દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં, ભાજપ ૪૮ બેઠકો સાથે પૂર્ણ બહુમતી સાથે દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ ૪૮ નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી કોઈ પણ ઉમેદવાર મુસ્લિમ સમાજનો નથી. આવી સ્થિતિમાં, ફરી એકવાર ભાજપ દિલ્હીના લઘુમતીઓને ખુશ કરવા માટે પંજાબી કે શીખ સમાજના વ્યક્તિને મંત્રી બનાવી શકે છે. આ પહેલા ૧૯૯૩ થી ૧૯૯૮ સુધીની ભાજપ સરકારમાં પંજાબી કે શીખ સમાજમાંથી જીતેલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા.
ભાજપ સરકારમાં પહેલા મુખ્યમંત્રી મદનલાલ ખુરાના હતા
૧૯૯૩માં ભાજપ ૪૯ બેઠકો જીતીને સત્તામાં આવ્યું. તે સમયે મદન લાલ ખુરાનાને દિલ્હીના પહેલા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, જગદીશ મુખી, સાહિબ સિંહ વર્મા, હરશરણ સિંહ બલ્લી, સુરેન્દ્ર પાલ રાતાવલ, લાલ બિહારી તિવારી અને હર્ષવર્ધનને મંત્રી બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પછી, જ્યારે મુખ્યમંત્રી બદલાયા, ત્યારે રાજેન્દ્ર ગુપ્તાને મંત્રી બનવાની તક મળી. જ્યારે લાલ બિહારી તિવારીએ સાંસદની ચૂંટણી લડી, ત્યારે દેવેન્દ્ર સિંહ શૌકીનને પણ મંત્રી બનવાની તક મળી હતી.
આ પણ વાંચો: વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો
કોંગ્રેસ અને આપે મુસ્લિમ ધારાસભ્યોને મંત્રી બનાવ્યા
૧૯૯૮ પછી, BJP સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ. ત્યારબાદ Congress અને AAP એ પોતાના મંત્રીમંડળમાં Muslim સમાજના એક મંત્રીનો સમાવેશ કર્યો. કોંગ્રેસ સરકારમાં હારૂન યુસુફ અને આપ સરકારમાં ઇમરાન હુસૈન મુસ્લિમ સમાજમાંથી મંત્રી બન્યા હતા. એ રીતે મંત્રીમંડળમાં મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહ્યું હતું. પણ હાલની પરિસ્થિતિમાં ભાજપ પાસે એકપણ મુસ્લિમ ધારાસભ્ય નથી. એ સ્થિતિમાં લઘુમતી બાબતોનું મંત્રાલય કોને સોંપાશે તે પણ સવાલ છે.
આ પણ વાંચોઃ AAP એ હિન્દુત્વવાદી મતદારો તૈયાર કર્યા, પરિણામ તમારી સામે છે
લઘુમતી બાબતોના મંત્રાલય માટે કોણ દાવેદાર?
જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો ફરી એકવાર ભાજપ રાજ કુમાર ભાટિયા, મનજિંદર સિંહ સિરસા, આશિષ સૂદ, હરિશ ખુરાના, ઉમંગ બજાજ, તરવિંદર સિંહ મારવાહ અથવા અરવિંદર સિંહ લવલી, જેઓ દિલ્હીના લઘુમતી સમાજમાંથી આવે છે, તેમને મંત્રી બનાવી શકે છે. સૂત્રો કહે છે કે અરવિંદર સિંહ લવલી મંત્રી બનવાની રેસમાં આગળ છે. કોંગ્રેસમાંથી આવ્યા પછી તેમણે પૂર્વ દિલ્હીમાં પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. ઉપરાંત, તેઓ કોંગ્રેસના મતોને ભાજપ તરફ ખેંચી જવામાં સફળ થયા હતા. તેમની સાથે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા રાજ કુમાર ચૌહાણ પણ ભાજપમાં જોડાયા હતા.
22-23 ફેબ્રુઆરીએ નવી સરકાર શપથ લેશે
સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં નવી ભાજપ સરકાર ૨૨ કે ૨૩ ફેબ્રુઆરીએ શપથ લઈ શકે છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં થવાની શક્યતા છે. આ સમારોહ ભવ્ય બનવાની અપેક્ષા છે. ભાજપ સરકાર અને ગઠબંધન સરકારના મુખ્યમંત્રીઓ આમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહી શકે છે. તેમના ઉપરાંત, ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આ બધાં તામજામ વચ્ચે એ બાબત ચોક્કસ ખટકતી રહેશે જો સરકારમાં મુસ્લિમ સમાજનું કોઈ પ્રતિનિધિ મંત્રીમંડળમાં સામેલ નહીં હોય.
આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?