દિલ્હીમાં ભાજપની રેખા ગુપ્તા સરકારે એક વિચિત્ર નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર એવા લોકોને નોકરી પર રાખવાની યોજના બનાવી રહી છે, જેઓ વાંદરાના અવાજની નકલ કરી શકે છે. શું છે તેની પાછળનું કારણ? નોકરી કરનારા લોકોને પગારની સાથે વીમાની સુરક્ષા પણ મળશે.
જો તમે વાંદરાના અવાજની નકલ કરી શકો છો, તો તમારી પાસે દિલ્હી વિધાનસભામાં કામ કરવાની એક સારી તક છે. વિધાનસભા સંકુલમાં વાંદરાની સમસ્યાને ઉકેલવા માટે, દિલ્હી સરકાર એવા લોકોને નોકરી પર રાખવાની યોજના બનાવી રહી છે જે વાંદરાના અવાજની નકલ કરી શકે છે. જાહેર બાંધકામ વિભાગ (PWD) એ આ માટે એક ટેન્ડર પણ બહાર પાડ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અધિકારીઓ કહે છે કે વિધાનસભા સંકુલમાં અને તેની આસપાસ ઘણા વાંદરા જોવા મળે છે. આ વાંદરા વીજળીના તાર અને ડીશ એન્ટેના પર કૂદીને નુકસાન પહોંચાડે છે. વધુમાં, તેમણે ધારાસભ્યો, સ્ટાફ અને મુલાકાતીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: ભાજપે એક જ પરિવારના 6 ને ટિકિટ આપી, બધાં હારી ગયા!

આ સમસ્યાના ઉકેલ માટે, જાહેર બાંધકામ વિભાગ (PWD) એ લંગુરના અવાજની નકલ કરી શકે તેવા લોકોને નોકરી પર રાખવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જાણકારો દ્વારા આ પદ્ધતિને અસરકારક માનવામાં આવે છે, કારણ કે તે વાંદરાને નુકસાન પહોંચાડ્યા વિના તેમને ડરાવી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓ વાંદરાને ભગાડવા માટે લંગુરને પણ સાથે લાવી શકે છે.
8 કલાકની શિફ્ટમાં કામ કરવું પડશે
મીડિયા રિપોર્ટ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે પરિસરમાં લંગુરની મૂર્તિઓ લગાવ્યા પછી પણ તેની કોઈ અસર થઈ નથી અને મૂર્તિઓ બિનઅસરકારક સાબિત થઈ છે, કારણ કે વાંદરા હવે તેમનાથી ડરતા નથી અને ઘણીવાર આ મૂર્તિઓની ઉપર બેઠેલા જોવા મળે છે. અધિકારીનું કહેવું છે કે, “અમારી પાસે પહેલા લંગુરની નકલ કરનારા હતા, પરંતુ તેમનો કરાર સમાપ્ત થઈ ગયો છે.”
આ પણ વાંચો: પાદરામાં સગીરાએ પ્રેમીને ઘરે બોલાવી પિતાની હત્યા કરાવી
અધિકારીએ ઉમેર્યું કે આ હેતુ માટે તાલીમબદ્ધ કર્મચારીઓને રાખવા માટે એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના હેઠળ, નોકરીએ રાખવામાં આવેલા લોકો સોમવારથી શનિવાર સુધી વાંદરા ભગાડવાનું કામ કરશે. દરેક વ્યક્તિની શિફ્ટ 8 કલાકની હશે. તૈનાત કર્મચારીઓ માટે વીમા કવરેજ પણ પૂરું પાડવામાં આવશે.
📍दिल्ली में बंदरों को भगाने के लिए लोगों की भर्ती निकली।
▪️ PWD ने लंगूरों की आवाज निकालने वाले लोगों की हायरिंग के लिए टेंडर भी निकाल दिया।
▪️हर कर्मी 8 घंटे की शिफ्ट में काम करेगा, ये कर्मी लंगूर की आवाज की नकल कर बंदरों को भगाएंगे।#Delhi #Monkey pic.twitter.com/P9qtTvfKl9
— Er.Ravi s yadav (युवराज) (@raviyadav1921) January 3, 2026
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2023માં G-20 સમિટ દરમિયાન પણ દિલ્હીમાં વાંદરાની સમસ્યા સામે આવી હતી. તેનો સામનો કરવા માટે વાંદરાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી અને વાંદરાઓના અવાજની નકલ કરતા લોકોને તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે, આ કીમિયો નિષ્ફળ નીવડ્યો હતો અને વાંદરા મૂર્તિઓ નકલી હોવાનું પારખી ગયા હતા. જોવાનું એ રહેશે કે, આ વખતે શું થાય છે.
આ પણ વાંચો: કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!










