Nagpur માં બજરંગ દળની રેલી બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી

Nagpur માં બજરંગદળે ઔરંગઝેબની કબરને હટાવી દેવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કુરાન બાળી નાખવાની અફવા ફેલાતા પથ્થરમારો અને કોમી હિંસા ફાટી નીકળી છે.
Nagpur Violance
Nagpur, Mar 17 (ANI): Efforts underway to douse fire in vehicles that have been torched after tensions broke out following a dispute between two groups, at Mahal in Nagpur on Monday. (ANI Photo)

આરએસએસ(RSS)નું હેડક્વાટર જ્યાં આવેલું છે તે મહારાષ્ટ્રના નાગપુર(Nagpur)માં બે જૂથો વચ્ચે અથડામણ અને પથ્થરમારા (Violence) જેવી ઘટના બની છે. એ દરમિયાન બે વાહનો સળગી દેવાયા હતા અને ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. નાગપુરના ડીસીપી અર્ચિત ચાંડકે કહ્યું છે કે આ ઘટના ‘કોઈ ખોટી માહિતી’ ફેલાવાને કારણે બની છે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. શાંતિ જાળવવા માટે પોલીસે નાગપુરના મહાલ નગર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકોને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.

Bajarang Dal ની ઉશ્કેરણીનું પરિણામ

પીટીઆઈના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બજરંગ દળે (Bajarang Dal) ઔરંગઝેબ(Aurangzeb)ની કબરને દૂર કરવા માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. એ દરમિયાન એક અફવા ફેલાઈ કે મુસ્લિમ સમાજના પવિત્ર પુસ્તક કુરાનને બાળી નાખવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, બજરંગ દળના પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા, જેના કારણે મુસ્લિમ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો.

એ પછી, ગઈકાલે રાત્રે 17 માર્ચે નાગપુર(Nagpur)માં તણાવ ફેલાયો. અહેવાલો અનુસાર, પોલીસે ચિટનીસ પાર્ક અને મહેલ વિસ્તારોમાં ટોળાંને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસા બપોરે કોટવાલી અને ગણેશપેઠ સુધી ફેલાઈ ગઈ હતી.

ચિટનીસ પાર્કથી શુક્રવારી તાલાઓ રોડ સુધીનો વિસ્તાર હિંસાથી સૌથી વધુ પ્રભાવિત હોવાનું કહેવાય છે. અહીં તોફાનીઓએ ફોર વ્હીલર્સમાં વાહનોને આગ ચાંપી દીધી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દરમિયાન સ્થાનિકોના ઘરો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જોકે, બજરંગ દળના કાર્યકરોએ કુરાન સળગાવવાના આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમણે ફક્ત વિરોધના ભાગ રૂપે ઔરંગઝેબનું પૂતળું બાળ્યું હતું.

પરિસ્થિતિ નિયંત્રણમાં છે

નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે આ ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું, “પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એક તસવીર સળગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ લોકો એકઠા થયા હતા અને અમે તેમની વિનંતી પર કાર્યવાહી કરી હતી. અમે FIR નોંધી છે. આ ઘટના રાત્રે 8:30 વાગ્યાની આસપાસ બની હતી. 2 વાહનો સળગાવી દેવામાં આવ્યા છે.”

આ મામલે નાગપુરના ડીસીપી અર્ચિત ચાંડકે કહ્યું, “આ ઘટના કોઈ ગેરસમજને કારણે બની હતી. પથ્થરમારો થયો હતો તેથી અમે બળપ્રયોગ કર્યો અને ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો. કેટલાક વાહનોમાં આગ લાગી હતી, પણ અમે ફાયર બ્રિગેડને બોલાવી આગ ઓલવી નાખી. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હું સૌને અપીલ કરું છું કે તેઓ પોતાના ઘરની બહાર ન નીકળે.”

નીતિન ગડકરી અને ફડણવીસે શું કહ્યું?

આ ઘટના પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બધાને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેણે કહ્યું, “કેટલીક અફવાઓને કારણે નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ ઊભી થઈ છે. નાગપુર શહેરનો ઇતિહાસ આવી બાબતોમાં શાંતિ જાળવવાનો રહ્યો છે. હું મારા બધા ભાઈઓને વિનંતી કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવી રાખે.”

નીતિન ગડકરીએ વધુમાં કહ્યું, “હું તમને બધાને ખાતરી આપું છું કે સરકાર ભૂલ કરનારા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. મુખ્યમંત્રીને આ પરિસ્થિતિ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે, તેથી હું બધાને વિનંતી કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપો.”

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક વીડિયો જાહેર કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું, “નાગપુરના મહાલ વિસ્તારમાં જે રીતે પરિસ્થિતિ તંગ બની તે અત્યંત નિંદનીય છે. કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. આ ખોટું છે. હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મેં પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી હોય તે કડક પગલાં લેવા જણાવ્યું છે.”

ફડણવીસે દરેકને એવી રીતે વર્તવાની અપીલ કરી છે કે નાગપુરની શાંતિ ખલેલ ન પહોંચે. જો કોઈ તણાવ પેદા કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, ક્વિક રિએક્શન ટીમ (QRT), રાયોટ કંટ્રોલ પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) તૈનાત કરવામાં આવી છે.

મૂળ મુદ્દાઓથી ભટકાવવા ઔરંગઝેબની કબરનો મુદ્દો ચગાવાયો?

ઉલ્લેખનીય છે કે, મોંઘવારી, બેરોજગારી, ગગડતો રૂપિયો, વિદેશ નીતિ એમ ચોતરફથી ભીંસમાં મૂકાયેલી કેન્દ્ર સરકાર અને ભાજપ સાશિત રાજ્યોમાં ફેલાઈ રહેલી નફરત સહિતના મુદ્દાઓને લઈને લોકોમાં ભારે નારાજગી ફેલાયેલી છે. ત્યારે આટલા મહત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ફટકાવવા માટે આરએસએસ સાથે જોડાયેલા હિંદુત્વવાદી સંગઠનો અને તેના નેતાઓ ઔરંગઝેબની કબરને તોડી પાડવાના મુદ્દાને ચગાવવા મથી રહ્યાં છે.

આ હિંસામાં પણ ઔરંગઝેબની કબરને તોડી નાખવાના સમર્થનમાં બજરંગ દળે યોજેલી રેલી બાદ જ ફેલાઈ છે તેથી તેમાં સંઘ અને તેના સંગઠનો તરફ આંગળી ચિંધાઈ રહી છે.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x