રાજકોટમાં દલિત દંપતિના 1 માસના પુત્રને બિલાડીએ બચકાં ભરતા મોત

દલિત દંપતિનો 35 દિવસનો એકનો એક પુત્ર ઘોડિયામાં સૂતો હતો ત્યારે અચાનક બિલાડીએ આવીને બચકાં ભરતાં માસુમ બાળકનું મોત થઈ ગયું.
dalit news

તાજા જન્મેલા બાળકોને હિંસક પ્રાણીઓથી દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં કૂતરાં, બિલાડાની અવરજવર હોય અથવા તેને પાળ્યાં હોય તો નાના બાળકો સાથે શું થઈ શકે તેની ચેતવણીરૂપ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક દલિત દંપતિના એક મહિના પહેલા જન્મેલા એકના એક પુત્ર પર બિલાડીએ હુમલો કરી દેતા બાળકનું મોત થયું છે.

આજી ડેમ નજીક યુવરાજનગરની ઘટના

રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમ પાસેના યુવરાજનગરની આ ઘટના છે. જેમાં ઘોડિયામાં સૂતેલા 35 દિવસના બાળકને બિલાડીએ ગળા પર બચકાં ભરી લીધાં હતાં. લોહીલુહાણ થઇ ગયેલા બાળકનું થોડી જ મિનિટોમાં મૃત્યુ થયું હતું. ઘટનાથી એ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ ઘટનામાં આજીડેમ પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

મળતી માહિતી મુજબ યુવરાજનગરમાં રહેતા એક મહિનાના જયપાલ ઘુઘાભાઇ જાદવને રવિવારે બપોરે ગળે ઇજા થયેલી હાલતમાં બેભાન સ્થિતિમાં બાળકોની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. બાળકની માતાએ ઘટના અંગે વાત કરી તો ડોક્ટર પણ ચોંકી ગયા હતા, કેમ કે તેના પર બિલાડીએ હુમલો કર્યો હતો. બનાવ અંગે જાણ કરાતા આજી ડેમ પોલીસની ટીમ પણ હોસ્પિટલે દોડી ગઇ હતી.

મહિના પહેલાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ

પોલીસે જણાવ્યું હતું કે, ઘુઘાભાઇના પત્ની હેતલબેને એક મહિના પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. પ્રથમ સંતાનમાં જ પુત્રની પ્રાપ્તિ થતાં જાદવ પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. રવિવારે ઘુઘાભાઇ ચોટીલાના તરકિયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. બપોરે ઘુઘાભાઇના માતા હેમીબેન આજી ડેમ નજીક નદીએ કપડાં ધોવા ગયા હતા. ઘરમાં હેતલબેન અને તેમનો એક માસનો પુત્ર જયપાલ જ હતા. નાનકડો જયપાલ ઘોડિયામાં સૂતો હતો અને માતા હેતલબેન ઘરમાં ઘોડિયાથી થોડે દૂર ઘરકામમાં વ્યસ્ત હતા.

એ દરમિયાન અચાનક બિલાડી ધસી આવી હતી અને ઘોડિયામાં સૂતેલા માસૂમ જયપાલના ગળા પર ત્રાટકી હતી. ફૂલ જેવા જયપાલના ગળે બિલાડીએ બચકાં ભરી લેતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો અને તે વખતે જ બેભાન થઇ ગયો હતો. થોડીવાર બાદ હેતલબેન ઘોડિયા પાસે પુત્ર જયપાલને જોવા આવ્યા તો તે સ્તબ્ધ થઇ ગયા હતા. તેમણે જોયું તો પુત્ર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પુત્રને આવી હાલતમાં જોઈને તેઓ બેભાન જેવા થઈ ગયા હતા.

પુત્રને લોહીયાળ સ્થિતિમાં જોઈ માતા હતપ્રભ

પુત્રને લોહિયાળ સ્થિતિમાં જોઈ હતપ્રભ થઈ ગયેલા હેતલબહેનને શું કરવું તેનું ભાન પડતું નહોતું અને તેઓ ઘરના ઉંબરે ઉભા રહીને રડી રહ્યા હતા. એ દરમિયાન તેમના સાસુ હેમીબેન કપડાં ધોઈને આવતા તેમને સમગ્ર ઘટનાની જાણ થતા તેમણે દેકારો મચાવી દેતા આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને માસુમ જયપાલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ત્યાં તબીબોએ તેને મૃતજાહેર કર્યો હતો. આજી ડેમ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ‘તું દલિત થઈને અમારા ઘર સામેથી ઘોડીએ ચઢીને જઈશ?’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x