સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કપાશે

સુરેન્દ્રનગરમાં બહુજન સમાજ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર ડો.આબેડકરની જન્મ જયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવશે.
156 kg cake will be cut on dr ambedkar jayanti in surendranagar

156 kg cake will be cut on dr ambedkar jayanti : ગુજરાત સહિત દેશ-વિદેશમાં મહાનાયક ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ ચૂક્યું છે. બહુજન સમાજના સંગઠનો, ગ્રુપો દ્વારા મેટ્રો સિટીથી લઈને સાવ અંતરિયાળ ગામડાઓ સુધી મહાનાયક ડો.આંબેડકરની જયંતીની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે 14મી એપ્રિલે ડો.આંબેડકરની 134મી જન્મજયંતિ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ગુજરાતભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, સૌથી અનોખો અને ધ્યાન ખેંચે તેવો કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં યોજાવા જઈ રહ્યો છે. જ્યાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં પહેલીવાર ડો.આંબેડકરની જન્મજયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપવામાં આવશે.

લોકભાગીદારીથી 156 કિલોની કેક તૈયાર કરાઈ

સુરેન્દ્રનગર સ્થિત ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય સ્મૃતિ સ્થાન સંકુલ ફાટસર વઢવાણ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે આજે તા. 13-4-2025ને રવિવારે રાત્રે 8.30 કલાકે ભીમ ડાયરો અને રાત્રે 12.00 કલાકે 156 કિલો એટલે કે 7 મણ અને 16 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવશે.

આ કાર્યક્રમ સંપૂર્ણ લોક ભાગીદરીથી અને દાતાઓના સહકારથી આયોજિત કરાયો છે. તેના માટે ઘેર-ઘેર જઈ લોકો પાસેથી દાન મેળવવામાં આવ્યું હતું. જેમાં તદ્દન ગરીબથી લઈને સુખી ઘરના બહુજનોએ યથાશક્તિ પોતાનું યોગદાન આપ્યું હતું. આયોજકોના જણાવ્યા પ્રમાણે 1 લાખ જેટલું માતબર દાન લોકોએ આપ્યું હતું. ડો.આંબેડકરના જન્મદિવસ નિમિત્તે આવી મોટી વિશાળ કેક પ્રથમવાર બની છે.

મહિલાઓ અને બાળકીઓ દ્વારા કેક કટિંગ કરાશે

આ ઉજવણી દરમિયાન જાહેર ભીમ ડાયરાનું પણ આયોજન કરાયું છે. જેમાં ભીમ ભજનિક પરેશ રાઠોડ, રમેશભાઈ પરમાર, હિતેષ સાધુ, ખુશાલીબેન છાસીયા, અશોક સુમેરા અને કિશન ઝાલા વગેરે ભીમ ભજનની રમઝટ બોલાવશે. એ પછી મધરાતે 12 વાગ્યે સ્થાનિક બહેનો અને બાળાઓ દ્વારા આ 156 કિલોની કેક કાપીને મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
સરકાર-નેતાઓનો એક રૂપિયો પણ નથી લેવાયો

આ પણ વાંચો:  બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ

156 kg cake will be cut on dr ambedkar jayanti in surendranagar

સમગ્ર કાર્યક્રમ વિશે ખબરઅંતર.ઈનને વિસ્તારથી માહિતી આપતા સુરેન્દ્રનગરના સામાજિક કાર્યકર અને છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારના સંચાલક નટુભાઈ પરમાર કહે છે, “ડો આંબેડકરની જન્મજયંતીની ઉજવણી આમ તો આખા દેશ અને દુનિયામાં પણ લોકો કરે છે. પરંતુ અમે કંઈક અલગ કરવા માંગતા હતા. તેથી કોઈએ સૂચન કર્યું કે, આપણે 156 કિલોની કેક તૈયાર કરીને ઉજવણી કરીએ.

બાબાસાહેબના જન્મદિવસે 156 કિલોની કેક ગુજરાત જ નહીં, ભારતમાં પણ ક્યાંક કપાઈ હોવાનું અમારા ધ્યાનમાં નથી. તેથી આ કદાચ પહેલી એવી ઘટના છે. આ કાર્યક્રમમાં અમે સરકારનો એક રૂપિયો પણ લીધા વિના સંપૂર્ણ લોકભાગીદારીથી આયોજન કર્યું છે. અમને ખબર છે કે, નેતાઓ એક રૂપિયો પણ આપે તો પણ તેમનો મોટાભા થવાનો સ્વાર્થ હોય છે. આથી અમે તેને રાજકીય અખાડાને બદલે લોકોત્સવ બનાવવા માંગતા હતા અને તેની લોકફાળો લેવાનું નક્કી કરાયું. અને અમારી અપેક્ષા કરતા પણ વધુ ઉત્સાહથી લોકોએ ભાગીદારી નોંધાવી હતી.”

કેકમાં આટલી વસ્તુઓ વપરાઈ છે

156 કિલોની કેક બનાવવા માટે 2 ડબ્બા શુદ્ધ ઘી, 55 કિલો ઘઉંનો કરકરો લોટ, 11 કિલો ચણાનો લોટ, 6 કિલો સોજીનો લોટ, 25 કિલો ગોળ, 1 સિંગતેલનો ડબ્બો, 4 કિલો કાજુ, 4 કિલો દ્રાક્ષ, 500 ગ્રામ જાવંત્રી, 1 કિલો ખસખસ, 500 ગ્રામ ઈલાયચી, 200 ગ્રામ જાયફળ, ૩ કિલો ગુંદર અને 7 કિલો ખાંડનો વપરાશ કરાયો છે.

10 લોકોની ટીમ સવારથી કેક બનાવવા કામે લાગી

આ કેક તૈયાર કરનાર વઢવાણની મૈત્રી સ્વીટ એન્ડ કેટરર્સના જગદીશભાઈ ચાવડાએ જણાવ્યું કે, “આ કેક બનાવવા માટે આજે રવિવારે સવારે 6 વાગ્યાથી શરૂઆત કરવામાં આવી છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં તે તૈયાર થઈ જશે. અમે કુલ 10 લોકોની ટીમ તેના માટે કામ કરી રહી છે. કેકને તૈયાર થતા કુલ 8 કલાક લાગશે એ પછી તેને ફ્રીઝ કરવામાં આવશે અને મધરાતે તેનું કટિંગ કરીને સદીના મહાનાયકના જન્મદિવસને ઉજવીશું.”

આ પણ વાંચો: ફાઈનલી! દલિત વિદ્યાર્થી શિવમ સોનકરને BHUમાં પ્રવેશ મળ્યો

2.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x