અપંગ દલિત વૃદ્ધને પોલીસે જેલમાં પુરી દેતા લકવો થઈ ગયો

દોઢ મહિના સુધી જેલમાં રહેવાથી દલિત વૃદ્ધની તબિયત બગડી ગઈ અને તેમને લકવો થઈ ગયો, હવે તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.
MP News

પોલીસની છાપ અન્ય સમાજ કરતા દલિત સમાજમાં વધુ ખરાબ શું કામ છે તેનો આ ઘટના વધુ એક પુરાવો છે. ગુજરાતથી લઈને ભારતના કોઈપણ દલિત સાહિત્યની વાર્તા, નવલકથા કે દલિતો પર બનેલી ફિલ્મ જોશો તો એક બાબત તમને કોમન જોવા મળશે કે દરેકમાં પોલીસ દલિતો પર અમાનુષી અત્યાચાર કરે છે. સવર્ણ જાતિના ગુંડાઓ અને ભ્રષ્ટ નેતાઓ સામે એક શબ્દ પણ ન બોલી શકતી પોલીસ નિર્દોષ દલિતોને અકારણ સજા કરવામાં જરાય લાજશરમ નથી અનુભવતી. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે.

મામલો મધ્યપ્રદેશના ગુના જિલ્લાના એક ગામનો છે. જ્યાં એક અપંગ દલિત વૃદ્ધને પોલીસે દોઢ મહિના સુધી જેલમાં પુરી રાખ્યા અને તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી તેમને લકવો થઈ ગયો. હવે તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મધ્યપ્રદેશ પોલીસના ADGP અનુસૂચિત જાતિ કલ્યાણને પત્ર લખીને આ આખી ઘટનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ શિક્ષકે દલિત વિદ્યાર્થીને એટલો માર્યો કે માથું ફાટી ગયું

શું છે આખો મામલો?
આ કેસ વર્ષ 2024નો છે. જુલાઈ મહિનામાં કેન્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક FIR નોંધવામાં આવી હતી. આ ફરિયાદ 27 જુલાઈ 2024 ના રોજ સીતારામ કોલોનીના રહેવાસી શિશુપાલ રઘુવંશીએ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અંશુલ સેહગલ, ભાનુ પ્રતાપ સિસોદિયા, દીપક શ્રીવાસ્તવ અને અન્ય લોકો જમીન ખરીદ-વેચાણનો ધંધો કરે છે. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ તેમણે રામવીર જાટવ, લક્ષ્મણ જાટવ, જીતેન્દ્ર જાટવ, બલવીર આદિવાસી, લક્ષ્મણ સેહરિયા, લખન સેહરિયા અને લીલાબાઈ સહરિયા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં, મ્યુનિસિપલ વિસ્તારમાં જગનપુર સ્થિત જમીનનો રૂ. ૧.૦૭ કરોડમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. જેના માટે તેમને ૪૬.૫૦ લાખ રૂપિયા રોકડા અને ૫ લાખ રૂપિયા ચેક દ્વારા આપવામાં આવ્યા હતા અને કરાર પણ કરવામાં આવ્યો હતો.

ફરિયાદી શિશુપાલના જણાવ્યા મુજબ કરારમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વેચાણ પરવાનગી મળ્યા પછી જમીનની નોંધણી કરવામાં આવશે, પરંતુ વેચાણકર્તાઓએ તેમ કર્યું નહીં. પાછળથી ખબર પડી કે તેણે દસ્તાવેજો સાથે ચેડાં કરીને બીજા કોઈની સાથે પણ કરાર કર્યો હતો. આ અંગે શિશુપાલે કેન્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, દસ્તાવેજોની બનાવટી સહિત વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ માથાભારે પટેલે દલિતોનું સ્મશાન પચાવી પાડી ઘઉં વાવી દીધાં

વૃદ્ધ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે
આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા લક્ષ્મણ અહિરવારની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમના પુત્ર રાજેન્દ્ર અહિરવારે જણાવ્યું કે તેમના પિતા લગભગ દોઢ મહિના સુધી જેલમાં રહ્યા, જેના કારણે તેમની તબિયત બગડી ગઈ. જેલમાંથી બહાર આવ્યા પછી તેમને લકવો થઈ ગયો અને તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેઓ છેલ્લાં ઘણાં મહિનાઓથી ઉજ્જૈનની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

દલિત સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
૨૨ ફેબ્રુઆરીના રોજ લક્ષ્મણ અહિરવારના પરિવાર અને દલિત સમાજના લોકોએ તેમના સમર્થનમાં રેલી કાઢી હતી. એ દરમિયાન તેમણે રસ્તો બ્લોક કરી દીધો હતો. પ્રદર્શનકારીઓ લક્ષ્મણ અહિરવારને બેડ પર સૂવડાવીને પ્રદર્શન સ્થળે લાવ્યા અને તેમના પલંગને ચાર રસ્તા વચ્ચે મૂકીને હોબાળો મચાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. અગાઉ પણ, ૧૧ ફેબ્રુઆરીએ તેમના પરિવારે જાહેર સુનાવણીમાં ભાગ લીધો હતો અને તેમને હોસ્પિટલના પલંગ પર સુવડાવીને જાહેર સુનાવણી સ્થળ પર લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે

અનુસૂચિત જાતિ આયોગે નોંધ લીધી
15 માર્ચે લક્ષ્મણ અહિરવારના પરિવારે આ બાબતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ કરી હતી. કમિશનના ડિરેક્ટર જી સુનિલ કુમાર બાબુએ મધ્યપ્રદેશ પોલીસના એડીજીપી અનુસૂચિત જાતિ કલ્યાણને પત્ર લખીને આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કમિશને આ બાબતને ગંભીરતાથી લીધી છે અને શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

દલિત સમાજમાં પોલીસની કામગીરી સામે ભારે રોષ
આ બાબતને લઈને દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ છે. તેમનું કહેવું છે કે લક્ષ્મણ અહિરવાર પહેલાથી જ અપંગ હતા, છતાં તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. સમાજના લોકો આને દલિતો સામે અન્યાય માની રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા દલિત યુવકે ગળેફાંસો ખાઈ લીધો?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
30 days ago

*શા માટે ચિંતા કરો છો? રાજ્ય અને દેશની પોલીસ એટલે “પોલીસમિત્ર, May I help you, માણસને ભ્રમિત કરતાં સૂત્રોએ કોનું ભલું કર્યું છે? માનવતાને
દફનાવવાનુ કર્તવ્ય નિભાવે છે! જરા સમજો!જયભીમ!

તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x