જાતિવાદ અને યોગી આદિત્યનાથની સવર્ણ જાતિના લોકોની દાદાગીરી માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશમાં ઓનર કિલીંગની વધુ એક ક્રૂર ઘટના સામે આવી છે. અહીંના અમેઠી જિલ્લાના એક ગામમાં એક દલિત યુવાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગામની ક્ષત્રિય સમાજની એક છોકરીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જે યુવતીના પરિવારજનોને પસંદ નહોતું.
આથી તેમણે પોલ્ટ્રીફાર્મમાં કામ કરતા દલિત યુવકની ગુંડાઓ મોકલીને હત્યા કરાવી નાખી હોવાનો આરોપ છે. યુવક એક મરઘાં ફાર્મમાં સૂતો હતો ત્યારે હુમલાખોરોએ તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને મૃતદેહને કબજે લીધો છે. યુવકના પરિવારે હત્યા પાછળ ક્ષત્રિયોનો હાથ હોવાનો અને જાતિગત દ્વેષનો આરોપ લગાવ્યો છે.
મામલો જામો પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્પના પૂર્વા ગામનો છે, જ્યાં એક ક્ષત્રિય યુવતીને તે જ ગામના દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેના કારણે ક્ષત્રિયોએ દલિત યુવકની હત્યા કરી નાખી હોવાનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચો: Chamar Studio: જ્ઞાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી દીધી!
દલિત યુવક શિવમ કોરી ગામની બહાર આવેલા પોલ્ટ્રી ફાર્મમાં રખેવાળ અને મજૂર તરીકે કામ કરતો હતો. ગઈકાલે સાંજે લગભગ ૬ વાગ્યાની આસપાસ શિવમ પોલ્ટ્રી ફાર્મમાં સૂતો હતો ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરો આવ્યા અને શિવમના ગળા પર લાકડી વડે હુમલો કર્યો અને તેને મૃત સમજીને ત્યાંથી ભાગી ગયા. થોડા સમય પછી, જ્યારે પરિવારના સભ્યો પોલ્ટ્રી ફાર્મ પહોંચ્યા ત્યાં તેમણે શિવમને લોહીથી લથપથ જોતા હોબાળો મચાવ્યો. પરિવારના સભ્યો અને અન્ય ગ્રામજનો શિવમને જામો સીએચસી લઈ ગયા જ્યાં થોડીવાર પછી તેનું મૃત્યુ થયું.
મૃતકના પરિવારે શું કહ્યું?
મૃતક યુવક શિવમના કાકા જગન્નાથે આરોપ લગાવ્યો હતો કે તે જ ગામની ક્ષત્રિય સમાજની એક છોકરીને શિવમ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેના કારણે જ યુવતીના પરિવાર દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી છે. શિવમનો પરિવાર આ પ્રેમ કહાનીનો અંજામ શું આવી શકે તેના જોખમો વિશે સજાગ હતા. આથી તેમણે શિવમને યુવતીથી દૂર રહેવા કહ્યું હતું. જો કે, ક્ષત્રિય યુવતી શિવમને પ્રેમ કરતી હોવાથી દૂર રહેવા તૈયાર નહોતી. જેનો તેના પરિવારે વિરોધ પણ કર્યો હતો. અગાઉ યુવતીના પરિવારજનો શિવમને જેલમાં પણ મોકલી ચૂક્યા છે. એક દલિત યુવકને ક્ષત્રિય યુવતી પ્રેમ કરે તે તેની સમાજ અને પરિવારજનોને પસંદ નહોતું. જેનો ખાર રાખીને જ તેમણે શિવમની તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી.
ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ પણ વાંચો: ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?
સુરક્ષા માટે હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, ઘટનાસ્થળે એક અજંપાભરી શાંતિ છે અને આ ઘટનાને લઈને દલિત સમાજમાં લોકોમાં ભારે ગુસ્સો છે.
ઘટના અંગે અધિક પોલીસ અધિક્ષક હરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી દારૂની બોટલો મળી આવી છે. આ ઉપરાંત ફરિયાદ અને અન્ય મુદ્દાઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે, જે પણ થશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ક્ષત્રિય સમાજના હોવાથી ભાજપની યોગી આદિત્યનાથની સરકારના તેમના પર ચાર હાથ છે. એ સ્થિતિમાં દલિત યુવકની હત્યામાં આરોપીઓને કડક સજા થાય એ બાબતે શંકા છે.
આ પણ વાંચો: જસદણમાં હોસ્ટેલના ગૃહપતિએ દલિત તરૂણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
Dalit hai to kuchh nahi hoga ye sab log BJP or RSS ka bhadeka tatu hai