી સાથે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે મહારાષ્ટ્રના પુણેના ભીમા કોરેગાંવમાં 208 મો શૌર્ય દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રાત્રે 12 વાગ્યે આકાશ ફટાકડા અને “જય ભીમ” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ દિવસ 1818ના ઐતિહાસિક યુદ્ધની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે મુઠ્ઠીભર મહાર સૈનિકોએ પેશ્વાની સેનાને ધૂળ ચાટતી કરી દીધી હતી. ભીમા કોરેગાંવ ખાતે આવેલા વિજય સ્તંભને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને દેશભરમાંથી આવેલા લાખો ભીમયોદ્ધાઓ પોતાના ભવ્ય ઈતિહાસને વાગોળી રહ્યા છે.

પુણેના કોરેગાંવ ભીમામાં આજે બહાદુરી અને આત્મસન્માનનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 208મા ‘શૌર્ય દિવસ’ નિમિત્તે મહાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે લાખો લોકો વિજય સ્તંભ પર એકઠા થયા હતા. ઘડિયાળમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ ફટાકડા અને “જય ભીમ” ના નારાઓથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું. આ ઉજવણી ફક્ત એક ઐતિહાસિક ઘટનાની યાદગીરી નથી, પરંતુ સામાજિક ન્યાય અને આત્મસન્માનનું પ્રતીક છે.
ઇતિહાસમાં નોંધાયેલી બહાદુરીની ગાથા
1 જાન્યુઆરી, 1818 ના રોજ ભીમા કોરેગાંવની ભૂમિ પર એક યુદ્ધ થયું હતું, જેણે ઇતિહાસ બદલી નાખ્યો હતો. બ્રિટિશ આર્મીના બોમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીના 500 મહાર સૈનિકોએ 28,000 સૈનિકોની પેશ્વા બાજીરાવ બીજાની વિશાળ સેનાને પડકાર ફેંક્યો હતો. સંસાધનોની અછત હોવા છતાં આ સૈનિકોએ અદમ્ય હિંમત દર્શાવી અને પેશ્વાની સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી હતી. આ યુદ્ધ ફક્ત જમીન માટે નહોતું, પરંતુ જાતિના ભેદભાવ સામે અસ્તિત્વ માટેનો સંઘર્ષ હતો.

આ પણ વાંચો: મોદીરાજમાં ED એ 6444 કેસ નોંધ્યા, સજા માત્ર 56માં થઈ!
ऐतिहासिक दिन, ऐतिहासिक तस्वीरें 🔥
आज 1 जनवरी को महाराष्ट्र के भीमा कोरेगांव में शौर्य दिवस के उपलक्ष्य में 500 महान शूरवीरों को नमन करने लाखों का जनसैलाब
रक्त से लिखे इस महान इतिहास को मेरा शत-शत नमन ⚔️⚔️#भीमा_कोरेगांव_शौर्य_दिवस pic.twitter.com/nAftvLpkIO
— Priyanshu Kumar (@priyanshu__63) January 1, 2026
ભીમા કોરેગાંવનો વિજય સ્તંભ એટલે દલિતોના આત્મસન્માનનું પ્રતીક
આ યુદ્ધમાં મૃત્યુ પામેલા વીરોની યાદમાં, અંગ્રેજોએ કોરેગાંવ ભીમા ખાતે વિજય સ્તંભ બનાવ્યો હતો. આ સ્તંભ પર હજુ પણ પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોના નામ છે. આ સ્થળ દલિત સમાજ માટે એક તીર્થસ્થાન છે, કારણ કે તે દર્શાવે છે કે હિંમતએ કોઈ ચોક્કસ જાતિના લોકોનો ઈજારો નથી અને તે જાતિ પર આધારિત પણ નથી. આજે, વિજય સ્તંભને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને દૂર-દૂરથી લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે.
1 जनवरी 1818 #भीमा_कोरेगांव_शौर्य_दिवस की समस्त बहुजनों को हार्दिक बधाई एवं अभिनंदन व सभी 500 वीर महार योद्धाओं को शत शत नमन।
Jai bhim ✊💥‼️ pic.twitter.com/TgXawdWRUo— Indramani Gautam (@IndramaniGauta4) January 1, 2026
ડો.આંબેડકરની ઐતિહાસિક મુલાકાત
આ યુદ્ધ 19મી સદીમાં થયું હતું પરંતુ તેને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં લાવવાનો શ્રેય મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરને જાય છે. 1 જાન્યુઆરી, 1927 ના રોજ તેમણે વિજય સ્તંભની મુલાકાત લીધી અને તેને દલિતો માટે આત્મસન્માનનું પ્રતીક ગણાવ્યું. ત્યારથી, દર વર્ષે લાખો લોકો અહીં ભેગા થાય છે. બાબા સાહેબના વિઝનથી આ દિવસને શૌર્ય દિવસ’ ની ઓળખ મળી, જે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો: ભીમા કોરેગાંવ કેસમાં પ્રો. હની બાબુને 5 વર્ષ બાદ જામીન મળ્યા
તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી
વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને ડ્રોન કેમેરા આ કાર્યક્રમ પર નજર રાખી રહ્યા છે. મધ્યરાત્રિના 12 વાગ્યે ‘ભીમ માનવવંદના’ અને ફટાકડાએ ઉજવણીની ભવ્યતામાં વધારો કર્યો હતો. શાંતિ અને સૌહાર્દ સાથે ઉજવાતો આ ઉત્સવ એ વાતનો પુરાવો છે કે શૌર્યનો વારસો આજે પણ જીવંત છે.
આ પણ વાંચો: Battle of Galwan ફિલ્મનું બિરસા મુંડા સાથે શું કનેક્શન છે?










