4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

ગામના જાતિવાદી તત્વોએ દલિત વરરાજા અને તેના પરિવારને ઘોડી પર બેસી વરઘોડો કાઢવા સામે વિરોધ નોંધાવી હુમલો કરવાની ધમકી આપી હતી.
groom

લગ્નની સિઝન વસંત પંચમી બાદ ફરી પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે અને એ સાથે જાતિવાદી તત્વો પણ ઘોડી જાણે તેમની માતા હોય તેમ તેની ઈજ્જતના બહાને દલિત વરરાજાના વરઘોડાનો વિરોધ કરવા નીકળી પડ્યાં છે. જેઓ દિવસમાં એકવાર યોગ્ય રીતે નહાઈને પોતાના શરીરની પણ યોગ્ય રીતે સફાઈ નથી કરતા તેવા તત્વો પોતાની જાતિના અભિમાનનો ઝંડો લઈને શિક્ષિત, સંસ્કારી દલિત પરિવારોથી અસ્પૃશ્યતા દાખવે ત્યારે હસવું આવે અને આઘાત પણ લાગે.

ભારત ખેતીપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન દેશ પછી છે, સૌથી પહેલા તે એક જાતિ પ્રધાન દેશ છે અને અહીં જાતિના આધારે જ વ્યક્તિનું મૂલ્યાંકન થાય છે. આવું ભારતમાં દરરોજ ખૂણેખાંચરે બનતી જાતિવાદની ઘટનાઓ કહે છે. અમુક જાતિવાદી તત્વો દેશ આઝાદ થયા પછી પણ અમુક રીતિરિવાજો જાણે તેમના બાપની જાગીર હોય એમ વર્તતા હોય છે. એટલું જ નહીં, જો કોઈ અન્ય જાતિના લોકો એ રિવાજ કે પરંપારને અનુસરે તો તેનો વિરોધ કરે છે અને સજારૂપે તેમને માર મારવા કે હુમલો કરવાથી પણ પાછા નથી પડતા. કમનસીબે કાયદો આવા જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરતો હોવાથી આવા લુખ્ખા તત્વોની હિંમત વધી જાય છે અને તેઓ ફરી આવું જ કૃત્ય કરવાની હિંમત કરે છે. પણ જો, કાયદો કાયદાનું કામ કરે ત્યારે આવા તત્વોની બધી દાદાગીરી સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેનું ઉદાહરણ છે.

ગુજરાતમાં થોડા દિવસ પહેલા પાલનપુરના ગાદલવાડા ગામમાં જાતિવાદી લુખ્ખા તત્વોએ એક દલિત વરરાજાને ઘોડી પર બેસીને વરઘોડો કાઢવા સામે હુમલો કરવાની ધમકી આપી હતી. એ પછી પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. ગુજરાતમાં વર્ષોથી ભાજપનું શાસન છે અને રાજસ્થાનમાં પણ ભાજપનું જ શાસન છે, જ્યાં આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ.

રાજસ્થાનના ઝૂંઝનુ વિસ્તારની ઘટના

મામલો રાજસ્થાન (Rajasthan) ના ઝુંઝનુ (Jhunjhunu) વિસ્તારનો છે. અહીં એક દલિત વરરાજાનો વરઘોડો 4 પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે નીકળ્યો હતો. અહીં ગામના કેટલાક ઉચ્ચ જાતિના યુવાનોએ (upper caste youths) દલિત વરરાજા અને તેના પરિવારને ધમકી આપી (threatened the Dalit groom and his Family) હતી કે જો ઘોડી પર ચઢીને વરઘોડો કાઢ્યો તો મજા નહીં આવે. આ ધમકીને કારણે દલિત વરરાજા અને તેના પરિવારે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું.

આ પણ વાંચો:  પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું

મામલો મેહાડા પોલીસ સ્ટેશન વિસ્તારની રામપુરા ગ્રામ પંચાયત (Rampura Gram Panchayat) નો છે. અહીં ગોવિંદદાસપુરા ગામ (Govindaspura village) માં દલિત યુવકના લગ્ન લેવાના હતા, જેમાં યુવક ઘોડી પર બેસીને વરઘોડો કાઢવા (Bindori of the Dalit groom) નો હતો. પણ આ વરઘોડા સામે ગામના જાતિવાદી તત્વોએ ધમકી આપી હતી કે જો દલિત યુવક ઘોડી પર બેસીને વરઘોડો કાઢશે તો તેઓ હુમલો કરશે.

