ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં કેટલાક ગુંડાઓએ એક દલિતને માર માર્યો અને દારૂ પીવા માટે ખંડણીના પૈસા ન ચૂકવવા બદલ તેના બંને કાન કાપી નાખ્યા. ગુનો કર્યા પછી આરોપીઓ તેની પાસેથી હજારો રૂપિયા લૂંટીને ભાગી ગયા. ઘટનાની માહિતી મળતા જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને યુવકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. પોલીસે આ ઘટનાની એફઆઈઆર નોંધી આરોપીઓની શોધ શરૂ કરી છે.
હમીરપુરના સૈદપુર ગામની ઘટના
હમીરપુર જિલ્લાના રાઠ પોલીસ સ્ટેશનના સૈદપુર ગામમાં બનેલી ઘટનાથી દલિત પરિવાર ગભરાઈ ગયો છે. સૈદપુર ગામના રહેવાસી ઘાસી રામનો પુત્ર ચરણ દાસ પોતાના ઘરેથી મંદિર જઈ રહ્યો હતો, ત્યારે ગામની બહાર જતા રસ્તામાં તે જ ગામના ફુક્કન અને સંદીપે તેને રોક્યો અને ગાળાગાળી કરી. દારૂ પીવા માટે તેમણે ચરણ દાસ પાસે ગુંડા ટેક્સરૂપે પૈસા ચૂકવવાની માંગણી કરી હતી. જ્યારે તેણે ના પાડી ત્યારે તેને માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, આરોપીઓ ચરણદાસને પકડીને સ્મશાનમાં ખેંચીને લઈ ગયા. જ્યાં તેને ફરીથી માર મારી તેના ખિસ્સામાં રાખેલા બે હજાર રૂપિયા છીનવી લીધાં.
આ પણ વાંચો: ‘રામને ન માનનારા ચમાર છે..’ કહેનાર રામભદ્રાચાર્યને ‘જ્ઞાનપીઠ’ મળ્યો
છરીથી બંને કાપ કાપી નાખ્યા
ચરણ દાસે પોતાના પૈસા પાછા મેળવવા માટે આરોપીઓ સાથે લડાઈ કરી, પણ લુખ્ખા તત્વોએ છરીથી તેના બંને કાન કાપી નાખ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા પછી, બંને ગુંડાઓ ધમકીઓ આપીને સ્થળ પરથી ભાગી ગયા. ઘટનાની માહિતી મળતા જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ ચરણ દાસને તેના બંને કપાયેલા કાન સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ચરણદાસની ફરિયાદના આધારે પોલીસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ઝાંસી મેડિકલ કોલેજમાં રિફર કરાયો
લોહીથી લથપથ ચરણ દાસને પહેલા રથના CHCમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ડૉ. અખિલેશે તેને મેડિકલ કોલેજ ઝાંસી રેફર કર્યો છે. રથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રામઆસરે સરોજે જણાવ્યું હતું કે ઘટનાની ફરિયાદ મળતાં જ ફુક્કન અને સંદીપ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ માટે શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: દલિત યુવકને 6 લોકોએ નિર્વસ્ત્ર કરી માર મારી પગ ચટાડ્યાં