ભાજપસાશિત રાજ્યોમાં દરરોજ કોઈને કોઈ ખૂણે સવર્ણો દ્વારા દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. સવર્ણ લુખ્ખાઓને ભાજપ છાવરતી હોવાથી એટ્રોસિટી જેવો મજબૂત કાયદો હોવા છતાં આરોપીઓ છૂટી જાય છે. જેના કારણે તેમના જેવા અન્યોને દલિતો પર અત્યાચાર કરવાની પ્રેરણા મળતી હોય છે. જો ભાજપ ખરેખર દલિતોના હક-અધિકારોની ચિંતા કરતી હોય તો તેણે સવર્ણ આરોપીઓને છાવરવાને બદલે તેમને એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈઓ કરવી જોઈએ, જેથી ફરીથી કોઈ દલિતો પર અત્યાચાર કરતા પહેલા સો વાર વિચાર કરે. પણ એવું થતું નથી. આ ઘટના તેની વધુ એક સાબિતી છે.
આ પણ વાંચો: ઓશો રજનીશ પર દલિત-બહુજન સમાજ પુનર્વિચાર કરે
મામલો જાતિવાદના ગઢ ગણાતા યુપીનો છે. અહીંના જસવંતનગર વિસ્તારના સરાઈ ભૂપત કટેખેડા ગામમાં એક દલિત યુવકને ત્રણ સવર્ણ લુખ્ખાઓ દ્વારા જાહેરમાં બેલ્ટથી માર મારી વાળંદની દુકાને લઈ જઈ તેનું માથું મૂંડાવી નાખ્યું હતું. દલિત યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે, આરોપી યુવકોની જાતિની એક યુવતી જીદ કરીને તેની બાઈક પાછળ બેસી ગઈ હતી અને તેને બજાર સુધી છોડી દેવા કહ્યું હતું. જે સવર્ણ યુવકોને ગમ્યું નહોતું અને તેમણે દલિત યુવકને રસ્તા વચ્ચે જ ઘેરી લઈને બેલ્ટ, લાતો અને મુક્કાઓથી માર માર્યો અને પછી તેને એક દુકાનમાં લઈ જઈ બળજબરીથી તેનું માથું મુંડાવી નાખ્યું હતું.
આ મામલે દલિત યુવકે જસવંતનગર પોલીસમાં પાંચ યુવકો વિરુદ્ધ નામજોગ એટ્રોસિટી એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. જેમાં હવે બીએસપી સહિતના રાજકીય પક્ષોનું દબાણ સર્જાતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે.
ફરિયાદી દલિત યુવકે શું કહ્યું?
દલિત યુવક સૂર્યા જાટવે કહ્યું, “હું મારા મિત્ર સાથે જસવંત નગર જઈ રહ્યો હતો, ત્યારે ગામની એક ઓળખીતી સવર્ણ જાતિની યુવતીએ તેને બજાર સુધી મૂકી જવા માટે આગ્રહ કર્યો હતો અને બાઈક પાછળ બેસી ગઈ હતી. એ દરમિયાન યુવતીની જાતિના કેટલાક યુવકોએ મને રોક્યો અને પૂછ્યું કે હું દલિત હોવા છતાં સવર્ણ યુવતીને કેમ ફેરવી રહ્યો છું? ત્યારબાદ તેમણે મને નિર્દયતાથી માર માર્યો અને મારું માથું મુંડાવ્યું હતું.”
યુવતીએ બાઈક પર બેસાડવા કહ્યું હતું
સૂર્યા જાટવની માતાએ જણાવ્યું કે તેનો દીકરો સૂર્યા બાઇક પર જસવંત નગર બજારમાં જઈ રહ્યો હતો. એ દરમિયાન, ગામની એક સવર્ણ યુવતી અનુષ્કા તેની પાસે આવી હતી અને તેને બાઈક પર બેસાડીને ટાંકી નજીક ઉતારી દેવા કહ્યું હતું. મારો દીકરો એ તરફ જતો હોવાથી તેણે અનુષ્કાને બાઈક પાછળ બેસાડી હતી અને ટાંકી નજીક ઉતારી દીધી હતી.
જે આરોપીઓએ જોયું હતું. એ પછી તેમણે સૂર્યાને બોલાવ્યો અને રસ્તા વચ્ચે જ બેલ્ટ અને લાત-મુક્કાથી માર માર્યો હતો. એટલું જ નહીં, તે લોકો મારા દીકરાને ખેંચીને વાળંદની દુકાને લઈ ગયા હતા અને ત્યાં પરાણે તેનું માથું મૂંડાવી નાખ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ શું કહે છે?
આ મામલે પોલીસ અધિકારી સંજય કુમાર વર્માએ જુદી જ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ છે અને પ્રેમીયુગલ બાઈક પર બેસીને જઈ રહ્યું હતું. જે યુવતીની જાતિના કેટલાક યુવકોને ગમ્યું નહોતું અને તેમણે ફરિયાદી યુવક સાથે ઝઘડો કર્યો હતો અને માથું મૂંડાવી નાખ્યું હતું. હાલ આરોપીઓની ધરપકડ કરીને સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કર્યા પછી તેમને જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં પોલીસની હેરાનગતિથી કંટાળી દલિત રિક્ષાચાલકે ઝેર પીધું
*દલિતોએ શું કરવું જોઈએ? હિન્દુ છોડો ઔર બુદ્ધ સે જોડો! જાતિવાદી માનસિકતા કેન્સર કરતાંય ખતરનાક છે! દલિતો જાગો! હવે સમય પાકી ગયો છે!
આને ચીન સામે સરહદ પર મોકલ્યા હોય તો નામર્દ ની જેમ આ તરતજ પાછાં વળી જાય પરંતુ દેશમાં મજબૂર લોકો ઉપર મર્દાનગી સાબિત કરવી છે નરાધમો ને..