ડૉ.આંબેડકર પાર્કમાં લાગેલી બુદ્ધની પ્રતિમા કોઈએ તોડી નાખી

દલિત સમાજના લોકોનો આરોપ છે કે ગઈકાલે બહારગામથી એક જાન પરણવા માટે આવી હતી. તેમાંથી જ કોઈ વ્યક્તિએ બુદ્ધની પ્રતિમા તોડી પાડી છે.
budhha statue

દેશમાં આજે સૌથી ચર્ચિત કોઈ મહાનુભાવ હોય તો તે ડો.આંબેડકર છે અને બોધિગયા આંદોલનને કારણે તથાગત ગૌતમ બુદ્ધનું નામ પણ દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું છે. મનુવાદીઓને ખટકતી બાબત એ છે કે આ બંનેએ હિંદુ ધર્મની બદ્દીઓનો જોરદાર વિરોધ કર્યો હતો. એટલે જ સવર્ણ હિંદુઓ તેમને પસંદ નથી કરતા. પરિણામે સમયાંતરે દેશના કોઈને કોઈ ખૂણે આ બંને મહાનાયકોની પ્રતિમાઓને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવાના કે તોડી પાડવાના કિસ્સાઓ બનતા રહે છે. આવી જ એક ઘટના ગઈકાલે જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાં બની ગઈ.

ઉત્તરપ્રદેશના ઈટા જિલ્લાના મારહરની ઘટના

અહીંના ઈટા જિલ્લાના મારહર વિસ્તારમાં આવેલા સિરસા બદન ગામમાં તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાને રાત્રે કોઈ અજાણ્યા તત્વોએ નુકસાન થયું હતું. જેનાથી દલિત સમાજના લોકો ગુસ્સે ભરાયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક એસડીએમ અને સીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નવી પ્રતિમા સ્થાપિત કરવાનું આશ્વાસન આપીને મામલો શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો. હાલ ગામમાં તણાવનો માહોલ છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ તૈનાત કરવામાં આવી છે.
મોડી રાત્રે બુદ્ધની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું

આ પણ વાંચો: સિનિયર ક્રિકેટરે મને કહ્યું, ‘મારે તારી સાથે સૂવું છે’

મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે સિરસા બદન ગામમાં બધું સામાન્ય હતું. પણ શુક્રવારે સવારે જ્યારે તેઓ ઉઠ્યા અને આંબેડકર પાર્કમાં જઈને જોયું તો ભગવાન બુદ્ધની પ્રતિમાને કોઈએ ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી. જોતજોતામાં વાત આખા ગામમાં ફેલાઈ જતા દલિત-બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં પાર્કમાં પહોંચી ગયા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને એસડીએમ સદર જગમોહન ગુપ્તા અને સીઓ સદર સંજય સિંહ નજીકના પોલીસ સ્ટેશનોના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દલિત સમાજના લોકોએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે રાત્રે ગામમાં એક લગ્ન પ્રસંગ હતો, એમાં સામેલ કોઈ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે.

14મી એપ્રિલે જલેશ્વરમાં દલિત યુવકને ગોળી મારી હતી

તણાવ વધતાં, SDM અને CO એ નવી પ્રતિમા સ્થાપિત કરવાની ખાતરી આપીને પરિસ્થિતિ શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો. સિરસા બદન ગામના આંબેડકર પાર્કમાં ડૉ. ભીમરાવ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ સ્થાપિત છે.

તેની સ્થાપના વર્ષ 2018 માં કરવામાં આવી હતી. એક અઠવાડિયા પહેલા, જલેશ્વર વિસ્તારના મોહનપુર ગામમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પ્રતિમાને તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે જિલ્લાભરના લોધી સમાજમાં રોષ ફેલાયો હતો. એ પહેલા આંબેડકર જયંતિ પર દલિત યુવક પર ગોળીબારની ઘટનાને લઈને જલેશ્વરમાં તણાવ હતો. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સિરસા બદનની ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x