Dalit News: નવા વર્ષની શરૂઆતમાં પણ દલિતો પર અત્યાચારની ઘટનાઓ અટકી નથી. જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાં ફરી એક દલિત યુવક પર જાતિવાદી ગુંડાઓએ બર્બરતા આચરી છે. અહીંના બરેલીમાં એક દલિત યુવક પર ક્રૂરતાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુંડાઓએ પહેલા તેને માર માર્યો, પછી તેની મૂછો કાપી નાખી, પછી તેનું માથું મુંડી નાખ્યું અને પછી તેના મોં પર કાદવ ચોપડ્યો હતો.
ઉત્તર પ્રદેશના બરેલીના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડાઓએ એક અનુસૂચિત જાતિના યુવક સાથે અમાનવીય વર્તન કર્યું. આરોપ છે કે, ગેલા ગામના ચંદ્રસેન, તેના પુત્ર પપ્પૂ અને ગોધનલાલે પહેલા દલિત યુવકનું માથું મુંડી નાખ્યું, પછી કાતરથી તેની મૂછો કાપી નાખી, અને પછી તેના ચહેરા પર કાદવ છાંટ્યો. દલિત યુવકનો આરોપ છે કે ગુંડાઓએ તેને માર માર્યો અને આ અપમાનજનક કૃત્યનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

આ પણ વાંચો: પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
પહેલા માર માર્યો પછી માથું મૂંડી નાખ્યું
દલિત યુવકની ફરિયાદના આધારે, નવાબગંજ પોલીસ સ્ટેશને ત્રણ લોકો સામે નામજોગ અને ચાર-પાંચ અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. બહેડી તાલુકાના ગરસોલી ગામના રહેવાસી પપ્પુ દિવાકર પાસેથી મળેલી માહિતી મુજબ, તેમણે નવાબગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા ત્રણ મહિનાથી નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગેલટાંડા ગામમાં ચંદ્રસેન સાથે રહેતો હતો.

FIRમાં પપ્પુ દિવાકરનો આરોપ છે કે ચંદ્રસેને ટ્રેક્ટર ખરીદવા માટે તેમની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જ્યારે તેણે આ પૈસા પાછા માંગ્યા, ત્યારે ચંદ્રસેન, તેના પુત્ર પપ્પુ અને ગોધનલાલે સાથીઓ સાથે મળીને તેના પર હુમલો કર્યો, ગાળાગાળી કરી અને જાતિવાદી અપશબ્દો કહ્યા. ત્યારબાદ તેઓએ આખા ગામની સામે તેનું અપમાન કર્યું અને બળજબરીથી તેમનું માથું અને મૂછો મુંડી નાખી. જ્યારે બદમાશોને આટલેથી સંતોષ ન થયો ત્યારે તેમણે તેના મોં પર કીચડ ચોપડી દીધું હતું.
આ પણ વાંચો: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ ગયો!
ગામલોકોએ મેલી વિદ્યાની વાતો કરવા લાગ્યા
દરમિયાન, ગ્રામજનો એવું પણ માને છે કે પપ્પુ દિવાકર મેલી વિદ્યા જાણે છે અને કાળો જાદુ કરે છે. તેણે કેટલાક લોકોને તેમના ઘરમાં ખજાનો દફનાવવામાં આવ્યો હોવાનું કહીને છેતર્યા હતા, અને જ્યારે કાળા જાદુ પર ઘણો ખર્ચ કરવા છતાં ખજાનો ન મળ્યો, ત્યારે તેને માર માર્યો હતો. પોલીસનું કહેવું છે કે, કારણ ગમે તે હોય પરંતુ કોઈ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. જો કોઈ સમસ્યા હોત, તો તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શક્યા હોત. હાલમાં, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ભેંસનું માંસ લઈને જતા મુસ્લિમને ટોળાએ ગૌતસ્કર સમજી માર્યો!











Best