અયોધ્યામાં ગઈકાલે પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં રામમંદિરના શિખર પર ધજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અયોધ્યાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદને કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જેને લઈને સાંસદે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ દલિત હોવાથી તેમને આ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.
ફૈઝાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું હતું કે તેમને અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. જો તેમને આમંત્રણ આપવામાં આવ્યું હોત તો તેઓ ચોક્કસ આ કાર્યક્રમમાં હાજરી આપત. પરંતુ તેઓ દલિત સમાજમાંથી આવતા હોવાથી તેમને આ કાર્યક્રમથી દૂર રખાયા હતા.

જોકે, ભાજપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના એક સાંસદે પણ આ બાબતની ટીકા કરતા કહ્યું કે અવધેશ પ્રસાદને દલિત હોવાને કારણે આમંત્રણ આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: ‘રામને ન માનનારા ચમાર છે..’ કહેનાર રામભદ્રાચાર્યને ‘જ્ઞાનપીઠ’ મળ્યો

આ દરમિયાન, ભાજપના રાજ્ય પ્રવક્તા હરિશ્ચંદ્ર શ્રીવાસ્તવે આ આરોપોને ફક્ત રાજકીય ગણાવીને ફગાવી દીધા, તેમણે કહ્યું કે, “આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે, અને જો અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદને ખરેખર રામ પ્રત્યે શ્રદ્ધા કે ભક્તિ હોત, તો તેમણે અયોધ્યાના લોકો સાથે આ સમારોહમાં સ્વેચ્છાએ ભાગ લીધો હોત.”
હું દલિત હોવાથી આમંત્રણ ન આપ્યુંઃ અવધેશ પ્રસાદ
અગાઉ, અવધેશ પ્રસાદે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “રામ લલ્લાના દરબારમાં ધ્વજવંદન સમારોહમાં આમંત્રણ ન મળવાનું કારણ એ છે કે હું દલિત સમાજનો છું. તેથી, આ રામની મર્યાદા નથી, પરંતુ કોઈ બીજાની સંકુચિત માનસિકતાનો પરિચય છે. રામ બધાના છે. મારી લડાઈ કોઈ પદ કે આમંત્રણ માટે નથી, પરંતુ આદર, સમાનતા અને બંધારણની ગરિમા માટે છે.”
જો મને આમંત્રણ આપવામાં આવ્યું હોત ગયો હોત
સોમવારે સાંજે સપા સાંસદ અવધેશ પ્રસાદે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “મને હજુ સુધી રામ મંદિર ધ્વજવંદન સમારોહનું આમંત્રણ મળ્યું નથી. જો મને આમંત્રણ મળશે, તો હું મારા બધા કામ છોડીને ત્યાં ખુલ્લા પગે જઈશ!”
આ પણ વાંચો: મંદિરનો પૂજારી ચોક્કસ જાતિનો હોય તે જરૂરી નથીઃ કેરળ હાઈકોર્ટ
દલિત હોવાને કારણે આમંત્રણ ન અપાયું – કોંગ્રેસ
આ દરમિયાન, સહારનપુરમાં પીટીઆઈ સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે જો અયોધ્યાના સાંસદને વડા પ્રધાનના કાર્યક્રમમાં આમંત્રણ ન આપવામાં આવ્યું હોય, તો મને લાગે છે તેમની દલિત હોવાને કારણે જ આવું કરવામાં આવ્યું છે. મસૂદે કહ્યું, “વડા પ્રધાનનું આગમન અને અયોધ્યાના સાંસદને આમંત્રણ ન મળવાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કંઈ હોઈ શકે નહીં. મારું માનવું છે કે સાંસદની જાતિ તેમને આમંત્રણ ન મળવાનું કારણ હતું.” કોંગ્રેસના સાંસદ મસૂદે કહ્યું કે, પ્રધાનમંત્રી ધજારોહણ કરે તે સારી વાત છે, તેમાં કંઈ ખોટું નથી; દરેક વ્યક્તિને દેશમાં પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે.
સમાજવાદીઓએ રામ ભક્તો પર ગોળીઓ ચલાવી હતીઃ ભાજપ
ભાજપ નેતા શ્રીવાસ્તવે કહ્યું, “વાસ્તવિકતા એ છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે સમાજવાદી પાર્ટીનું વલણ સૌ જાણે છે. પાર્ટીના સાંસદ દ્વારા રામ ભક્તો પર ગોળીઓ ચલાવવાનો આરોપ સંપૂર્ણપણે રાજકીય છે અને સમાજવાદી પાર્ટીની હતાશા દર્શાવે છે.”
આ પણ વાંચો: દલિતો હિંદુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા
સપાના વડાએ હજુ સુધી રામ મંદિરની મુલાકાત લીધી નથી
ભાજપના પ્રવક્તાએ કહ્યું, “શ્રી રામ લલ્લા મંદિરના નિર્માણ પછી, વિશ્વભરના 450 મિલિયન લોકો રામ લલ્લાના દર્શન કરવા માટે અયોધ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે, જ્યારે સમાજવાદી પાર્ટીના વડાએ હજુ સુધી મુલાકાત લીધી નથી. જ્યારે અયોધ્યાની સમગ્ર જનતા ભવ્ય દિવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે, ત્યારે આવા આરોપો “ખિસિયાની બિલ્લી ખંભા નોચે” જેવા છે.
रामलला के दरबार में धर्म ध्वजा स्थापना कार्यक्रम में मुझे न बुलाए जाने का कारण मेरा दलित समाज से होना है।
तो यह राम की मर्यादा नहीं,
किसी ओर की संकीर्ण सोच का परिचय है।राम सबके हैं।
मेरी लड़ाई किसी पद या निमंत्रण की नहीं, सम्मान, बराबरी और संविधान की मर्यादा की है।#Ayodhya
— Awadhesh Prasad (@Awadheshprasad_) November 25, 2025
ઉલ્લેખનીય છે કે અવધેશ પ્રસાદે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના બે વખતના સાંસદ અને રામમંદિર આંદોલનના નેતા લલ્લુ સિંહને હરાવીને સાંસદ બન્યા હતા. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ દલિત સમાજમાંથી હોવા છતાં તેમને જનરલ સીટ પર ટિકિટ આપી હતી અને અવધેશ પ્રસાદે અયોધ્યામાં જ ભાજપને હરાવ્યું હતું.
આ પણ વાંચો: ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’