જાતિવાદી લુખ્ખા તત્વોએ ધમકી આપી

આ લુખ્ખા જાતિવાદી તત્વોનું માનવું હતું કે, ઘોડી પર બેસીને વરઘોડો કાઢવાનો અધિકાર માત્ર તેમની જાતિના લોકોને જ છે અને જો દલિત વરરાજો ઘોડી પર બેસીને નીકળે એ તેમનું અપમાન છે. આ મનુવાદી માનસિકતાને કારણે આ તત્વોએ દલિત વરરાજાનો વિરોધ કર્યો હતો. જેથી દલિત વરરાજાએ પોલીસમાં જાણ કરી હતી. એ પછી પોલીસ વરઘોડાના દિવસે આસપાસના 4 પોલીસ સ્ટેશનની સુરક્ષા સાથે પહોંચી ગઈ હતી અને દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો. આ સાથે જ પોલીસે ધમકી આપનારા લુખ્ખા તત્વો સામે પણ કાર્યવાહી કરી હતી.

4 પોલીસ સ્ટેશનનો સુરક્ષા કાફલો ખડકાયો

જોકે, પોલીસે જાતિવાદી લુખ્ખા તત્વોના વિરોધના ડરને કારણે પહેલા એક ટીમ મોકલવાનું નક્કી કર્યું હતું. પરંતુ બીકને કારણે પછી આસપાસના ચાર પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્મ બોલાવવામાં આવી હતી. દલિત વરરાજાના આ વરઘોડામાં ચાર પોલીસ સ્ટેશન સહિત QRT ટીમના 60 થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

વરરાજાના પરિવારે એસપીને ફરિયાદ કરી

મળતી માહિતી મુજબ, ગોવિંદદાસપુરા ગામના અનુસૂચિત જાતિના મેઘવાલ સમાજના વરરાજાની જાન શનિવારે જવાની હતી. એ પહેલા વરરાજાને ઘોડી પર બેસાડવામાં આવ્યો અને ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા ગામના કેટલાક કથિત ઉચ્ચ જાતિના યુવાનોએ વરરાજા અને તેના પરિવારને ઘોડી પર બેસીને વરઘોડો ન કાઢવા ધમકી આપી હતી. આ ધમકી બાદ વરરાજાના પરિવારે એસપીને ફરિયાદ કરી હતી. એ પછી લગ્નના બે દિવસ પહેલા પોલીસ સમજાવટ માટે ગામમાં ગઈ હતી. પણ જાતિવાદી તત્વોએ તેમનો વિરોધ કર્યો હતો અને પોતાની નાગાઈ યથાવત રાખી હતી. એ પછી પોલીસે દલિત વરરાજાને સુરક્ષા પુરી પાડી હતી.

પોલીસે અનેક લોકો પર પ્રતિબંધ ફરમાવ્યો હતો

પોલીસે વરઘોડા દરમિયાન દોઢ ડઝનથી વધુ લોકોને પ્રતિબંધિત કર્યા હતા. આમ છતાં, સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસ લાઇનની એક QRT ટીમ ઉપરાંત મેહરા, ખેતડી, ખેતડી નગર અને બબાઈ પોલીસ સ્ટેશનથી પોલીસ જવાનોને વરઘોડાની સુરક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. આમ એક એક દલિત વરરાજાના વરઘોડામાં કુલ 4 પોલીસ સ્ટેશનના 60થી વધુ જવાનો તૈનાત કરાયા હતા. એક રીતે આઝાદ ભારત માટે આ શરમજનક ઘટના ગણાય. પણ પોલીસે દલિત યુવકને ઉની આંચ પણ ન આવવા દીધી તે તેમની કાયદો વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દલિત વરરાજાનો વરઘોડો શાંતિપૂર્ણ રીતે નીકળ્યા પછી જાન નારનૌલના શોભાપુર ગામે પરણવા માટે રવાના થઈ હતી.

આ પણ વાંચો: દલિત ભાઈએ રાખડી બાંધતી મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x