Ayodhya માં દલિત યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો

Ayodhya ની આ દલિત દીકરીનો ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. તેની બંને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. લોહીથી લથપથ કપડાં મળ્યાં. શરીર પર ઈજાના અનેક નિશાન.
Ayodhya Dalit girl raped

ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) માં એકબાજુ મહાકુંભ (Mahakumbh) ચાલી રહ્યો છે. દેશભરમાંથી લાખો લોકોનો ત્યાં ધસારો થઈ રહ્યો છે. અહીંથી લોકો અયોધ્યા (Ayodhya) માં રામમંદિરના દર્શને જઈ રહ્યાં છે. જો કે, કહેવાતા આ રામરાજ્યની આ નગરીમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં શુક્રવાર સાંજથી ગુમ થયેલી એક દલિત યુવતીનો (Dalit girl)નો નગ્ન (Naked Body of Dalit girl) હાલતમાં મૃતદેહ મળી આવતા હોબાળો મચી ગયો હતો. મૃતદેહ પાસે યુવતીના લોહીથી લથપથ કપડાં (Clothes soaked with Blood) પણ મળી આવ્યા હતા. એ પછી બળાત્કાર (Rape) બાદ હત્યાની શંકા સેવાઈ રહી છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આ મામલે એક યુવકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી.

ઘટના કોટવાળી વિસ્તારના સહનવા ગામ (Sahanwa village) ની છે. જ્યાં નરાધમોએ એક દલિત યુવતી પર ક્રૂરતા આચરી. મીડિયા રિપોર્ટ મુજબ, 30 જાન્યુઆરીની રાત્રે 22 વર્ષની યુવતી ભાગવત જોવા માટે ગઈ હતી. જ્યાંથી તે રાત્રે લગભગ ૧૧ વાગ્યા સુધી ઘરે પરત ફરી ન હતી. પરિવારે તેની શોધખોળ કરી, પણ તે મળી નહીં. શનિવારે સવારે એક નાળા પાસે અર્ધનગ્ન હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન, નજીકમાં લોહીથી લથપથ કપડાં મળી આવ્યા. જેથી તેની બળાત્કાર બાદ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. તેના હાથ અને પગ તૂટી ગયા હતા અને આંખો પણ ફોડી નાખવામાં આવી હતી. ચહેરા પર પણ ઘણી જગ્યાએ ઈજાના નિશાન હતા.

ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, મૃતદેહને કબજે લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે તેમની પુત્રી શુક્રવાર સાંજથી ગુમ હતી. આ કેસમાં એરિયા ઓફિસર આશુતોષ તિવારીએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારના સભ્યોએ કોઈ પર શંકા વ્યક્ત કરી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે.

Read Also: સાપુતારામાં ચારધામ યાત્રાએથી આવતી બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

આ મામલે હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે. આ ઘટનાને લઈને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ (Samajwadi Party national president) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રશ્નો ઉઠાવ્યા છે. શનિવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “ખૂબ જ દુઃખદ સમાચાર છે કે અયોધ્યાના સહનવામાં 3 દિવસથી ગુમ થયેલી દલિત પરિવારની દીકરીનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો છે. તેની આંખો કાઢી નાખવામાં આવી છે અને તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. જો વહીવટીતંત્રે ત્રણ દિવસ પહેલા પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી પર ધ્યાન આપ્યું હોત, તો દીકરીનો જીવ બચાવી શકાયો હોત. અમે ઉત્તર પ્રદેશ સરકાર પાસે માંગ કરીએ છીએ કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કેસમાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ અને પીડિત પરિવારને તાત્કાલિક 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.”

સમાજવાદી પાર્ટીના અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ (Ayodhya MP Awadhesh Prasad) નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ખૂબ રડી રહ્યા છે. રવિવારે સાંસદ અવધેશ પ્રસાદે આ મામલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેઓ અચાનક મીડિયા સામે જોરથી રડવા લાગ્યા હતા અને તેઓ દલિત દીકરીને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહ્યાં હોવાની વાત કરી હતી. તેના સમર્થકોએ તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. સમર્થકોએ કહ્યું, ‘તમે દીકરી માટે લડશો અને તેને ન્યાય મળશે.’ આ પછી, સાંસદે રડતા રડતા કહ્યું કે તેઓ લોકસભામાં પીએમ મોદી સામે આ મુદ્દો ઉઠાવશે. સાંસદે કહ્યું કે જો દલિત છોકરીને ન્યાય નહીં મળે તો તેઓ રાજીનામું આપી દેશે.

Read Also: કુશીયારીની Green Army : ધોકે નારી નહીં, નર પાંસરા…

સાંસદ અવધેશ પ્રસાદ (MP Awadhesh Prasad) વારંવાર કહેતા રહ્યા કે મને દિલ્હી જવા દો, હું રાજીનામું આપી દઈશ. બીજી તરફ, તેમના સમર્થકો કહેતા રહ્યા કે તેમણે રાજીનામું ન આપવું જોઈએ. તમારે લડવું પડશે અને દલિત દીકરી માટે ન્યાય મેળવવો પડશે. તેમણે આ ઘટનાને નિર્ભયા કેસ કરતાં પણ વધુ ગંભીર ગણાવી. આ સાથે, તેમણે પોલીસ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે અંતિમ સંસ્કાર ધાર્મિક માન્યતાઓ અનુસાર કરવામાં નથી આવ્યા. તેમણે યુવતીના પરિવાર માટે સુરક્ષા અને ગુનેગારોને પકડીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી.


બીજી તરફ અયોધ્યાના એસએસપી રાજકરણ નૈય્યરે (Ayodhya SSP Rajkaran Nayyar) જણાવ્યું છે કે, 31 જાન્યુઆરીએ દર્શન નગર પોલીસ ચોકીમાં એક સૂચના મળી હતી, જેમાં એક છોકરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 30 જાન્યુઆરીની રાત્રે તે તેની બહેન સાથે સૂતી હતી અને જ્યારે તે જાગી ત્યારે તેની બહેન તેની સાથે નહોતી. માહિતી મળતાં જ પોલીસે કેસ નોંધ્યો અને છોકરીને શોધવા માટે બે ટીમો બનાવવામાં આવી. શનિવારે સવારે માહિતી મળી કે છોકરીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. બધા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Read Also: 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x