શેરડીના ખેતરમાંથી દલિત શખ્સનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

Dalit News: દલિત શખ્સ છેલ્લાં એક અઠવાડિયાથી ગુમ હતો. હવે ખેતરમાંથી તેની લાશ મળી. ત્રણ આરોપીની ધરપકડ.
Dalit News

Dalit News: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક શેરડીના ખેતરમાંથી એક દલિત શખ્સનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની હત્યાની પુષ્ટિ થઈ છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરી બીએનએસ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો

પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃતકના પુત્રએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, મૃતકના માથા પર ઊંડા ઘા મળી આવ્યા છે. શરીરના અન્ય ઘણા ભાગોમાં પણ ગંભીર ઈજાઓ જોવા મળી હતી. રિપોર્ટમાં ઘર્ષણ થયાના સ્પષ્ટ ચિહ્નો પણ નોંધાયા છે. જેના કારણે મૃતકની પત્ની મુન્ની દેવીની શંકા હકીકત બની ગઈ હતી. તેણીએ અગાઉ એક વીડિયોમાં હત્યાની શંકા વ્યક્ત કરી હતી અને તેવું જ થયું છે.

આ પણ વાંચો: વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?

મૃતક શખ્સ 26 નવેમ્બરથી ગુમ હતો

મૃતકની ઓળખ 45 વર્ષીય મુન્ના ભાર્ગવ તરીકે થઈ છે. તે દલાઈ પૂર્વા ગામનો રહેવાસી હતો. મુન્ના 26 નવેમ્બર, 2025 થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. તેના પરિવારે 28 નવેમ્બરના રોજ ખમરિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ દરમિયાન, 1 ડિસેમ્બરના રોજ ગામની બહાર શેરડીના ખેતરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ શેરડીના પાંદડાથી તેનો મૃતદેહ ઢાંકી દીધો હતો.

ત્રણ ભાઈઓ સામે કેસ દાખલ કરાયો

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે તરત કાર્યવાહી કરી છે. મૃતકની પત્ની દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે, ત્રણ આરોપીઓ સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કડીની દલિત સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા

ત્રણેય જસવંતનગરના રહેવાસી છે. પોલીસે બીએનએસની કલમ 103(1) (હત્યા) અને 238 (પુરાવા છુપાવવા) હેઠળ કાર્યવાહી કરી છે. ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓએ હત્યા થયાનું સ્વીકાર્યું

આ ઘટનાને લઈને ધૌરહરના સર્કલ ઓફિસર શમશેર બહાદુરે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇજાઓની પુષ્ટિ થઈ છે. પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને કાયદા મુજબ કડક કાનૂની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદ થઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x